રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો
એઇમ્સના દિલ્હીના નિયામક ડો. રણદિપ ગુલેરીયાએ ખુદ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ ઓછી છે – ચેમ્બરની રજૂઆત
માસ્કને કારણે શ્વાસમાં તાજી હવા મેળવવવામાં પણ મુશ્કેલી થાય છે
WatchGujarat. કોરોના કાળમાંથી દેશની સાથે ગુજરાત પણ પસાર થઇ ગયું છે. એટલે રાજયની પ્રજાને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. ચેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રનાં અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ લેખીત રજૂઆત કરી માસ્કના નિયમમાંથી મુકતી આપવા વિનંતી કરી છે.
આ અંગે ચેમ્બરે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજયના આરોગ્ય મંત્રી પટેલને લેખીતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર - રાજય સરકારની ઉમદા કામગીરીથી વિશ્વવ્યાપી કોરોના મહામારીમાંથી આપણે સૌપ્રસાર થઇ ચુકયા છીએ. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન સરકાર દ્વારા લેવાયેલા ત્વરીત નિર્ણયો થકી દેશભરમાં કોરોના મહંદઅંશે કાબુમાં આવી ગયો છે. એ સરાહનીય કામગીરી છે જેની વિશ્વ આખાએ નોંધ લીધી છે.
ચેમ્બરે રજૂઆત કરી છે કે, એઇમ્સના દિલ્હીના નિયામક ડો. રણદિપ ગુલેરીયાએ ખુદ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ ઓછી છે. સરકારના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટા ભાગના નાગરિકોને રસી અપાઈ ગઈ છે. છેલ્લા દોઢ બે વર્ષથી લોકો માસ્ક પહેરી રહ્યા છે. પણ હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસો નહીંવત હોવાથી આખો દિવસ માસ્ક પહેરવાથી ફાયદાના બદલે નુકસાન થઇ શકે છે.
માસ્કને કારણે શ્વાસમાં તાજી હવા મેળવવવામાં પણ મુશ્કેલી થાય છે. જેના કારણે અન્ય બિમારીઓ થવાનો ભય રહે છે. આથી રાજયના તમામ લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તી આપવી જોઇએ. અને માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઇને પણ સંપુર્ણ પણે નાબુદ કરવી જોઈએ. ચેમ્બરે અનુરોધ કર્યો છે કે, સરકારને યોગ્ય લાગે તો રેલ્વે અને બસ સ્ટેશનો, એરપોર્ટ, તેમજ જાહેર મેળાવડાઓમાં માસ્કનો નિયમ ફરજીયાત રાખી શકાય બાકી તમામમાંથી માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવી જોઈએ.
- રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો
- એઇમ્સના દિલ્હીના નિયામક ડો. રણદિપ ગુલેરીયાએ ખુદ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ ઓછી છે – ચેમ્બરની રજૂઆત
- માસ્કને કારણે શ્વાસમાં તાજી હવા મેળવવવામાં પણ મુશ્કેલી થાય છે
WatchGujarat. કોરોના કાળમાંથી દેશની સાથે ગુજરાત પણ પસાર થઇ ગયું છે. એટલે રાજયની પ્રજાને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજય સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે. ચેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રનાં અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ લેખીત રજૂઆત કરી માસ્કના નિયમમાંથી મુકતી આપવા વિનંતી કરી છે.
આ અંગે ચેમ્બરે વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજયના આરોગ્ય મંત્રી પટેલને લેખીતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, કેન્દ્ર - રાજય સરકારની ઉમદા કામગીરીથી વિશ્વવ્યાપી કોરોના મહામારીમાંથી આપણે સૌપ્રસાર થઇ ચુકયા છીએ. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન સરકાર દ્વારા લેવાયેલા ત્વરીત નિર્ણયો થકી દેશભરમાં કોરોના મહંદઅંશે કાબુમાં આવી ગયો છે. એ સરાહનીય કામગીરી છે જેની વિશ્વ આખાએ નોંધ લીધી છે.
ચેમ્બરે રજૂઆત કરી છે કે, એઇમ્સના દિલ્હીના નિયામક ડો. રણદિપ ગુલેરીયાએ ખુદ જણાવ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા ખુબ ઓછી છે. સરકારના અથાગ પ્રયત્નોથી ગુજરાતમાં અત્યાર સુધીમાં મોટા ભાગના નાગરિકોને રસી અપાઈ ગઈ છે. છેલ્લા દોઢ બે વર્ષથી લોકો માસ્ક પહેરી રહ્યા છે. પણ હાલની પરિસ્થિતિમાં કોરોનાના કેસો નહીંવત હોવાથી આખો દિવસ માસ્ક પહેરવાથી ફાયદાના બદલે નુકસાન થઇ શકે છે.
માસ્કને કારણે શ્વાસમાં તાજી હવા મેળવવવામાં પણ મુશ્કેલી થાય છે. જેના કારણે અન્ય બિમારીઓ થવાનો ભય રહે છે. આથી રાજયના તમામ લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તી આપવી જોઇએ. અને માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઇને પણ સંપુર્ણ પણે નાબુદ કરવી જોઈએ. ચેમ્બરે અનુરોધ કર્યો છે કે, સરકારને યોગ્ય લાગે તો રેલ્વે અને બસ સ્ટેશનો, એરપોર્ટ, તેમજ જાહેર મેળાવડાઓમાં માસ્કનો નિયમ ફરજીયાત રાખી શકાય બાકી તમામમાંથી માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવી જોઈએ.