વિજય રૂપાણીનાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ નવા લોકોને તક આપવા નિર્ણય કર્યો
મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે. અને પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન પણ સાકાર થશે - વિજય રૂપાણી
વિજય રૂપાણીએ સી.એમ. તરીકે લોન્ચ કરેલી યોજના અંતર્ગત હવે તેઓ એક ધારાસભ્ય તરીકે બાળકોને સહાયની રકમની પ્રતીક ચૂકવણી કરશે
WatchGujarat. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત વિજય રૂપાણી માદરે વતન આવી પહોંચ્યા હતા. ગતરાત્રે તેઓ મોટરમાર્ગે અહીં પહોંચતા જ સ્થાનિક ભાજપનાં દિગ્ગજ નેતાઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા મુખ્યમંત્રી અને મંત્રી મંડળનાં શપથગ્રહણ પૂર્ણ કરાવીને આવ્યો છું. હવે હળવાશ અનુભવું છું.
https://youtu.be/37SaNASDn4I
વિજય રૂપાણીનાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ નવા લોકોને તક આપવા આ નિર્ણય કર્યો છે. નવી ઉર્જા, નવા વાતાવરણમાં ગુજરાતનાં વિકાસનાં કામોને આગળ વધારી શકાય તે માટે પાર્ટીએ કરેલા નિર્ણયની બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. નવા મંત્રીઓને કામ સોંપીને તેમની શપથવિધિ કરાવીને આવ્યો છું. મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે. અને પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન પણ સાકાર થશે. ખૂબ હળવાશ સાથે મુક્ત થઈને વતનમાં આવવાનો આનંદ છે.
ગત મોડી સાંજે જ ગાંધીનગરથી હેલીકોપ્ટરને બદલે મોટર માર્ગે રવાના થઈને વિજય રૂપાણી રાતે રાજકોટ પહોંચ્યા હતા. જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું હતું કે, શુક્રવાર સવારે 10:30થી બપોરે 12 સુધીમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2, સ્વચ્છ ભારત મિશન ફેઝ-2, સો ટકા રસીકરણવાળા ગામોના સરપંચોનું સન્માન અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ પાંચે'ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
વિજય રૂપાણીએ સી.એમ. તરીકે લોન્ચ કરેલી યોજના અંતર્ગત હવે તેઓ એક ધારાસભ્ય તરીકે બાળકોને સહાયની રકમની પ્રતીક ચૂકવણી કરશે. બોડકદેવ- અમદાવાદથી નવા મુખ્યમંત્રીની હાજરીવાળા જે કાર્યક્રમનું રાજયભરમાં લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે તે તેઓ રૂપાણી રાજકોટથી નિહાળશે. પોલીસ તંત્રનાં જણાવ્યા મુજબ હજુ રૂપાણીની સિક્યુરિટી પરત લેવામાં આવી નથી.
વિજય રૂપાણીનાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ નવા લોકોને તક આપવા નિર્ણય કર્યો
મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે. અને પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન પણ સાકાર થશે - વિજય રૂપાણી
વિજય રૂપાણીએ સી.એમ. તરીકે લોન્ચ કરેલી યોજના અંતર્ગત હવે તેઓ એક ધારાસભ્ય તરીકે બાળકોને સહાયની રકમની પ્રતીક ચૂકવણી કરશે
WatchGujarat. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત વિજય રૂપાણી માદરે વતન આવી પહોંચ્યા હતા. ગતરાત્રે તેઓ મોટરમાર્ગે અહીં પહોંચતા જ સ્થાનિક ભાજપનાં દિગ્ગજ નેતાઓએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે રૂપાણીએ જણાવ્યું હતું કે, નવા મુખ્યમંત્રી અને મંત્રી મંડળનાં શપથગ્રહણ પૂર્ણ કરાવીને આવ્યો છું. હવે હળવાશ અનુભવું છું.
વિજય રૂપાણીનાં જણાવ્યા અનુસાર, ભારતીય જનતા પાર્ટીએ નવા લોકોને તક આપવા આ નિર્ણય કર્યો છે. નવી ઉર્જા, નવા વાતાવરણમાં ગુજરાતનાં વિકાસનાં કામોને આગળ વધારી શકાય તે માટે પાર્ટીએ કરેલા નિર્ણયની બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. નવા મંત્રીઓને કામ સોંપીને તેમની શપથવિધિ કરાવીને આવ્યો છું. મને વિશ્વાસ છે કે ભુપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત ખૂબ આગળ વધશે. અને પ્રધાનમંત્રી મોદીનું સ્વપ્ન પણ સાકાર થશે. ખૂબ હળવાશ સાથે મુક્ત થઈને વતનમાં આવવાનો આનંદ છે.
ગત મોડી સાંજે જ ગાંધીનગરથી હેલીકોપ્ટરને બદલે મોટર માર્ગે રવાના થઈને વિજય રૂપાણી રાતે રાજકોટ પહોંચ્યા હતા. જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું હતું કે, શુક્રવાર સવારે 10:30થી બપોરે 12 સુધીમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-2, સ્વચ્છ ભારત મિશન ફેઝ-2, સો ટકા રસીકરણવાળા ગામોના સરપંચોનું સન્માન અને મુખ્યમંત્રી બાલ સેવા યોજનાના લાભાર્થીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એ પાંચે'ક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
વિજય રૂપાણીએ સી.એમ. તરીકે લોન્ચ કરેલી યોજના અંતર્ગત હવે તેઓ એક ધારાસભ્ય તરીકે બાળકોને સહાયની રકમની પ્રતીક ચૂકવણી કરશે. બોડકદેવ- અમદાવાદથી નવા મુખ્યમંત્રીની હાજરીવાળા જે કાર્યક્રમનું રાજયભરમાં લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે તે તેઓ રૂપાણી રાજકોટથી નિહાળશે. પોલીસ તંત્રનાં જણાવ્યા મુજબ હજુ રૂપાણીની સિક્યુરિટી પરત લેવામાં આવી નથી.