WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમી અને ડૉ. ડિમ્પલ જે. રામાણી દ્વારા પ્રેમ અંગે મહત્વનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં જ્યારે કોઈ વ્યક્તિ જુસ્સાની હદ સુધી કોઈને પ્રેમ કરે છે અને તેની રમૂજની ભાવના ગુમાવે છે, ત્યારે તે પ્રેમ રોગ એટલે કે લવરિયાથી પીડિત હોવાનું કહેવાય છે. પ્રેમમાં રહેવું સુખદ અનુભૂતિ હોઈ શકે છે. પરંતુ પ્રેમનો મોહ ગંભીર માનસિક વિકારનું સ્વરૂપ લઈ શકે છે. અને તેના પરિણામો પણ જીવલેણ કે ઘાતક હોઈ શકે છે. તેવું સામે આવ્યું છે.
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રેમ કરવો એ ગુનો નથી. પણ પ્રેમમા સાનભાન ગુમાવી દેવું અને પોતાની જાતને શારીરિક અથવા માનસિક રીતે નુકશાન કરવું એ મનોવિજ્ઞાનની પરિભાષામા એક પ્રકારનો માનસિક રોગ છે. જેનાથી વ્યક્તિ પોતાની જિંદગીથી ભાગી શકતી નથી. આ સમયે વ્યક્તિએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સમયે સારવાર લેવી જરૂરી બને છે.
પ્રારંભિક લક્ષણો
- ડેટિંગ પહેલાં ભેટો ખરીદવી અથવા આપવી. -ફોનની રાહ જોવી.
- સતત મેસેજ કર્યા કરવા અથવા ફોનમાં જ પડ્યું રહેવું.
- જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી જમવું નહિ
- વાસ્તવિક જગતથી દૂર થઇ કાલ્પનિક વિચારોમા ખોવાઈ રહેવું.
- એકબીજાને મળવાની તાલાવેલી.
લોકો આ સંકેતોને પ્રેમ માને છે, પરંતુ તેઓ નથી જાણતા કે આ સંકેતો આવવા માટે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે.
આમ તો અનેક જગ્યાએ આને લગતા અનેક પ્રકારના કિસ્સાઓ જાહેર થતાં હોય છે. અમુક વાર એવું થતું હોય છે કે કોઈ છોકરો અન્ય છોકરી ને પસંદ કરે છે. અને તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવાની કોશિશ પણ કરે છે અને પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે છોકરી તે છોકરાને પસંદ કરતી નથી અને તે તેનો સ્વીકાર કરતી નથી ત્યારે આ બાબત કોઈપણ છોકરા માટે નિષેધક રીતે ઉભરી આવે છે. અમુક કિસ્સામાં તો એવું જોવા મળે છે કે પોતાનો સ્વ ઘવાય ગયો છે તેવી ભાવનાથી તે છોકરીને સમાજમાં બદનામ કરે છે અને તેને વારંવાર પરેશાન કરે છે. વળી તેને બ્લેકમેલ કરવાના પગલાં સુધી પણ તે પહોંચી જાય છે.
આવું થતા જે-તે છોકરીના માનસિક તેમજ સામાજિક સ્વાસ્થ્યમાં ખુબ જ ઉંડી અસર થાય છે. પોતાના માતા પિતા અથવા તો કુટુંબની બદનામીના ડરથી તે ખુલીને જીવી શકતી નથી. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. લોકો તેના વિશે શું વિચારશે એવા ખોટા વિચારોને લીધે પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. અને તેનો પરિવાર તેને સ્વીકારશે કે નહીં તેવા વિચારોને લીધે પણ ક્યારેક ડિપ્રેશનનો ભોગ પણ બને છે. અને અમુક કિસ્સાઓમાં તો આવી છોકરીઓ આત્મહત્યા સુધીના પગલા લેતી હોવાનું સામે આવી ચૂક્યું છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોઈએ તો ખૂબ જ નાની વયની છોકરીઓ પોતાનાથી મોટી ઉંમરના છોકરાઓ સાથે સંબંધો બાંધી અને પોતાનું સ્ટેટસ દેખાડવા માગે છે. પરંતુ આને લીધે ભવિષ્યમાં પોતે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વેઠે છે. આવી અનેક સમસ્યાઓ કોરોના દરમિયાન પણ જોવા મળી છે.
