ક્રિસ્ટલ હેવન બિલ્ડીંગ એ-વિંગમાં 12 મા માળે વૃધ્ધ દંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં ૧૦૮નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આપઘાત કરનાર વૃધ્ધનું નામ 60 વર્ષીય ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા અને તેમના પત્નિનું નામ 58 વર્ષીય નિર્મલાબેન ચાવડા હોવાનું ખુલ્યું
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી
[caption id="attachment_1390551" align="aligncenter" width="640"] Rajkot - couple end life[/caption]
WatchGujarat. શહેરનાં ક્રિસ્ટલ હેવન નામના બહુમાળી બિલ્ડિંગના વૈભવી ફલેટમાં આજે એક દરજી દંપતિએ ગળાફાંસો ખાઈને સજોડે જ આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઈ છે. બપોરે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. દરજી પ્રૌઢ ગારર્મેન્ટનો ધંધો કરતા હોય પરંતુ કોરોનાના કારણે ધંધામાં મંદી આવી જતા દેણુ વધી ગયું હતું. અને આ કારણે બંનેએ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મવડી ગામના સ્મશાન નજીક આવેલા ક્રિસ્ટલ હેવન બિલ્ડીંગ એ-વિંગમાં ૧૨મા માળે વૃધ્ધ દંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં ૧૦૮નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં ફલેટમાં બંનેના લટકતા મૃતદેહ જોવા મળ્યા હતાં. તેમણે તપાસ કરી બંનેને મૃત જાહે૨ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસનાં PSI મોરવાડીયા સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, આપઘાત કરનાર વૃધ્ધનું નામ 60 વર્ષીય ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા અને તેમના પત્નિનું નામ 58 વર્ષીય નિર્મલાબેન ચાવડા હોવાનું ખુલ્યું હતું. આ પતિ-પત્નિને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે અને પુત્ર અલગ રહે છે. ગોપાલભાઇને રેડીમેઇડ ગારમેન્ટની દૂકાન હતી. ગોપાલભાઈએ એક ચિઠ્ઠીમાં લખ્યું છે કે, કોરોના ઉપરાંત ધંધામાં નુકસાનને કારણે દેણું થઇ ગયું હતું. બેડી ગામનો પ્લોટ વેંચી દેણું ચુકવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તેમણે મવડીમાં ક્રિસ્ટલ હેવનમાં ફ્લેટ લીધો હતો. તેમજ બંને ફ્લેટમાં એકલા રહેતા હતા. પતિ-પત્નિએ ગઇકાલે આપઘાત કરી લીધાનું અને આજે તેમના પુત્ર ઘરે આવતાં ઘટના જાહેર થયાનું બહાર આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ તો પોલીસે આ બનાવ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.
આપઘાત કરનાર વૃધ્ધનું નામ 60 વર્ષીય ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા અને તેમના પત્નિનું નામ 58 વર્ષીય નિર્મલાબેન ચાવડા હોવાનું ખુલ્યું
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી
[caption id="attachment_1390551" align="aligncenter" width="640"] Rajkot - couple end life[/caption]
WatchGujarat. શહેરનાં ક્રિસ્ટલ હેવન નામના બહુમાળી બિલ્ડિંગના વૈભવી ફલેટમાં આજે એક દરજી દંપતિએ ગળાફાંસો ખાઈને સજોડે જ આપઘાત વહોરી લેતા અરેરાટી ફેલાઈ છે. બપોરે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. દરજી પ્રૌઢ ગારર્મેન્ટનો ધંધો કરતા હોય પરંતુ કોરોનાના કારણે ધંધામાં મંદી આવી જતા દેણુ વધી ગયું હતું. અને આ કારણે બંનેએ આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મવડી ગામના સ્મશાન નજીક આવેલા ક્રિસ્ટલ હેવન બિલ્ડીંગ એ-વિંગમાં ૧૨મા માળે વૃધ્ધ દંપતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં ૧૦૮નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં ફલેટમાં બંનેના લટકતા મૃતદેહ જોવા મળ્યા હતાં. તેમણે તપાસ કરી બંનેને મૃત જાહે૨ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસનાં PSI મોરવાડીયા સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, આપઘાત કરનાર વૃધ્ધનું નામ 60 વર્ષીય ગોપાલભાઇ પોપટભાઇ ચાવડા અને તેમના પત્નિનું નામ 58 વર્ષીય નિર્મલાબેન ચાવડા હોવાનું ખુલ્યું હતું. આ પતિ-પત્નિને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સાસરે છે અને પુત્ર અલગ રહે છે. ગોપાલભાઇને રેડીમેઇડ ગારમેન્ટની દૂકાન હતી. ગોપાલભાઈએ એક ચિઠ્ઠીમાં લખ્યું છે કે, કોરોના ઉપરાંત ધંધામાં નુકસાનને કારણે દેણું થઇ ગયું હતું. બેડી ગામનો પ્લોટ વેંચી દેણું ચુકવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા તેમણે મવડીમાં ક્રિસ્ટલ હેવનમાં ફ્લેટ લીધો હતો. તેમજ બંને ફ્લેટમાં એકલા રહેતા હતા. પતિ-પત્નિએ ગઇકાલે આપઘાત કરી લીધાનું અને આજે તેમના પુત્ર ઘરે આવતાં ઘટના જાહેર થયાનું બહાર આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હાલ તો પોલીસે આ બનાવ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.