સીઆર પાટીલ સીએમ સાથે મળીને રાજકીય મેળાવડા કરતા હોવાથી ગુજરાતમાં સંક્રમણ વધ્યું હોવાનો સણસણતો આક્ષેપ
કોરોનાથી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય તેમજ કાયમી નોકરી સહિત વિવિધ માંગ મોઢવાડીયાએ કરી
સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય
લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવી કોઈની પર ઉપકાર નથી કરતી
WatchGujarat.કોરોનાની મહામારી દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મૃતકોનાં આંકડા છુપાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજે દિગગજ કોંગી નેતા અર્જુન મોઢવાડીયાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય તેમજ કાયમી નોકરી સહિત વિવિધ માંગ મોઢવાડીયાએ કરી હતી. સાથે સીઆર પાટીલ સીએમ સાથે મળીને રાજકીય મેળાવડા કરતા હોવાથી ગુજરાતમાં સંક્રમણ વધ્યું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં આ અંગે રૂપાણીએ હાઇકમાન્ડને રજુઆત કરવી જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે. જેમાં અત્યાર સુધીમાં 91,810 અરજીઓ આવી છે. જેમાંથી 58,840 અરજીઓ નામંજૂર થઈ છે. તેમજ 15,000 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. અને 5,000 જેટલી અરજીઓ રીજેક્ટ કરવામાં આવી છે. ઉપરાંત 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવી કોઈની પર ઉપકાર નથી કરતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના અને અમારા નેતા રાહુલ ગાંધી છેલ્લા 5 મહિનાથી કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોરોનાને કારણે 3 લાખ કરતા વધુ મૃત્યુ થયા છે. અને તેમના પરિવારોને NDMAની જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખ મળવા જોઈએ. ત્રણ દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે 68,370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે. ઉપરાંત બીજા 24,000 કલેમ પ્રોસેસમાં છે. WHO એ પણ હમણા જણાવ્યું છે કે WHO ભારતના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતુ નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તમામ ત્રણ લાખ પરિવાર કે જે સપ્ટેમ્બર 2021 સુધીમાં મૃત્યુ પામ્યા છે તેમને વળતર મળવું જોઈએ. સરકાર મૃતક પરિવારની પાસે અરજી કરવાની અપેક્ષા શા માટે રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ. તેમજ આંકડા છુપાવનાર વ્યક્તિઓ સામે પગલા લેવા જોઈએ અને સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેના પરિવારજનને કાયમી નોકરી આપવી જોઈએ. અને હાલ સરકાર ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં તથા નુકસાનને અટકાવી શકાય.
આ પત્રકાર પરિષદ દરમિયાન મોઢવાડીયાએ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપર નામજોગ પ્રહારો કર્યા હતા. અને તેમના કહેવાથી મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા ઠેર-ઠેર રાજકીય મેળાવડાઓ કરવામાં આવતા હોવાને કારણે ગુજરાતમાં ત્રીજી લહેરનું સંક્રમણ પણ વધ્યું હોવાનાં આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ પાટીલ કોઈનું પણ માનતા નહીં હોવાથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે હાઇકમાન્ડને રજુઆત કરવાની સલાહ પણ તેમણે આપી હતી. અને સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ તેઓએ કરી હતી.
સીઆર પાટીલ સીએમ સાથે મળીને રાજકીય મેળાવડા કરતા હોવાથી ગુજરાતમાં સંક્રમણ વધ્યું હોવાનો સણસણતો આક્ષેપ
કોરોનાથી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય તેમજ કાયમી નોકરી સહિત વિવિધ માંગ મોઢવાડીયાએ કરી
સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય
લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવી કોઈની પર ઉપકાર નથી કરતી
WatchGujarat.કોરોનાની મહામારી દરમિયાન ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મૃતકોનાં આંકડા છુપાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે આજે દિગગજ કોંગી નેતા અર્જુન મોઢવાડીયાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલાનાં પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય તેમજ કાયમી નોકરી સહિત વિવિધ માંગ મોઢવાડીયાએ કરી હતી. સાથે સીઆર પાટીલ સીએમ સાથે મળીને રાજકીય મેળાવડા કરતા હોવાથી ગુજરાતમાં સંક્રમણ વધ્યું હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં આ અંગે રૂપાણીએ હાઇકમાન્ડને રજુઆત કરવી જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી હતી.
અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચુકવવા મામલે થયેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે, સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે. જેમાં અત્યાર સુધીમાં 91,810 અરજીઓ આવી છે. જેમાંથી 58,840 અરજીઓ નામંજૂર થઈ છે. તેમજ 15,000 જેટલી અરજીઓ પેન્ડીંગ છે. અને 5,000 જેટલી અરજીઓ રીજેક્ટ કરવામાં આવી છે. ઉપરાંત 11,000 જેટલી અરજીઓ પ્રોસેસમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તકનીકી કારણો પર સરકાર લોકોની અરજીઓ નામંજૂર ના કરે અને જેની અરજી નામંજૂર કરો છો એમને કારણો આપો છો ? સરકાર માફી માંગે એ નહિ ચાલે અને મૃતકોના પરિવારજનોને વળતર ચુકવણીમાં વિલંબ નહિ ચલાવી લેવાય. લોકો સરકારની દયા પર નથી જીવતા સરકાર વળતર ચૂકવી કોઈની પર ઉપકાર નથી કરતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના અને અમારા નેતા રાહુલ ગાંધી છેલ્લા 5 મહિનાથી કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોરોનાને કારણે 3 લાખ કરતા વધુ મૃત્યુ થયા છે. અને તેમના પરિવારોને NDMAની જોગવાઈ મુજબ રૂપિયા 4 લાખ મળવા જોઈએ. ત્રણ દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે જણાવ્યું કે તેમણે 68,370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે. ઉપરાંત બીજા 24,000 કલેમ પ્રોસેસમાં છે. WHO એ પણ હમણા જણાવ્યું છે કે WHO ભારતના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતુ નથી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, તમામ ત્રણ લાખ પરિવાર કે જે સપ્ટેમ્બર 2021 સુધીમાં મૃત્યુ પામ્યા છે તેમને વળતર મળવું જોઈએ. સરકાર મૃતક પરિવારની પાસે અરજી કરવાની અપેક્ષા શા માટે રાખે છે? તેણે હોસ્પિટલ વગેરે પાસેથી પણ માહિતી મેળવી વળતર આપવું જોઈએ. તેમજ આંકડા છુપાવનાર વ્યક્તિઓ સામે પગલા લેવા જોઈએ અને સરકારી કર્મચારીઓના મૃત્યુ થયા છે તેના પરિવારજનને કાયમી નોકરી આપવી જોઈએ. અને હાલ સરકાર ત્રીજા વેવમાં જે આંકડા આપે છે તેની ભરોસા પાત્રતા કેટલી ? સરકારે પોતાની અક્ષમતા અને ભૂલનો સ્વીકાર કરી સારી તૈયારી કરવી જોઈએ તેમજ આરોગ્ય વ્યવસ્થા સુધારવી જોઈએ જેથી ત્રીજા વેવમાં તથા નુકસાનને અટકાવી શકાય.
આ પત્રકાર પરિષદ દરમિયાન મોઢવાડીયાએ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપર નામજોગ પ્રહારો કર્યા હતા. અને તેમના કહેવાથી મુખ્યમંત્રી સહિતનાઓ દ્વારા ઠેર-ઠેર રાજકીય મેળાવડાઓ કરવામાં આવતા હોવાને કારણે ગુજરાતમાં ત્રીજી લહેરનું સંક્રમણ પણ વધ્યું હોવાનાં આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ પાટીલ કોઈનું પણ માનતા નહીં હોવાથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે હાઇકમાન્ડને રજુઆત કરવાની સલાહ પણ તેમણે આપી હતી. અને સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ કરવાની માંગ પણ તેઓએ કરી હતી.