Watchgujarat. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આગામી 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ નિમિતે જ સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરને ખુલ્લું મુકવામાં આવશે. વધતા જતા આત્મહત્યાના બનાવને પગલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આ સેન્ટર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આત્મહત્યા જેવા નેગેટીવ વિચારોને મનમાંથી દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ માટે મનોવિજ્ઞાન ભવનના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. જોકે આમ કરવાની જરૂર જ કદાચ પડી ન હોત જો વેલનેસ સેન્ટર અહીં કાર્યરત કરી દેવાયું હોત
આત્મહત્યાનો વિચાર જ લોકોને ન આવે તે માટે મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવાની માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી આ મંજૂરી મળી નથી. લોકોને માનસિક સ્વસ્થ રાખવા વેલનેસ સેન્ટરની આવશ્યકતા છે. ત્યારે હજુ પણ એ માંગ સ્વીકારવામાં ન આવતા ફરી એક વાર મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવા અંગે સરકાર સમક્ષ મંજુરી માંગવામાં આવશે. જે રીતે આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે તેને ધ્યાનમાં રાખીને વેલનેસ સેન્ટર ખોલવાની મંજુરી આપવામાં આવે તો પણ લોકોને માનસિક રીતે તંદુરસ્ત રાખી શકાશે અને આત્મહત્યાના વધતા જતા બનાવોને અટકાવી શકાશે.
10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
જવાબ માંગે છે જીંદગી કે મને અકાળે કેમ બુજાવો છો ?
મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનાં જણાવ્યા મુજબ, દર વર્ષે 10 સપ્ટેમ્બર આવે એટલે આપણે સુસાઇડ પ્રિવેંશન ડે તરીકે ઉજવણી કરીએ, થોડા આંકડા રજૂ કરીને ભાવુક થઈએ, કેટલાક તો મનોવૈજ્ઞાનિક બનીને મોટા મોટા આપઘાત ના કારણોનું વિશ્લેષણ કરશે અને સલાહ પણ આપશે, ફરી પાછા એના એજ બીજાની લાગણીઓ અને આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નિષ્ઠુર વ્યક્તિ બની જતા હોઈએ છીએ. ત્યારે જિંદગી જવાબ માંગે છે કે મને અકાળે કેમ બુઝાવો છો ? આગામી દિવસોમાં પણ કાયમી ધોરણે સ્યુસાઇડ પ્રિવેન્શન સેન્ટર સૌરાષ્ટ્ર યુનિ.એ શરૂ કરવું જોઇએ. એટલું જ નહીં પણ દરેક યુનિવર્સીટી પોતાની સામાજિક જવાબદારી સમજી વેલનેસ સેન્ટર ઉભા કરે તો માનસિક સ્વાસ્થ્ય લોકોનું જળવાય અને આત્મહત્યા ઘટે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા 2003થી દર વર્ષે 10 સપ્ટે.ના દિવસને "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 18 મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે. આત્મહત્યા નિવારણનો દિવસ ન હોય તે હર પળે ધ્યાન રાખવા જેવી અતિસંવેદનશીલ અને અગત્યની બાબત છે.દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30% વધારો નોંધાયો છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે 15 થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે.
જીવનમાં મુશ્કેલીઓ, હેરાન પરેશાન કરતી કસોટીઓ, નિષ્ફ્ળતા, પીડા, હતાશા, માયુશી, ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશન માંથી કોને પસાર નથી પડતું? ઘણીવાર આપણા કરતાં પણ વઘુ કફોડી, વઘુ આકરી અને પીડા દાયક પરિસ્થિતિમાં કરોડો લોકોને જીવતા જોયા હોય છે. ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ક્રૂર, પાપી, નિર્દયી અને પીડાનો લોકો સામનો કરતાં હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળતું હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે તેનાથી મોતને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી, પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતનાં ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે. ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપી ના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીએ છીએ.
