સામાન્ય રીતે કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેતા હોય છે
નવજાત શીશુના સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે સંવેદનાત્મક અભિગમ દાખવી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે ખાસ “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું
કલેકટર અરુણ મહેશ બાબુએ વિભાગના અધિકારી પાસેથી આ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો મેળવી
WatchGujarat. શહેરમાં નવજાત બાળકોને અવાવરૂ સ્થળે મૂકી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ મામલે જિલ્લા વહીવટી તંત્રએ અનોખો અભિગમ અપનાવ્યો છે. જેમાં તરછોડી દેવામાં આવેલ બાળકની સુરક્ષા-સલામતી માટે સીવીલ હોસ્પીટલ સ્થિત કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે “અનામી પારણું” ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેતા હોય છે. રાજકોટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં નવજાત બાળકની સુરક્ષા અને સલામતી જોખમાય છે. આવું ન બને અને નવજાત શીશુના સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે સંવેદનાત્મક અભિગમ દાખવી સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અભિનવ કાર્ય હાથ ધરાયું છે. જે માટે રાજકોટ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે ખાસ “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું છે.
આ “અનામી પારણા” માં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમને જાણ કરવામાં આવશે. ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની મંજૂરી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સોંપવામાં આવશે. બાદમાં આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક કોઈક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે.
આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ વિભાગના અધિકારી પાસેથી આ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો મેળવી હતી. તથા કે.ટી ચિલ્ડ્રન હોસ્પીટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ સારવાર અને માળખાકીય સુવિધાઓ બાબતે બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. એન.ગોસ્વામી, જિલ્લા મહિલા અને બાળકલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના મિત્સુબેન જે. વ્યાસ, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલના ડો. પંકજ બુચ, ડો. મુકેશ પટેલ, કાઠીયાવાડ બાલાશ્રમના અગ્રણી હરેશભાઇ વોરા, જિલ્લા બાળ કલ્યાણ સમીતીના સભ્ય અરૂનભાઇ નિર્મળ સહિત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એેકમના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સામાન્ય રીતે કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેતા હોય છે
નવજાત શીશુના સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે સંવેદનાત્મક અભિગમ દાખવી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે ખાસ “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું
કલેકટર અરુણ મહેશ બાબુએ વિભાગના અધિકારી પાસેથી આ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો મેળવી
WatchGujarat. શહેરમાં નવજાત બાળકોને અવાવરૂ સ્થળે મૂકી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આ મામલે જિલ્લા વહીવટી તંત્રએ અનોખો અભિગમ અપનાવ્યો છે. જેમાં તરછોડી દેવામાં આવેલ બાળકની સુરક્ષા-સલામતી માટે સીવીલ હોસ્પીટલ સ્થિત કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટ કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે “અનામી પારણું” ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે કોઇ વ્યકતિ/સ્ત્રી કે પરિવાર પોતાને ત્યાં જન્મેલ બાળકને કોઇ કારણોસર રાખવા ન ઈચ્છતા હોય ત્યારે તેને અવાવરૂ જગ્યાએ કે ઝાડી ઝાંખરા કે કચરા પેટીમાં મુકી દેતા હોય છે. રાજકોટમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં નવજાત બાળકની સુરક્ષા અને સલામતી જોખમાય છે. આવું ન બને અને નવજાત શીશુના સ્વાસ્થ્યની સલામતી અને સુરક્ષા જળવાય તે માટે સંવેદનાત્મક અભિગમ દાખવી સમાજ સુરક્ષા વિભાગ, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અભિનવ કાર્ય હાથ ધરાયું છે. જે માટે રાજકોટ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પીટલ ખાતે ખાસ “અનામી પારણું” તૈયાર કરવામાં આવ્યું છે.
આ “અનામી પારણા” માં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમને જાણ કરવામાં આવશે. ત્યાર બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની મંજૂરી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સોંપવામાં આવશે. બાદમાં આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક કોઈક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે.
આ તકે કલેકટર અરુણ મહેશ બાબુએ વિભાગના અધિકારી પાસેથી આ વ્યવસ્થા અંગે વિસ્તૃત વિગતો મેળવી હતી. તથા કે.ટી ચિલ્ડ્રન હોસ્પીટલના વિવિધ વિભાગોની મુલાકાત લઇ સારવાર અને માળખાકીય સુવિધાઓ બાબતે બાળરોગ નિષ્ણાત ડો. પંકજ બુચ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શક સુચનો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. એન.ગોસ્વામી, જિલ્લા મહિલા અને બાળકલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, જિલ્લા બાળ સુરક્ષા એકમના મિત્સુબેન જે. વ્યાસ, કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલના ડો. પંકજ બુચ, ડો. મુકેશ પટેલ, કાઠીયાવાડ બાલાશ્રમના અગ્રણી હરેશભાઇ વોરા, જિલ્લા બાળ કલ્યાણ સમીતીના સભ્ય અરૂનભાઇ નિર્મળ સહિત જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એેકમના કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના તબીબો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.