ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 45નો સ્ટાફ સંક્રમિત થયો
આ પૈકી મહિલા કોન્સ્ટેબલ સિવાય તમામ હોમ આઇસોલેટ થયા
બેડી માર્કેટ યાર્ડમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયાનું સામે આવ્યું
એક ડઝનથી વધુ વેપારીઓ અને કમિશન એજન્ટો સંક્રમિત થયા
WatchGujarat.શહેરનાં પોલીસ બેડામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અને ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 45નો સ્ટાફ સંક્રમિત થયો છે. જો કે આ પૈકી મહિલા કોન્સ્ટેબલ સિવાય તમામ હોમ આઇસોલેટ થયા છે. અને તમામની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તો બેડી માર્કેટ યાર્ડમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયાનું સામે આવ્યું છે. જેમાં એક ડઝનથી વધુ વેપારીઓ અને કમિશન એજન્ટો સંક્રમિત થયા છે. જ્યારે એક ડિરેક્ટરની તબિયત પણ નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થતા સંક્રમણ પ્રસર્યું છે. બીજીતરફ શહેરનાં લોકોમાં પણ જાગૃતિ આવી હોય તેમ મનપાનાં તમામ ટેસ્ટિંગ બુથ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી છે. અને ટેસ્ટિંગ દરમિયાન દર 100 લોકોએ 10થી વધુના રિપોર્ટ પણ પોઝીટીવ આવતા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના 45 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી એસસીએસટી સેલ એસ. બી. પટેલ, હેડક્વાર્ટરના પીઆઇ એમ. એન. બોરીસાગર, મહિલા પોલીસનાં પીએસઆઇ એસ. બી. ગઢવી સહિતનાં સામેલ છે. તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઘરે રહીને સારવાર લઇ રહ્યા છે અને તમામની તબિતય સ્વસ્થ છે. બી-ડિવીઝનના પ્રિયંકાબેન નામના કોન્સ્ટેબલને જ સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ લઇ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સીન લઇ લેવા અને તકેદારી રાખવા સુચના આપી હતી. અને મોટા ભાગના પોલીસકર્મીઓ દ્વારા બુસ્ટર ડોઝ લેવાઈ ગયો હોય કોઈને ખાસ ગંભીર અસર જોવા મળી નથી. જોકે પોલીસ અધિકારીઓ અને કર્મીઓને ફરજના ભાગરૂપે સતત બીજા લોકોના સંપર્કમાં આવવું પડતું હોય છે. તેમજ તપાસમાં બહાર જવાનું થતું હોવાથી ક્યાંક ને ક્યાંક કોરોનાની જાળમાં આવી જતાં હોય છે.
બીજીતરફ કોરોનાનાં કેસો વધતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અને હળવા લક્ષણો જણાતા લોકો ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. જેને લઈને મનપા દ્વારા ટેસ્ટિંગ માટે વધુ 10 હજાર કીટનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. બીજીતરફ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ટેસ્ટિંગ વધારી રોજ 5 હજાર ટેસ્ટ કરવામાં આવનાર હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે. અને આ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 45નો સ્ટાફ સંક્રમિત થયો
આ પૈકી મહિલા કોન્સ્ટેબલ સિવાય તમામ હોમ આઇસોલેટ થયા
બેડી માર્કેટ યાર્ડમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયાનું સામે આવ્યું
એક ડઝનથી વધુ વેપારીઓ અને કમિશન એજન્ટો સંક્રમિત થયા
WatchGujarat.શહેરનાં પોલીસ બેડામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અને ડીસીપી, એસીપી, પીઆઇ સહિત 45નો સ્ટાફ સંક્રમિત થયો છે. જો કે આ પૈકી મહિલા કોન્સ્ટેબલ સિવાય તમામ હોમ આઇસોલેટ થયા છે. અને તમામની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. તો બેડી માર્કેટ યાર્ડમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયાનું સામે આવ્યું છે. જેમાં એક ડઝનથી વધુ વેપારીઓ અને કમિશન એજન્ટો સંક્રમિત થયા છે. જ્યારે એક ડિરેક્ટરની તબિયત પણ નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં કોરોના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થતા સંક્રમણ પ્રસર્યું છે. બીજીતરફ શહેરનાં લોકોમાં પણ જાગૃતિ આવી હોય તેમ મનપાનાં તમામ ટેસ્ટિંગ બુથ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી છે. અને ટેસ્ટિંગ દરમિયાન દર 100 લોકોએ 10થી વધુના રિપોર્ટ પણ પોઝીટીવ આવતા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના 45 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થયા છે. જેમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, એસીપી એસસીએસટી સેલ એસ. બી. પટેલ, હેડક્વાર્ટરના પીઆઇ એમ. એન. બોરીસાગર, મહિલા પોલીસનાં પીએસઆઇ એસ. બી. ગઢવી સહિતનાં સામેલ છે. તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઘરે રહીને સારવાર લઇ રહ્યા છે અને તમામની તબિતય સ્વસ્થ છે. બી-ડિવીઝનના પ્રિયંકાબેન નામના કોન્સ્ટેબલને જ સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોરોના વેક્સીનનો બૂસ્ટર ડોઝ લઇ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સીન લઇ લેવા અને તકેદારી રાખવા સુચના આપી હતી. અને મોટા ભાગના પોલીસકર્મીઓ દ્વારા બુસ્ટર ડોઝ લેવાઈ ગયો હોય કોઈને ખાસ ગંભીર અસર જોવા મળી નથી. જોકે પોલીસ અધિકારીઓ અને કર્મીઓને ફરજના ભાગરૂપે સતત બીજા લોકોના સંપર્કમાં આવવું પડતું હોય છે. તેમજ તપાસમાં બહાર જવાનું થતું હોવાથી ક્યાંક ને ક્યાંક કોરોનાની જાળમાં આવી જતાં હોય છે.
બીજીતરફ કોરોનાનાં કેસો વધતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. અને હળવા લક્ષણો જણાતા લોકો ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે. જેને લઈને મનપા દ્વારા ટેસ્ટિંગ માટે વધુ 10 હજાર કીટનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. બીજીતરફ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ટેસ્ટિંગ વધારી રોજ 5 હજાર ટેસ્ટ કરવામાં આવનાર હોવાનું સિવિલ અધિક્ષકે જણાવ્યું છે. અને આ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.