આત્મહત્યાના લક્ષણો
- વારંવાર મૂડ માં પરિવર્તનજેમકે અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું, - પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું., - રોજબરોજના કાર્ય માં પરિવર્તન જેમકે જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ, - આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા, સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું, લોકોથી દુરી રાખવી..એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો, નિષેધક પોસ્ટ મુકવી, હું ન હોવું તો એવા વાક્યો બોલવા, મિતભાસી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી, નીચું સ્વ મૂલ્યાંકન
આત્મહત્યા ના કારણો
- બાળકો પર માતા પિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતા નો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સહુથી વધુ આત્મહત્યા કરે છે, શારીરિક વિકાસ ની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે, આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો, તેમજ નોકરીધંધો, આર્થીકભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.
સ્ત્રીઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન સૌથી વધુ કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે. સામાન્યરીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4 માંથી 3 સ્ત્રીઓ હોય છે. 75% આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશમાં થાય છે. WHOના આંકડા દર્શાવે છે કે 40% જેટલા દેશોમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ એક લાખની વસતિ સામે 15થી વધારેનું છે. માત્ર 1.5% દેશોમાં જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આપઘાત કરે છે.
એક મહત્ત્વનું પરિબળ છે સંવાદ. સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરુષોને 'મજબૂત' થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે. આપણે છોકરાને કહેતા હોઈએ છીએ કે 'છોકરા કદી રડે નહીં'. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે 'નબળાઈ' ગણાય છે.
મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ.
કોઈ સાથે વાત કરો:
કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. અને તેના પર જેટલું વધુ જોર આપવામાં આવે એટલું વધારે ફાયદાકારક છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ- સહકારની જરૂર હોય છે.
જો તમે દુઃખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની મદદ લેવી ઉચિત છે. છત્તા વધુ પડતા વિચાર આવે ત્યારે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી આવશ્યક છે.
આત્મહત્યાના વિચાર ધરાવનાર વ્યક્તિ મનોસ્થિતિ સમજવામાં અસમર્થ હોય છે.
એકલા બિલકુલ ન રહો: આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લો. અનુકૂળ હોય તો કોઈ મિત્રને પોતાની સાથે રાખો અથવા તો માતાપિતાની પાસે જતા રહો. આ બન્ને માંથી એકપણ સંભવ નથી તો કોઈ પાલતું પ્રાણીને ઘરે કાઈ આવો કોઈની હાજરી તમને ઘણા ખોટા કામ કરવાથી રોકી શકે છે.
થેરાપી અને ઉપચાર લો: જો તમને મહેસુસ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો કોગ્નિટિવ બીહેવીયર થેરાપી લો. અને મોટાભાગે થેરાપીસ્ટ આ પ્રકારની થેરાપી આપતા હોય છે. અને દવા પણ આપતા હોય છે. અને દવા લેવાનું બિલકુલ ન છોડો. સારું મહેસુસ થતું હોય છત્તા દવા લેવાનું ચાલુ જ રાખો.
ખતરાના સંકેટનું ધ્યાન રાખો: મનોવૈજ્ઞાનિક તમને જણાવશે કે તમારા વર્તન માટે શું સારું અને અને શુ ખતરનાક છે. માટે એ ખતરાના ચિહ્નનું ધ્યાન રાખો. તમારા પરિવાર અને મિત્રોને તે ખતરરૂપ ચિહ્નથી વાફેક કરો. જેથી તે તમારી વ્યથિત મનોસ્થિતિ દરમિયાન પર નજર રાખી શકે. મહત્વપૂર્ણ બાબત કે થેરાપી લેવાનું ચાલુ રાખવું ક્યારેય એકપણ સેશનને છોડવું નહિ. અને જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી. થેરાપી ચાલુ રાખો.
ખતરારૂપ દરેક ચીજવસ્તુને ઘરમાંથી દૂર કરો જેથી અચાનક કોઈ ખોટું પગલું ન ઉઠવાય જાય. માટે ઘરમાંથી તે દરેક વસ્તુ કે જે ખતરારૂપ હોય જેમ કે, ચાકુ, બ્લેડ, બંદૂક, ખતરનાક દવાઓ વગેરેને ઘરમાં ન રાખો. કાઉન્સેલિંગ સેન્ટર અથવા નેશનલ સ્યુસાઇડ પ્રિવેંશન લાઇફલાઈનના ફોન નંબર પોતાના ફોનમાં સેવ કરીને રાખો. જ્યારે જરૂર લાગે ત્યારે તેનો ઝડપથી ઉપયોગ કરો.
જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
- સૌપ્રથમ તો આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
- વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ દૂર કરવામાં પુરતો રસ છે.
- આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
- વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
- જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
- તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
જેને આત્મહત્યાના વિચાર આવે છે તેમના માટે અગત્યના ધ્રુવતારક આ રહ્યા
૧. સ્વની શોધ - તમારા સંરક્ષણાત્મક નકાબ હટાવી તમે જેટલા ખુદને વધુ સમજી શકો તેટલો તમારા જીવનનો અર્થ તમને વધુ સમજાશે.
૨. પસંદગી - તમારા જીવનની પરિસ્થિતિઓમાં તમે જેટલા વધુ વિકલ્પો જોઈ શકશો, તેટલો વધુ જીવનનો અર્થ તમને સ્પષ્ટ થશે/સમજાશે.
૩. અનન્યતા - તમારા જીવનનો સાચો અર્થ એવી પરિસ્થિતિઓમાંથી તમને મળશે, જ્યાં તમારી જગ્યા સહેલાઈથી કોઈ લઈ શકતું નથી.
૪. જવાબદારી – જ્યાં તમારી પાસે વિકલ્પો છે અને પસંદગીની સ્વતંત્રતા છે ત્યાં તમે જવાબદારીપૂર્વક પસંદગી કરો (જ્યાં સંજોગો અનિવાર્ય, અપરિવર્તનશીલ હોય ત્યાં જવાબદારી ન લેવાની પસંદગી કરો) તો તમારા જીવનનો અર્થ તમે વધુ સારી રીતે શોધી શકશો.
૫. સ્વને ઓળંગવું - જ્યારે તમે તમારા અહમને ઓળંગીને તમારા સ્વની મર્યાદાઓની પેલે પાર જઈ પસંદગી કરો છો ત્યારે તમને જીવનનો અર્થ મળે છે. અને છતાં આ સહેલું નથી. વિક્ટર ફ્રેન્કલની સલાહ આ રહી તમારું જીવન શું માગે છે તે ધ્યાનથી સાંભળો - અંતરાત્માનો અવાજ સાંભળો - વિચારો ધીરજ રાખો – જવાબદારી લેતા રહો - એક દિવસ જીવનનો અર્થ તમને જરૂર સમજાશે.
Watchgujarat. સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આગામી 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ નિમિતે જ સ્યુસાઈડ પ્રિવેન્શન સેન્ટરને ખુલ્લું મુકવામાં આવશે. વધતા જતા આત્મહત્યાના બનાવને પગલે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના મનોવિજ્ઞાન ભવનમાં આ સેન્ટર ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સેન્ટરમાં લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને આત્મહત્યા જેવા નેગેટીવ વિચારોને મનમાંથી દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ માટે મનોવિજ્ઞાન ભવનના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા જ લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. જોકે આમ કરવાની જરૂર જ કદાચ પડી ન હોત જો વેલનેસ સેન્ટર અહીં કાર્યરત કરી દેવાયું હોત
આત્મહત્યાનો વિચાર જ લોકોને ન આવે તે માટે મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવાની માંગ સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર હજુ સુધી આ મંજૂરી મળી નથી. લોકોને માનસિક સ્વસ્થ રાખવા વેલનેસ સેન્ટરની આવશ્યકતા છે. ત્યારે હજુ પણ એ માંગ સ્વીકારવામાં ન આવતા ફરી એક વાર મનોવિજ્ઞાન ભવન દ્વારા વેલનેસ સેન્ટર ખોલવા અંગે સરકાર સમક્ષ મંજુરી માંગવામાં આવશે. જે રીતે આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે તેને ધ્યાનમાં રાખીને વેલનેસ સેન્ટર ખોલવાની મંજુરી આપવામાં આવે તો પણ લોકોને માનસિક રીતે તંદુરસ્ત રાખી શકાશે અને આત્મહત્યાના વધતા જતા બનાવોને અટકાવી શકાશે.
