સ્વાતંત્ર્ય સેનાનીઓની આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા હોવા છતાં આ માત્ર પોતાની દેશ પ્રત્યેની ફરજ હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યા છે
એક મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા આજે 92 વર્ષની ઉંમરે પણ અડીખમ
નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે
WatchGujarat. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. રાજકોટમાં પણ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ સીએમ વિજય રૂપાણીની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરનાં એરપોર્ટ રોડ નજીક એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ આ રક્તથી પ્રખર સ્વયંસેવક અને સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રક્તતુલા કરવામાં આવી હતી.
https://youtu.be/b6hgnTCZYCo
જાણો કોણ છે સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા
ઘણા એવા લોકો છે જેઓ આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા હોવા છતાં આ માત્ર પોતાની દેશ પ્રત્યેની ફરજ હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યા છે. એવા જ એક મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા આજે 92 વર્ષની ઉંમરે પણ અડીખમ છે. છાપાઓ વાંચવાનો શોખ ધરાવતા મનસુખભાઇને આજે પણ ચશ્માની જરૂર પડતી નથી. જેના એક અવાજ પર ભાજપનાં તમામ દિગ્ગજ નેતા કોઈપણ વ્યવસ્થા કરી આપે તેમ છે તે મનસુખભાઇ આજે પણ સાયકલ ચલાવે છે. તે ખાદી સિવાયનાં વસ્ત્રો ક્યારેય પણ પહેરતા નથી. તેમનું બાળપણ ગુલામીમાં વીત્યું હતું. જોકે સંસારી જીવન જીવતા મનસુખભાઇએ આઝાદી માટેની લડાઈ માટે પણ ઘણું મોટું યોગદાન આપ્યું હતું.
આઝાદી બાદ પણ મનસુખભાઇએ તેનું સંપૂર્ણ જીવન સેવાના કામો માટે જ અર્પણ કર્યું છે. નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ શુક્લ અને તેમના પરિવાર સાથે મનસુખભાઇનો આજે પણ ઘરોબો છે. શાખામાં રહી અનેક સેવા કાર્યો કર્યા હોવાથી ખુદ પૂર્વ CM રૂપાણી અને PM મોદી પણ મનસુખભાઇને સારી રીતે જાણે છે. અને તેમની કોઈપણ માંગ પુરી કરવા માટે સદાય તત્પર છે. પરંતુ મનસુખભાઇને હંમેશા લેવાની બદલે આપવાની જ વૃત્તિ રાખી છે. થોડા વર્ષો પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજકોટ આવ્યા હતા, ત્યારે પુરાવાઓ સાથે મનસુખભાઇ તેમને સવાલો કરવા પહોંચી ગયા હતા. અને સવાલોની ઝડી વરસાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આવી કોઈપણ વાતનો ગર્વ લેવાને બદલે મનસુખભાઇએ સતત લોકસેવાને પોતાનો ધર્મ માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિને રાજકોટમાં મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ગરીબ પરિવારોને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. જેમાં ત્રિવેદીના હસ્તે ઉજવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન કીટ, મુખ્યમંત્રી બાલ સેવા યોજનામાં એક વાલીના બાળકોને સહાય મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે સાથે 100 ટકા કોરોના રસીકરણ વાળા ગામોના સરપંચોનુ સન્માન પણ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. ઉપરાંત પદ્માકુવરબા હોસ્પિટલનાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ કરાયું હતું. તેમજ બીએપીએસ મંદિર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરીબ લક્ષી સેવા યજ્ઞ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.
સ્વાતંત્ર્ય સેનાનીઓની આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા હોવા છતાં આ માત્ર પોતાની દેશ પ્રત્યેની ફરજ હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યા છે
એક મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા આજે 92 વર્ષની ઉંમરે પણ અડીખમ
નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે
WatchGujarat. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. રાજકોટમાં પણ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ સીએમ વિજય રૂપાણીની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે શહેરનાં એરપોર્ટ રોડ નજીક એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ આ રક્તથી પ્રખર સ્વયંસેવક અને સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રક્તતુલા કરવામાં આવી હતી.
જાણો કોણ છે સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા
ઘણા એવા લોકો છે જેઓ આઝાદી મેળવવા માટેની લડાઈમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા હોવા છતાં આ માત્ર પોતાની દેશ પ્રત્યેની ફરજ હોવાનું માની સામાન્ય જીવન જીવી રહ્યા છે. એવા જ એક મુઠ્ઠી ઉંચેરા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઈ છાપીયા આજે 92 વર્ષની ઉંમરે પણ અડીખમ છે. છાપાઓ વાંચવાનો શોખ ધરાવતા મનસુખભાઇને આજે પણ ચશ્માની જરૂર પડતી નથી. જેના એક અવાજ પર ભાજપનાં તમામ દિગ્ગજ નેતા કોઈપણ વ્યવસ્થા કરી આપે તેમ છે તે મનસુખભાઇ આજે પણ સાયકલ ચલાવે છે. તે ખાદી સિવાયનાં વસ્ત્રો ક્યારેય પણ પહેરતા નથી. તેમનું બાળપણ ગુલામીમાં વીત્યું હતું. જોકે સંસારી જીવન જીવતા મનસુખભાઇએ આઝાદી માટેની લડાઈ માટે પણ ઘણું મોટું યોગદાન આપ્યું હતું.
આઝાદી બાદ પણ મનસુખભાઇએ તેનું સંપૂર્ણ જીવન સેવાના કામો માટે જ અર્પણ કર્યું છે. નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ શુક્લ અને તેમના પરિવાર સાથે મનસુખભાઇનો આજે પણ ઘરોબો છે. શાખામાં રહી અનેક સેવા કાર્યો કર્યા હોવાથી ખુદ પૂર્વ CM રૂપાણી અને PM મોદી પણ મનસુખભાઇને સારી રીતે જાણે છે. અને તેમની કોઈપણ માંગ પુરી કરવા માટે સદાય તત્પર છે. પરંતુ મનસુખભાઇને હંમેશા લેવાની બદલે આપવાની જ વૃત્તિ રાખી છે. થોડા વર્ષો પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજકોટ આવ્યા હતા, ત્યારે પુરાવાઓ સાથે મનસુખભાઇ તેમને સવાલો કરવા પહોંચી ગયા હતા. અને સવાલોની ઝડી વરસાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જો કે આવી કોઈપણ વાતનો ગર્વ લેવાને બદલે મનસુખભાઇએ સતત લોકસેવાને પોતાનો ધર્મ માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના જન્મદિને રાજકોટમાં મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ગરીબ પરિવારોને વિવિધ લાભોનું વિતરણ કરાયું હતું. જેમાં ત્રિવેદીના હસ્તે ઉજવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેક્શન કીટ, મુખ્યમંત્રી બાલ સેવા યોજનામાં એક વાલીના બાળકોને સહાય મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સાથે સાથે 100 ટકા કોરોના રસીકરણ વાળા ગામોના સરપંચોનુ સન્માન પણ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. ઉપરાંત પદ્માકુવરબા હોસ્પિટલનાં ઓક્સિજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ કરાયું હતું. તેમજ બીએપીએસ મંદિર હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરીબ લક્ષી સેવા યજ્ઞ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો.