PM મોદીનાં અતિપ્રિય એવા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાનું આજે 92 વર્ષની જૈફ વયે નિધન થયું
છેલ્લા થોડા વખતથી પ્રોસ્ટેટની બીમારીથી પીડાતા હતા
પરિવાર અને સંબંધીઓએ પણ ભગવાન રામનાં નામને બદલે 'વંદેમાતરમ' અને 'જય હિન્દ'નાં નારા સાથે મનસુખભાઇબે અંતિમ વિદાઇ આપી
WatchGujarat. મન-વચન અને કર્મથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (શાખા)ને વરેલા અને ખુદ PM મોદીનાં અતિપ્રિય એવા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાનું આજે 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા વખતથી પ્રોસ્ટેટની બીમારીથી પીડાતા હતા. મહત્વની વાત છે કે, પરિવાર અને સંબંધીઓએ પણ ભગવાન રામનાં નામને બદલે 'વંદેમાતરમ' અને 'જય હિન્દ'નાં નારા સાથે મનસુખભાઇબે અંતિમ વિદાઇ આપી હતી. એટલું જ નહીં તેમની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન કરવામાં આવતા મૃત્યુ બાદ પણ તેઓ પાંચ કરતા વધુ લોકોને નવજીવન આપી ગયા હતા.
મનસુખભાઇ છાપીયાનો નિત્યક્રમ સંઘની શાખાથી શરૂ થતો હતો. કોઈપણ સ્વાર્થ વિના તેઓએ જીવન પર્યંત સેવાને જ પોતાનો ધર્મ માન્યો હતો. આજીવન સાયકલ ચલાવવી, ખાદીનાં ઇસ્ત્રી વગરનાં કપડાં પહેરવા જેવા ગાંધી વિચારોને તેમણે પોતાના જીવનમાં અમલી કર્યા હતા. ભારતનાં ભાગ્ય વિધાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અતિપ્રિય તેમજ સંઘની શાખા દ્વારા હજારો સ્વયંસેવકો તૈયાર કરનાર મનસુખભાઇ સેવા સાદગી અને સમર્પણનાં પ્રતીક હતા. અને તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રભાવનાને વરેલા સ્વયંસેવક રહ્યા હતા.
મનસુખભાઇનાં 4 પુત્રો જગદીશભાઈ, સુનિલભાઈ, વિમલભાઈ અને પિયુષભાઈનાં જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ જ પિતાને ભવિષ્યનો અંદાજ આવી ગયો હતો. અને તેમણે પરિવારને એકત્ર કરીને જો પોતાને કંઈપણ થાય તો દેહદાન કરવું તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. અને આ વાતને ગણતરીના દિવસોમાં જ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની આ અંતિમ ઈચ્છા અનુસાર, ચક્ષુદાન કર્યા બાદ કાલાવડ રોડ પર આવેલ ગારડી મેડીકલ કોલેજ ખાતે તેઓના પાર્થિવદેહની સોંપણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મનસુખભાઇએ તેનું સંપૂર્ણ જીવન સેવાના કામો માટે જ અર્પણ કર્યું છે. નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ શુક્લ અને તેમના પરિવાર સાથે મનસુખભાઇનો આજે પણ ઘરોબો છે. શાખામાં રહી અનેક સેવા કાર્યો કર્યા હોવાથી પૂર્વ CM રૂપાણી અને PM મોદીનાં પણ મનસુખભાઇ પ્રિય છે. થોડા વર્ષો પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજકોટ આવ્યા હતા, ત્યારે પુરાવાઓ સાથે મનસુખભાઇ તેમને સવાલો કરવા પહોંચી ગયા હતા. અને સવાલોની ઝડી વરસાવી હતી. બાદમાં પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
જો કે આવી કોઈપણ વાતનો ગર્વ લેવાને બદલે મનસુખભાઇએ સતત લોકસેવાને પોતાનો ધર્મ માન્યો હતો. તાજેતરમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મનસુખભાઈનું રકતતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. તથા મોઢવણિક જ્ઞાતિ દ્વારા પણ શાનદાર અભિવાદન કરાયું હતું. પરંતુ આવા માન-સન્માનથી પર રહેલા મુઠ્ઠી ઉચેરા મનસુખભાઈ અલગારી ઓલીયાની જેવું જીવન જીવી ગયા છે. છેલ્લા બે વર્ષથી તેઓ પ્રોટેસ્ટની બીમારીથી પીડાતા હોવા છતાં છેલ્લે સુધી છાપાઓ વાંચવાનો નિત્યક્રમ પણ તેઓ ક્યારેય ચુક્યા નથી.
