ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપી અનેકને ઝાંસામાં લીધા
યુવતિએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ. 1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ. 4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા
ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી
WatchGujarat. રાજકોટ શહેરમાં LRD-PSIની ભરતી મામલે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પોતે એક મંત્રીની ભત્રીજી હોવાનું કહીને ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીએ 12 જેટલા લોકોને કોઈપણ પરીક્ષા વિના સીધી ભરતીની લાલચ આપી હતી. અને આ માટે કુલ રૂ. 15 લાખ પડાવ્યા હતા. જો કે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે આશિષ સિયારામ ભગતની ફરિયાદ પરથી બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી છે.
જાણવા મળતી વિગત અનુસાર ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપતી હતી. તેમજ ભરતી બોર્ડમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાનું કહીને તેણીએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ. 1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ. 4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા. જોકે ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંટી-બબલી વિદેશ ભાગે તે પહેલાં ઝડપી લીધા હતા.
હાલ પોલીસ દ્વારા આ મામલે આરોપી ક્રિષ્ના ભરડવા અને જેનિશની ધરપકડ થઈ છે. આ પોલીસ કૌભાંડ સમગ્ર સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. જેને લઈને ભરતી બોર્ડ વતી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આવી કોઇ પણ લાલચમાં આવવું નહી. આવી રીતે ભરતી શક્ય નથી. જે વ્યક્તિ પાસ થાય તે પોતાની મહેનત થકી જ થઇ શકશે. તો સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને આવી કોઇ જ લાલચમાં નહી આવવા માટેની નાગરિકોને અપીલ કરી હતી. અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વખાણી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. એક પછી એક પેપર ફુટે છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. અને આખરે સરકાર ખાંડા ખખડાવીને ભરતીઓ રદ્દ કરે છે. જો કે આ રદ્દ થયેલી ભરતીઓ વર્ષો સુધી લટકેલી રહે છે. તેવામાં રાજકોટ પોલીસે વિદેશ નાસી છૂટે તે પહેલાં બંને આરોપીઓને ઝડપી લીધા છે. અને આ બંનેની પૂછપરછમાં તેમની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ ? અને સામે આવેલા 12 લોકો સિવાય અન્ય કેટલા લોકો પાસેથી બંનેએ રૂપિયા લીધા ? તે સહિતનાં મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવતિએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ. 1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ. 4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા
ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી
WatchGujarat. રાજકોટ શહેરમાં LRD-PSIની ભરતી મામલે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પોતે એક મંત્રીની ભત્રીજી હોવાનું કહીને ક્રિષ્ના ભરડવા તેમજ જેનિશ પરસાણા નામના બંટી-બબલીએ 12 જેટલા લોકોને કોઈપણ પરીક્ષા વિના સીધી ભરતીની લાલચ આપી હતી. અને આ માટે કુલ રૂ. 15 લાખ પડાવ્યા હતા. જો કે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે આશિષ સિયારામ ભગતની ફરિયાદ પરથી બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની ત્વરિત કામગીરીને બિરદાવી છે.
જાણવા મળતી વિગત અનુસાર ક્રિષ્ના ભરડવા નામની યુવતી પોતે મંત્રીની ભત્રીજી હોવાની ઓળખ આપતી હતી. તેમજ ભરતી બોર્ડમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાનું કહીને તેણીએ જેનિશ પરસાણા સાથે મળી 10 લોકો પાસેથી રૂ. 1.10 લાખ તેમજ અન્ય બે પાસેથી રૂ. 4 લાખ મળી કુલ 15 લાખ ઉઘરાવ્યાં હતા. જોકે ભરતી માટેના લિસ્ટમાં નામ નહીં આવતા આશિષ સિયારામ ભગતે છેતરપિંડીની આશંકાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંટી-બબલી વિદેશ ભાગે તે પહેલાં ઝડપી લીધા હતા.
હાલ પોલીસ દ્વારા આ મામલે આરોપી ક્રિષ્ના ભરડવા અને જેનિશની ધરપકડ થઈ છે. આ પોલીસ કૌભાંડ સમગ્ર સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. જેને લઈને ભરતી બોર્ડ વતી હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, આવી કોઇ પણ લાલચમાં આવવું નહી. આવી રીતે ભરતી શક્ય નથી. જે વ્યક્તિ પાસ થાય તે પોતાની મહેનત થકી જ થઇ શકશે. તો સાથે જ રાજ્યના ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને આવી કોઇ જ લાલચમાં નહી આવવા માટેની નાગરિકોને અપીલ કરી હતી. અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીને વખાણી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલ ભરતી ભ્રષ્ટાચારનો અખાડો બની ચુકી હોય તેવું ચિત્ર બની રહ્યું છે. એક પછી એક પેપર ફુટે છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આ મુદ્દાઓને પ્રકાશમાં લાવે છે. અને આખરે સરકાર ખાંડા ખખડાવીને ભરતીઓ રદ્દ કરે છે. જો કે આ રદ્દ થયેલી ભરતીઓ વર્ષો સુધી લટકેલી રહે છે. તેવામાં રાજકોટ પોલીસે વિદેશ નાસી છૂટે તે પહેલાં બંને આરોપીઓને ઝડપી લીધા છે. અને આ બંનેની પૂછપરછમાં તેમની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ ? અને સામે આવેલા 12 લોકો સિવાય અન્ય કેટલા લોકો પાસેથી બંનેએ રૂપિયા લીધા ? તે સહિતનાં મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.