ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક નજીક હતા
ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતા
WatchGujarat. શહેરનાં 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક માથા-મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી પ્રૌઢની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીની કલામોમાં હત્યારાને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે. જો કે હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ બનાવને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ ઉપર ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક નજીક હતા. ત્યારે તેનાં જ પરિચીત કે જે રાજકોટ જિલ્લામાં રહે છે. તેની સાથે કોઈ કારણે માથાકુટ થઈ હતી. જેને લઈ ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં માલવીયા નગર પી.આઈ. કે.એન. ભુકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે આરોપીને ઘટના સ્થળથી થોડે દુર પકડી પાડી પુછપરછ શરૂ કરી હતી. જો કે, હત્યા પાછળનું કારણ મોડી રાત સુધી બહાર આવ્યું ન હતું.
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતાં. પત્નીનું આશરે દશેક વર્ષ પહેલાં મૃત્યું નિપજયું હતું. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધી સાથે રહે છે. દિનેશભાઈ રાજકોટમાં રહી છુટક ડ્રાઈવીંગ કામ કરતા હતાં. હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા મથામણ શરૂ કરી છે.
ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક નજીક હતા
ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતા
WatchGujarat. શહેરનાં 150 ફૂટ રિંગરોડ પર ગોવર્ધન ચોક નજીક માથા-મોઢા પર પથ્થરનાં ઘા ઝીંકી પ્રૌઢની નિર્મમ હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં મૃતક મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામના હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીની કલામોમાં હત્યારાને સકંજામાં લઈ પુછપરછ શરૂ કરી છે. જો કે હત્યાનું કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ બનાવને લઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે.
જાણવા મળતી વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ ઉપર ખોડીયાર નગરમાં રહેતા મુળ કોટડા સાંગાણીનાં નાની મેંગણી ગામનાં 45 વર્ષીય દિનેશભાઈ પોપટભાઈ સરમાની રાત્રે ગૌવર્ધન ચોક નજીક હતા. ત્યારે તેનાં જ પરિચીત કે જે રાજકોટ જિલ્લામાં રહે છે. તેની સાથે કોઈ કારણે માથાકુટ થઈ હતી. જેને લઈ ઉશ્કેરાયેલા આ શખ્સે દિનેશભાઈ પર પથ્થરનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં માલવીયા નગર પી.આઈ. કે.એન. ભુકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે આરોપીને ઘટના સ્થળથી થોડે દુર પકડી પાડી પુછપરછ શરૂ કરી હતી. જો કે, હત્યા પાછળનું કારણ મોડી રાત સુધી બહાર આવ્યું ન હતું.
મૃતકનાં પરિવારજનોએ જણાવ્યું કે, દિનેશભાઈ ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચેટ હતાં. પત્નીનું આશરે દશેક વર્ષ પહેલાં મૃત્યું નિપજયું હતું. તેને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. જે પૈકી એક દીકરો અને દીકરી અલગ અલગ સંબંધી સાથે રહે છે. દિનેશભાઈ રાજકોટમાં રહી છુટક ડ્રાઈવીંગ કામ કરતા હતાં. હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા મથામણ શરૂ કરી છે.