PM મોદીનાં અતિપ્રિય એવા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાનું આજે 92 વર્ષની જૈફ વયે નિધન થયું
છેલ્લા થોડા વખતથી પ્રોસ્ટેટની બીમારીથી પીડાતા હતા
પરિવાર અને સંબંધીઓએ પણ ભગવાન રામનાં નામને બદલે 'વંદેમાતરમ' અને 'જય હિન્દ'નાં નારા સાથે મનસુખભાઇબે અંતિમ વિદાઇ આપી
WatchGujarat. મન-વચન અને કર્મથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (શાખા)ને વરેલા અને ખુદ PM મોદીનાં અતિપ્રિય એવા સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાનું આજે 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા વખતથી પ્રોસ્ટેટની બીમારીથી પીડાતા હતા. મહત્વની વાત છે કે, પરિવાર અને સંબંધીઓએ પણ ભગવાન રામનાં નામને બદલે 'વંદેમાતરમ' અને 'જય હિન્દ'નાં નારા સાથે મનસુખભાઇબે અંતિમ વિદાઇ આપી હતી. એટલું જ નહીં તેમની અંતિમ ઈચ્છા અનુસાર દેહદાન કરવામાં આવતા મૃત્યુ બાદ પણ તેઓ પાંચ કરતા વધુ લોકોને નવજીવન આપી ગયા હતા.
મનસુખભાઇ છાપીયાનો નિત્યક્રમ સંઘની શાખાથી શરૂ થતો હતો. કોઈપણ સ્વાર્થ વિના તેઓએ જીવન પર્યંત સેવાને જ પોતાનો ધર્મ માન્યો હતો. આજીવન સાયકલ ચલાવવી, ખાદીનાં ઇસ્ત્રી વગરનાં કપડાં પહેરવા જેવા ગાંધી વિચારોને તેમણે પોતાના જીવનમાં અમલી કર્યા હતા. ભારતનાં ભાગ્ય વિધાતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અતિપ્રિય તેમજ સંઘની શાખા દ્વારા હજારો સ્વયંસેવકો તૈયાર કરનાર મનસુખભાઇ સેવા સાદગી અને સમર્પણનાં પ્રતીક હતા. અને તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રભાવનાને વરેલા સ્વયંસેવક રહ્યા હતા.
મનસુખભાઇનાં 4 પુત્રો જગદીશભાઈ, સુનિલભાઈ, વિમલભાઈ અને પિયુષભાઈનાં જણાવ્યા અનુસાર, થોડા દિવસો અગાઉ જ પિતાને ભવિષ્યનો અંદાજ આવી ગયો હતો. અને તેમણે પરિવારને એકત્ર કરીને જો પોતાને કંઈપણ થાય તો દેહદાન કરવું તેવો સંકલ્પ લેવડાવ્યો હતો. અને આ વાતને ગણતરીના દિવસોમાં જ આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની આ અંતિમ ઈચ્છા અનુસાર, ચક્ષુદાન કર્યા બાદ કાલાવડ રોડ પર આવેલ ગારડી મેડીકલ કોલેજ ખાતે તેઓના પાર્થિવદેહની સોંપણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મનસુખભાઇએ તેનું સંપૂર્ણ જીવન સેવાના કામો માટે જ અર્પણ કર્યું છે. નાનપણથી જ RSSનાં સમર્થક મનસુખભાઇએ મોરબી હોનારતનાં સમયે રૂ. 10 હજારની લોન લઈ લોકોની સેવા કરી છે. પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ શુક્લ અને તેમના પરિવાર સાથે મનસુખભાઇનો આજે પણ ઘરોબો છે. શાખામાં રહી અનેક સેવા કાર્યો કર્યા હોવાથી પૂર્વ CM રૂપાણી અને PM મોદીનાં પણ મનસુખભાઇ પ્રિય છે. થોડા વર્ષો પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ રાજકોટ આવ્યા હતા, ત્યારે પુરાવાઓ સાથે મનસુખભાઇ તેમને સવાલો કરવા પહોંચી ગયા હતા. અને સવાલોની ઝડી વરસાવી હતી. બાદમાં પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના ભાષણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
જો કે આવી કોઈપણ વાતનો ગર્વ લેવાને બદલે મનસુખભાઇએ સતત લોકસેવાને પોતાનો ધર્મ માન્યો હતો. તાજેતરમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા મનસુખભાઈનું રકતતુલાથી સન્માન કરવામાં આવ્યું હતું. તથા મોઢવણિક જ્ઞાતિ દ્વારા પણ શાનદાર અભિવાદન કરાયું હતું. પરંતુ આવા માન-સન્માનથી પર રહેલા મુઠ્ઠી ઉચેરા મનસુખભાઈ અલગારી ઓલીયાની જેવું જીવન જીવી ગયા છે. છેલ્લા બે વર્ષથી તેઓ પ્રોટેસ્ટની બીમારીથી પીડાતા હોવા છતાં છેલ્લે સુધી છાપાઓ વાંચવાનો નિત્યક્રમ પણ તેઓ ક્યારેય ચુક્યા નથી.