કોરોના દરમિયાન સામે આવેલી સમસ્યાઓ
(1) મેડમ હવે મારે ભણવું નથી. મને ભણવામાંથી રસ ઉડી ગયો છે. મારે એક છોકરા સાથે પ્રેમ હતો. બીજી છોકરી મળી જતા અત્યારે મને તરછોડી દીધી છે. હવે મને જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી.
(2) મારાં એકવાર મેરેજ થઇ ગયા છે. હાલ છૂટાછેડા થયેલા છે. પણ હું એ છોકરીને ભૂલી શકતો નથી. મારે ફરીથી એ જ જોઈએ છે. જો એ પાછી મને નહિ મળે તો હું આત્મહત્યા કરી લઈશ.
(3) આ લોકડાઉન છે હું મારાં પ્રેમીને મળી શકતી નથી. મને ખૂબ જ યાદ આવે છે. હું ખૂબ પ્રેમ કરું છું. પણ એનો ફોન કેમ મને નથી આવતો? શા માટે ફોન કે મેસેજ નથી કરતો? ક્યાંક એ મને ભૂલી તો નથી ગયો ને? મારે જાણવું છે. મને એકવાર વાત કરાવી દયો પ્લીઝ.. બાકી હું નહિ જીવી શકું.
ક્યારેક તો વધુ પડતા રૂઢિચુસ્ત કુટુંબના છોકરાઓ કે છોકરીઓ આસાનીથી કોઇની વાતોમાં ફસાઈ જાય છે અને ખોટા રસ્તે ચડી જાય છે. 'ધ સાયકોલોજિસ્ટ' નામનાં મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ડૉ.ટોલિસ માને છે કે અદ્યતન અભ્યાસ સૂચવે છે કે પ્રેમ રોગને ફરી એક વખત મેડિકલ સાયન્સના દાયરામાં લાવવાની જરૂર છે. આ માનસિક રોગના લક્ષણોમાં સ્વ-જોડાણ, હતાશા, અહંકાર, મૂડનેસની સાથે જ એકલતાનો સમાવેશ થાય છે. અને પરિણામેં ઊંઘ આંસુમા પરિવર્તિત થઇ જાય છે.
લવરિયા રોગ એકપક્ષીય તેમજ દ્વિપક્ષીય હોઈ શકે છે. એકતરફી પ્રેમમાં સામેની વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે કોઈ તેને પ્રેમ કરે છે. જે પ્રેમ કરે છે તેની જીભ પર પ્રેમના આ અઢી અક્ષરો લાવવાની હિંમત નથી. તેમનો એકતરફી પ્રેમ કદી પાંગરતો નથી, પરંતુ વ્યક્તિને 'દેવદાસ' જેવો બનાવી દે છે અને હતાશા એકલતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિ ગમતી વ્યક્તિની જ આજુબાજુ રહેવા પસંદ કરે છે. તેને કોઈ કામ કરવાનું મન થતું નથી. ક્યારેક તે અભ્યાસમાં પાછળ પણ રહી જાય છે, જે તેની કારકિર્દીને અસર કરે છે. તે મૌન બની કોઈને મળવા પણ ઈચ્છતી નથી.
બીજીતરફ પ્રેમમાં છેતરાયેલા પ્રેમીને કશું ગમતું નથી, ત્યારે તે ડિપ્રેશનમાં સરી જાય છે. તે જીવનથી નિરાશ થઈ જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ પણ કરી શકે છે. કોઈપણ રીતે, જ્યારે છોકરો કે છોકરી સમાજની નજર ટાળીને એકબીજાને મળે, ત્યારે તેમનામાં તણાવ, ગભરાટ તેમજ બેચેની હોય છે, જેના કારણે તેમના હૃદયના ધબકારા પણ વધી જાય છે. ઘણા લોકો માટે, બ્લડ પ્રેશર પણ વધી જાય છે. આ બધું લવારિયાનાં રોગનું પરિણામ હોય છે.
