ગ.સ્વ.મંજુલાબેનનું 7 માસ પહેલા અવસાન થયું હતું. તેઓ એકલા રહેતા હતા. એમને પુત્ર ન હતા. પાંચ પુત્રીઓ હતી
બેડી નાકે રહેતા ગંગાસ્વરૂપા શ્રીમતિ મંજુલાબેન જટાશંકર(જટુભાઈ વડિયા)ના પુણ્યાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે
પાંચ પુત્રીઓ અને જમાઈઓએ માતા અને સાસુની આત્માના મોક્ષ અને પૂણ્યાર્થે નિવાસસ્થાન પાસેજ "શ્રીમદ ભગવદ્દ સપ્તાહ" બેસાડી
કુલીન પારેખ. શહેરનાં બેડીનાકા સ્થિત 140 વર્ષ પુરાણા શ્રી કામનાથ મહાદેવના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. 18 પુરાણોમાં સૌથી મહત્વનો અને મહાપુરાણ "શ્રીમદ ભાગવત પુરાણ"ને ગણાવ્યો છે. એ રીતે તો એનું માહત્મ્ય છે જ, પણ એથી પણ વધુ મહત્વનું આ કથાના યજમાન અને આયોજક તથા કથાનો હેતુ જાણ્યો ત્યારે વિશેષ આશ્ર્ચર્ય સર્જાયું હતું. જેમાં માતાનાં અંતિમશ્વાસ સુધી સેવા કર્યા બાદ તેમનાં મોક્ષાર્થે પાંચ દીકરી-જમાઈએ શ્રીમદ ભાગવત કથા કરાવી હતી.
https://youtu.be/shkef4oL2sc
જાણવા મળતી બેડી નાકે રહેતા ગંગાસ્વરૂપા શ્રીમતિ મંજુલાબેન જટાશંકર(જટુભાઈ વડિયા)ના પુણ્યાર્થે આ કથાનું આયોજન થયું છે. ગ.સ્વ.મંજુલાબેનનું 7 માસ પહેલા અવસાન થયું હતું. તેઓ એકલા રહેતા હતા. એમને પુત્ર ન હતા. પાંચ પુત્રીઓ હતી અને તે બધી જ સાસરે હોય બહારગામ રહેતી. મંજુલાબેન જીવનનો અંતિમ મહિનો બીમાર રહેતાં તેમને તેમની પુત્રી તેમના ઘરે લઇ ગઇ અને માતાની સારવાર કરાવી હતી. અને માતાએ પુત્રીની પાસે અંતિમ શ્વાસ લીધા હતા.
ત્યારબાદ પાંચ પુત્રીઓ અને જમાઈઓએ માતા અને સાસુની આત્માના મોક્ષ અને પૂણ્યાર્થે નિવાસસ્થાન પાસેજ "શ્રીમદ ભગવદ્દ સપ્તાહ" બેસાડી છે. આમ દીકરીઓ અને જમાઈઓ દ્વારા માતા-સાસુના મોક્ષાર્થે ઈશ્વર કાર્ય થઈ રહ્યુ છે. આ કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાકાર શ્રી રાજભાઈ વિનાયકભાઈ સાતા, પડધરીવાળા દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેઓ બીલખાના આનંદ આશ્રમ તથા કાશી વારાણસી ખાતે વિદ્યાભ્યાસ કરી ચુક્યા છે.
આ ભાગવત કથા પિંદુ(પ્રતિભા)બેન યોગેશભાઈ જોશી કલકત્તા, જયશ્રીબેન જગદીશભાઈ જીંદાણી કેશોદ, નીલમબેન પ્રફુલભાઈ ટંકારીયા રાજકોટ, શર્મિલાબેન ચંદ્રેશભાઈ કનેયાભાઈ જેતપુર તથા રેખાબેન ભાવેશભાઈ લહેરુ મોટી પાનેલી દ્વારા યોજાઈ છે. આ કથામાં ભગવતાચાર્ય સાથે તેમની ભજન- કીર્તનની ટીમમાં યજ્ઞ આચાર્ય જીગરભાઈ મહેતા, સંગીતકાર વિનાયકભાઈ સાતા, કિશોરભાઈ વ્યાસ અને હિરેનભાઈ ત્રિવેદી સામેલ છે. જેમાં પ્રથમ દિવસે ભાગવત પોથી યાત્રા નીકળેલ હતી. ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે ઉલ્લાસથી ઉજવાયો હતો. પાંચમા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકુટનું આયોજન થયું હતું.
ગ.સ્વ.મંજુલાબેનનું 7 માસ પહેલા અવસાન થયું હતું. તેઓ એકલા રહેતા હતા. એમને પુત્ર ન હતા. પાંચ પુત્રીઓ હતી
બેડી નાકે રહેતા ગંગાસ્વરૂપા શ્રીમતિ મંજુલાબેન જટાશંકર(જટુભાઈ વડિયા)ના પુણ્યાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે
પાંચ પુત્રીઓ અને જમાઈઓએ માતા અને સાસુની આત્માના મોક્ષ અને પૂણ્યાર્થે નિવાસસ્થાન પાસેજ "શ્રીમદ ભગવદ્દ સપ્તાહ" બેસાડી
કુલીન પારેખ. શહેરનાં બેડીનાકા સ્થિત 140 વર્ષ પુરાણા શ્રી કામનાથ મહાદેવના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. 18 પુરાણોમાં સૌથી મહત્વનો અને મહાપુરાણ "શ્રીમદ ભાગવત પુરાણ"ને ગણાવ્યો છે. એ રીતે તો એનું માહત્મ્ય છે જ, પણ એથી પણ વધુ મહત્વનું આ કથાના યજમાન અને આયોજક તથા કથાનો હેતુ જાણ્યો ત્યારે વિશેષ આશ્ર્ચર્ય સર્જાયું હતું. જેમાં માતાનાં અંતિમશ્વાસ સુધી સેવા કર્યા બાદ તેમનાં મોક્ષાર્થે પાંચ દીકરી-જમાઈએ શ્રીમદ ભાગવત કથા કરાવી હતી.
જાણવા મળતી બેડી નાકે રહેતા ગંગાસ્વરૂપા શ્રીમતિ મંજુલાબેન જટાશંકર(જટુભાઈ વડિયા)ના પુણ્યાર્થે આ કથાનું આયોજન થયું છે. ગ.સ્વ.મંજુલાબેનનું 7 માસ પહેલા અવસાન થયું હતું. તેઓ એકલા રહેતા હતા. એમને પુત્ર ન હતા. પાંચ પુત્રીઓ હતી અને તે બધી જ સાસરે હોય બહારગામ રહેતી. મંજુલાબેન જીવનનો અંતિમ મહિનો બીમાર રહેતાં તેમને તેમની પુત્રી તેમના ઘરે લઇ ગઇ અને માતાની સારવાર કરાવી હતી. અને માતાએ પુત્રીની પાસે અંતિમ શ્વાસ લીધા હતા.
ત્યારબાદ પાંચ પુત્રીઓ અને જમાઈઓએ માતા અને સાસુની આત્માના મોક્ષ અને પૂણ્યાર્થે નિવાસસ્થાન પાસેજ "શ્રીમદ ભગવદ્દ સપ્તાહ" બેસાડી છે. આમ દીકરીઓ અને જમાઈઓ દ્વારા માતા-સાસુના મોક્ષાર્થે ઈશ્વર કાર્ય થઈ રહ્યુ છે. આ કથાનું રસપાન વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાકાર શ્રી રાજભાઈ વિનાયકભાઈ સાતા, પડધરીવાળા દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેઓ બીલખાના આનંદ આશ્રમ તથા કાશી વારાણસી ખાતે વિદ્યાભ્યાસ કરી ચુક્યા છે.
આ ભાગવત કથા પિંદુ(પ્રતિભા)બેન યોગેશભાઈ જોશી કલકત્તા, જયશ્રીબેન જગદીશભાઈ જીંદાણી કેશોદ, નીલમબેન પ્રફુલભાઈ ટંકારીયા રાજકોટ, શર્મિલાબેન ચંદ્રેશભાઈ કનેયાભાઈ જેતપુર તથા રેખાબેન ભાવેશભાઈ લહેરુ મોટી પાનેલી દ્વારા યોજાઈ છે. આ કથામાં ભગવતાચાર્ય સાથે તેમની ભજન- કીર્તનની ટીમમાં યજ્ઞ આચાર્ય જીગરભાઈ મહેતા, સંગીતકાર વિનાયકભાઈ સાતા, કિશોરભાઈ વ્યાસ અને હિરેનભાઈ ત્રિવેદી સામેલ છે. જેમાં પ્રથમ દિવસે ભાગવત પોથી યાત્રા નીકળેલ હતી. ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ભારે ઉલ્લાસથી ઉજવાયો હતો. પાંચમા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકુટનું આયોજન થયું હતું.