10 સપ્ટેમ્બર એટલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ
જવાબ માંગે છે જીંદગી કે મને અકાળે કેમ બુજાવો છો ?
મનોવિજ્ઞાન ભવનનાં અધ્યક્ષ ડો. યોગેશ જોગસણનાં જણાવ્યા મુજબ, દર વર્ષે 10 સપ્ટેમ્બર આવે એટલે આપણે સુસાઇડ પ્રિવેંશન ડે તરીકે ઉજવણી કરીએ, થોડા આંકડા રજૂ કરીને ભાવુક થઈએ, કેટલાક તો મનોવૈજ્ઞાનિક બનીને મોટા મોટા આપઘાત ના કારણોનું વિશ્લેષણ કરશે અને સલાહ પણ આપશે, ફરી પાછા એના એજ બીજાની લાગણીઓ અને આત્મસન્માનને ઠેસ પહોંચાડતા નિષ્ઠુર વ્યક્તિ બની જતા હોઈએ છીએ. ત્યારે જિંદગી જવાબ માંગે છે કે મને અકાળે કેમ બુઝાવો છો ? આગામી દિવસોમાં પણ કાયમી ધોરણે સ્યુસાઇડ પ્રિવેન્શન સેન્ટર સૌરાષ્ટ્ર યુનિ.એ શરૂ કરવું જોઇએ. એટલું જ નહીં પણ દરેક યુનિવર્સીટી પોતાની સામાજિક જવાબદારી સમજી વેલનેસ સેન્ટર ઉભા કરે તો માનસિક સ્વાસ્થ્ય લોકોનું જળવાય અને આત્મહત્યા ઘટે.
વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા 2003થી દર વર્ષે 10 સપ્ટે.ના દિવસને "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 18 મો વિશ્વ આપઘાત નિવારણ દિવસ ઉજવવામાં આવનાર છે. આત્મહત્યા નિવારણનો દિવસ ન હોય તે હર પળે ધ્યાન રાખવા જેવી અતિસંવેદનશીલ અને અગત્યની બાબત છે.દર વર્ષે વિશ્વમાં આશરે 8 લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી 1.35 લાખ (આશરે 17% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી 25 ગણી વધુ છે. ભારતમાં છેલ્લા ત્રીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30% વધારો નોંધાયો છે. જે ખૂબ ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે 15 થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે.
જીવનમાં મુશ્કેલીઓ, હેરાન પરેશાન કરતી કસોટીઓ, નિષ્ફ્ળતા, પીડા, હતાશા, માયુશી, ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશન માંથી કોને પસાર નથી પડતું? ઘણીવાર આપણા કરતાં પણ વઘુ કફોડી, વઘુ આકરી અને પીડા દાયક પરિસ્થિતિમાં કરોડો લોકોને જીવતા જોયા હોય છે. ક્યારેક તો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા ક્રૂર, પાપી, નિર્દયી અને પીડાનો લોકો સામનો કરતાં હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળતું હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે તેનાથી મોતને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી, પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાતનાં ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે. ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપી ના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીએ છીએ.
આત્મહત્યાના લક્ષણો
- વારંવાર મૂડ માં પરિવર્તનજેમકે અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું, - પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું., - રોજબરોજના કાર્ય માં પરિવર્તન જેમકે જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ, - આશાહીન બનવું, અચાનક નશીલા દ્રવ્યોનું સેવન, જોખમી કાર્ય કરવા, સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું, લોકોથી દુરી રાખવી..એકલા રહેવાનું શરૂ કરી દેવું, વ્યક્તિત્વમાં પરિવર્તન, જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો, નિષેધક પોસ્ટ મુકવી, હું ન હોવું તો એવા વાક્યો બોલવા, મિતભાસી થઈ જવું, એડવાન્સ આર્થિક પ્લાન, મને કોઈ સમજતું નથી એવી લાગણી, નીચું સ્વ મૂલ્યાંકન
આત્મહત્યા ના કારણો
- બાળકો પર માતા પિતાનું ખોટું અનુશાસન, કોઈ શારીરિક માનસિક રોગ, બેકારી, ગરીબી, સહનશીલતા નો અભાવ, ઉચ્ચ અહમ, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, એકલતા, સામાજિક તિરસ્કાર, લોકોનું દબાણ, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધુ પડતી આવેગશીલતા, ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સહુથી વધુ આત્મહત્યા કરે છે, શારીરિક વિકાસ ની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે, આસાધ્ય રોગ, આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ, નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો, આયોગ્ય માનસિક આવેગો, તેમજ નોકરીધંધો, આર્થીકભીંસ, દારુની ટેવ, ઘરકંકાસ, શારીરિક-માનસિક બીમારી વગેરે આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે.