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની પુરોહિત અમી અને ડૉ. ડિમ્પલ જે. રામાણી દ્વારા પ્રેમ અંગે મહત્વનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં જ્યારે કોઈ વ્યક્તિ જુસ્સાની હદ સુધી કોઈને પ્રેમ કરે છે અને તેની રમૂજની ભાવના ગુમાવે છે, ત્યારે તે પ્રેમ રોગ એટલે કે લવરિયાથી પીડિત હોવાનું કહેવાય છે. પ્રેમમાં રહેવું સુખદ અનુભૂતિ હોઈ શકે છે. પરંતુ પ્રેમનો મોહ ગંભીર માનસિક વિકારનું સ્વરૂપ લઈ શકે છે. અને તેના પરિણામો પણ જીવલેણ કે ઘાતક હોઈ શકે છે. તેવું સામે આવ્યું છે.
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્રેમ કરવો એ ગુનો નથી. પણ પ્રેમમા સાનભાન ગુમાવી દેવું અને પોતાની જાતને શારીરિક અથવા માનસિક રીતે નુકશાન કરવું એ મનોવિજ્ઞાનની પરિભાષામા એક પ્રકારનો માનસિક રોગ છે. જેનાથી વ્યક્તિ પોતાની જિંદગીથી ભાગી શકતી નથી. આ સમયે વ્યક્તિએ તરત જ ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સમયે સારવાર લેવી જરૂરી બને છે.
પ્રારંભિક લક્ષણો
- ડેટિંગ પહેલાં ભેટો ખરીદવી અથવા આપવી. -ફોનની રાહ જોવી.
- સતત મેસેજ કર્યા કરવા અથવા ફોનમાં જ પડ્યું રહેવું.
- જ્યાં સુધી વાત ન થાય ત્યાં સુધી જમવું નહિ
- વાસ્તવિક જગતથી દૂર થઇ કાલ્પનિક વિચારોમા ખોવાઈ રહેવું.
- એકબીજાને મળવાની તાલાવેલી.
લોકો આ સંકેતોને પ્રેમ માને છે, પરંતુ તેઓ નથી જાણતા કે આ સંકેતો આવવા માટે કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે છે.
આમ તો અનેક જગ્યાએ આને લગતા અનેક પ્રકારના કિસ્સાઓ જાહેર થતાં હોય છે. અમુક વાર એવું થતું હોય છે કે કોઈ છોકરો અન્ય છોકરી ને પસંદ કરે છે. અને તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવાની કોશિશ પણ કરે છે અને પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે. જ્યારે છોકરી તે છોકરાને પસંદ કરતી નથી અને તે તેનો સ્વીકાર કરતી નથી ત્યારે આ બાબત કોઈપણ છોકરા માટે નિષેધક રીતે ઉભરી આવે છે. અમુક કિસ્સામાં તો એવું જોવા મળે છે કે પોતાનો સ્વ ઘવાય ગયો છે તેવી ભાવનાથી તે છોકરીને સમાજમાં બદનામ કરે છે અને તેને વારંવાર પરેશાન કરે છે. વળી તેને બ્લેકમેલ કરવાના પગલાં સુધી પણ તે પહોંચી જાય છે.
આવું થતા જે-તે છોકરીના માનસિક તેમજ સામાજિક સ્વાસ્થ્યમાં ખુબ જ ઉંડી અસર થાય છે. પોતાના માતા પિતા અથવા તો કુટુંબની બદનામીના ડરથી તે ખુલીને જીવી શકતી નથી. ઘરની બહાર નીકળતા પણ ડરે છે. લોકો તેના વિશે શું વિચારશે એવા ખોટા વિચારોને લીધે પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગાડે છે. અને તેનો પરિવાર તેને સ્વીકારશે કે નહીં તેવા વિચારોને લીધે પણ ક્યારેક ડિપ્રેશનનો ભોગ પણ બને છે. અને અમુક કિસ્સાઓમાં તો આવી છોકરીઓ આત્મહત્યા સુધીના પગલા લેતી હોવાનું સામે આવી ચૂક્યું છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોઈએ તો ખૂબ જ નાની વયની છોકરીઓ પોતાનાથી મોટી ઉંમરના છોકરાઓ સાથે સંબંધો બાંધી અને પોતાનું સ્ટેટસ દેખાડવા માગે છે. પરંતુ આને લીધે ભવિષ્યમાં પોતે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ વેઠે છે. આવી અનેક સમસ્યાઓ કોરોના દરમિયાન પણ જોવા મળી છે.
કોરોના દરમિયાન સામે આવેલી સમસ્યાઓ
(1) મેડમ હવે મારે ભણવું નથી. મને ભણવામાંથી રસ ઉડી ગયો છે. મારે એક છોકરા સાથે પ્રેમ હતો. બીજી છોકરી મળી જતા અત્યારે મને તરછોડી દીધી છે. હવે મને જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી.
(2) મારાં એકવાર મેરેજ થઇ ગયા છે. હાલ છૂટાછેડા થયેલા છે. પણ હું એ છોકરીને ભૂલી શકતો નથી. મારે ફરીથી એ જ જોઈએ છે. જો એ પાછી મને નહિ મળે તો હું આત્મહત્યા કરી લઈશ.
(3) આ લોકડાઉન છે હું મારાં પ્રેમીને મળી શકતી નથી. મને ખૂબ જ યાદ આવે છે. હું ખૂબ પ્રેમ કરું છું. પણ એનો ફોન કેમ મને નથી આવતો? શા માટે ફોન કે મેસેજ નથી કરતો? ક્યાંક એ મને ભૂલી તો નથી ગયો ને? મારે જાણવું છે. મને એકવાર વાત કરાવી દયો પ્લીઝ.. બાકી હું નહિ જીવી શકું.
ક્યારેક તો વધુ પડતા રૂઢિચુસ્ત કુટુંબના છોકરાઓ કે છોકરીઓ આસાનીથી કોઇની વાતોમાં ફસાઈ જાય છે અને ખોટા રસ્તે ચડી જાય છે. 'ધ સાયકોલોજિસ્ટ' નામનાં મેગેઝિનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ડૉ.ટોલિસ માને છે કે અદ્યતન અભ્યાસ સૂચવે છે કે પ્રેમ રોગને ફરી એક વખત મેડિકલ સાયન્સના દાયરામાં લાવવાની જરૂર છે. આ માનસિક રોગના લક્ષણોમાં સ્વ-જોડાણ, હતાશા, અહંકાર, મૂડનેસની સાથે જ એકલતાનો સમાવેશ થાય છે. અને પરિણામેં ઊંઘ આંસુમા પરિવર્તિત થઇ જાય છે.
લવરિયા રોગ એકપક્ષીય તેમજ દ્વિપક્ષીય હોઈ શકે છે. એકતરફી પ્રેમમાં સામેની વ્યક્તિને ખ્યાલ નથી આવતો કે કોઈ તેને પ્રેમ કરે છે. જે પ્રેમ કરે છે તેની જીભ પર પ્રેમના આ અઢી અક્ષરો લાવવાની હિંમત નથી. તેમનો એકતરફી પ્રેમ કદી પાંગરતો નથી, પરંતુ વ્યક્તિને 'દેવદાસ' જેવો બનાવી દે છે અને હતાશા એકલતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિ ગમતી વ્યક્તિની જ આજુબાજુ રહેવા પસંદ કરે છે. તેને કોઈ કામ કરવાનું મન થતું નથી. ક્યારેક તે અભ્યાસમાં પાછળ પણ રહી જાય છે, જે તેની કારકિર્દીને અસર કરે છે. તે મૌન બની કોઈને મળવા પણ ઈચ્છતી નથી.
બીજીતરફ પ્રેમમાં છેતરાયેલા પ્રેમીને કશું ગમતું નથી, ત્યારે તે ડિપ્રેશનમાં સરી જાય છે. તે જીવનથી નિરાશ થઈ જાય છે અને આત્મહત્યાનો પ્રયાસ પણ કરી શકે છે. કોઈપણ રીતે, જ્યારે છોકરો કે છોકરી સમાજની નજર ટાળીને એકબીજાને મળે, ત્યારે તેમનામાં તણાવ, ગભરાટ તેમજ બેચેની હોય છે, જેના કારણે તેમના હૃદયના ધબકારા પણ વધી જાય છે. ઘણા લોકો માટે, બ્લડ પ્રેશર પણ વધી જાય છે. આ બધું લવારિયાનાં રોગનું પરિણામ હોય છે.