સ્ત્રીઓ આત્મહત્યા કરવાના પ્રયત્ન સૌથી વધુ કરે છે. જ્યારે પુરુષો આત્મહત્યા કરવામાં સફળ જાય છે. સામાન્યરીતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં દર 4 માંથી 3 સ્ત્રીઓ હોય છે. 75% આત્મહત્યાના બનાવો ગરીબ અને વિકસિત દેશમાં થાય છે. WHOના આંકડા દર્શાવે છે કે 40% જેટલા દેશોમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ એક લાખની વસતિ સામે 15થી વધારેનું છે. માત્ર 1.5% દેશોમાં જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આપઘાત કરે છે.
એક મહત્ત્વનું પરિબળ છે સંવાદ. સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે. પેઢીઓથી સમાજે પુરુષોને 'મજબૂત' થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે. આપણે છોકરાને કહેતા હોઈએ છીએ કે 'છોકરા કદી રડે નહીં'. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે 'નબળાઈ' ગણાય છે.
મનમાં વારંવાર આત્મહત્યાના વિચાર આવે ત્યારે આવી રીતે પોતાની જાતને મદદ કરવી જોઈએ.
- કોઈ સાથે વાત કરો:
કોઈ સાથે પોતાની લાગણીઓને શેર કરવી એક મહત્વપૂર્ણ કાર્ય છે. અને તેના પર જેટલું વધુ જોર આપવામાં આવે એટલું વધારે ફાયદાકારક છે. કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. માટે તેને પ્રેમ, સ્નેહ, હૂંફ અને સાથ- સહકારની જરૂર હોય છે.
જો તમે દુઃખી હોય અને આત્મહત્યાના વિચાર આવે ત્યારે પોતાની જાતને પોતાની રીતે નિયંત્રણમાં રાખવાની જીદ છોડી અન્યની મદદ લેવી. જેમ કે પોતાના મિત્ર, પરિવારજન, નજીકના સગાઓની મદદ લેવી ઉચિત છે. છત્તા વધુ પડતા વિચાર આવે ત્યારે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવી આવશ્યક છે.
આત્મહત્યાના વિચાર ધરાવનાર વ્યક્તિ મનોસ્થિતિ સમજવામાં અસમર્થ હોય છે.
- એકલા બિલકુલ ન રહો: આજના સમયમાં મોટાભાગના યુવાનો શહેરમાં પરિવારથી દૂર એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે આત્મઘાતી વિચારો આવે તો થોડા સમય માટે કોઈને સાથે રહેવા બોલાવી લો. અનુકૂળ હોય તો કોઈ મિત્રને પોતાની સાથે રાખો અથવા તો માતાપિતાની પાસે જતા રહો. આ બન્ને માંથી એકપણ સંભવ નથી તો કોઈ પાલતું પ્રાણીને ઘરે કાઈ આવો કોઈની હાજરી તમને ઘણા ખોટા કામ કરવાથી રોકી શકે છે.
- થેરાપી અને ઉપચાર લો: જો તમને મહેસુસ થાય કે, મનમાં એવા વિચાર આવે છે તો કોગ્નિટિવ બીહેવીયર થેરાપી લો. અને મોટાભાગે થેરાપીસ્ટ આ પ્રકારની થેરાપી આપતા હોય છે. અને દવા પણ આપતા હોય છે. અને દવા લેવાનું બિલકુલ ન છોડો. સારું મહેસુસ થતું હોય છત્તા દવા લેવાનું ચાલુ જ રાખો.
- ખતરાના સંકેટનું ધ્યાન રાખો: મનોવૈજ્ઞાનિક તમને જણાવશે કે તમારા વર્તન માટે શું સારું અને અને શુ ખતરનાક છે. માટે એ ખતરાના ચિહ્નનું ધ્યાન રાખો. તમારા પરિવાર અને મિત્રોને તે ખતરરૂપ ચિહ્નથી વાફેક કરો. જેથી તે તમારી વ્યથિત મનોસ્થિતિ દરમિયાન પર નજર રાખી શકે. મહત્વપૂર્ણ બાબત કે થેરાપી લેવાનું ચાલુ રાખવું ક્યારેય એકપણ સેશનને છોડવું નહિ. અને જ્યાં સુધી સંપૂર્ણપણે સ્વસ્થ ન થાવ ત્યાં સુધી. થેરાપી ચાલુ રાખો.
- ખતરારૂપ દરેક ચીજવસ્તુને ઘરમાંથી દૂર કરો જેથી અચાનક કોઈ ખોટું પગલું ન ઉઠવાય જાય. માટે ઘરમાંથી તે દરેક વસ્તુ કે જે ખતરારૂપ હોય જેમ કે, ચાકુ, બ્લેડ, બંદૂક, ખતરનાક દવાઓ વગેરેને ઘરમાં ન રાખો. કાઉન્સેલિંગ સેન્ટર અથવા નેશનલ સ્યુસાઇડ પ્રિવેંશન લાઇફલાઈનના ફોન નંબર પોતાના ફોનમાં સેવ કરીને રાખો. જ્યારે જરૂર લાગે ત્યારે તેનો ઝડપથી ઉપયોગ કરો.
જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
- સૌપ્રથમ તો આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
- વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ દૂર કરવામાં પુરતો રસ છે.
- આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
- વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
- જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
- તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
જેને આત્મહત્યાના વિચાર આવે છે તેમના માટે અગત્યના ધ્રુવતારક આ રહ્યા
૧. સ્વની શોધ - તમારા સંરક્ષણાત્મક નકાબ હટાવી તમે જેટલા ખુદને વધુ સમજી શકો તેટલો તમારા જીવનનો અર્થ તમને વધુ સમજાશે.
૨. પસંદગી - તમારા જીવનની પરિસ્થિતિઓમાં તમે જેટલા વધુ વિકલ્પો જોઈ શકશો, તેટલો વધુ જીવનનો અર્થ તમને સ્પષ્ટ થશે/સમજાશે.
૩. અનન્યતા - તમારા જીવનનો સાચો અર્થ એવી પરિસ્થિતિઓમાંથી તમને મળશે, જ્યાં તમારી જગ્યા સહેલાઈથી કોઈ લઈ શકતું નથી.
૪. જવાબદારી – જ્યાં તમારી પાસે વિકલ્પો છે અને પસંદગીની સ્વતંત્રતા છે ત્યાં તમે જવાબદારીપૂર્વક પસંદગી કરો (જ્યાં સંજોગો અનિવાર્ય, અપરિવર્તનશીલ હોય ત્યાં જવાબદારી ન લેવાની પસંદગી કરો) તો તમારા જીવનનો અર્થ તમે વધુ સારી રીતે શોધી શકશો.
૫. સ્વને ઓળંગવું - જ્યારે તમે તમારા અહમને ઓળંગીને તમારા સ્વની મર્યાદાઓની પેલે પાર જઈ પસંદગી કરો છો ત્યારે તમને જીવનનો અર્થ મળે છે. અને છતાં આ સહેલું નથી. વિક્ટર ફ્રેન્કલની સલાહ આ રહી તમારું જીવન શું માગે છે તે ધ્યાનથી સાંભળો - અંતરાત્માનો અવાજ સાંભળો - વિચારો ધીરજ રાખો – જવાબદારી લેતા રહો - એક દિવસ જીવનનો અર્થ તમને જરૂર સમજાશે.