રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહજીનાં બહેન અંબાલિકા દેવીએ મિલકત મામલે માંધાતાસિંહજી સામે દાવો કર્યો હતો
કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી મિલકત વહેંચણીમાં તેનાં પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો
વર્ષ 2016માં મામલતદાર જાડેજા અને ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ રૂપિયા 10 કરોડની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો
[caption id="attachment_1391251" align="aligncenter" width="640"] Rajkot - Royal property dispute[/caption]
WatchGujarat. રાજવી પરિવારનાં મિલકત વિવાદ મામલે આજે માંધાતાસિંહજીનાં ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે માંધાતાસિંહજીની અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો તેમજ ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવી સહિતનાં અધિકારીઓ દ્વારા રૂપિયા 10 કરોડની માંગ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં આ મામલે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હોવાનું જણાવ્યું હતું. જવાબમાં ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી પોતે માંધાતાસિંહજી કે રણશૂરવીરસિંહને ક્યારેય નહીં મળ્યા હોવાનું કહી પોતાની ઉપર લાગેલા બધા આરોપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ મુદ્દે પોતે બદનક્ષીનો દાવો કરવા તૈયારી કરતા હોવાનું પણ કહ્યું હતું.
https://youtu.be/WYF70_Wd29g
સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહજીનાં બહેન અંબાલિકા દેવીએ મિલકત મામલે માંધાતાસિંહજી સામે દાવો કર્યો હતો. જેમાં પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કરાયું હોવાનું જણાવ્યું હતું. હાલ આ કાયદાકીય લડત સિવિલ કોર્ટમાં પહોંચી છે. આજે સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા. અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવાનો સમય માગ્યો હતો. આથી કોર્ટના જજ એલ. ડી. વાઘે 20 સપ્ટેમ્બરની મુદત આપી છે.
બીજીતરફ આ મુદ્દે કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી મિલકત વહેંચણીમાં તેનાં પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે વર્ષ 2016માં મામલતદાર જાડેજા અને ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ રૂપિયા 10 કરોડની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું.
રણશૂરવીરસિંહે કરેલા આક્ષેપોનાં જવાબમાં ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આક્ષેપોને બેબુનિયાદ ગણાવી ફગાવ્યા છે. તો સાથે જ પોતાના ઉપર આક્ષેપ લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ તેઓ બદનક્ષીનો દાવો કરવાનું પણ વિચારી રહ્યા હોવાનું કહ્યું હતું. અને આ બાબતે તેઓ કાનૂની સલાહ પણ લઇ રહ્યા હોવાનું કહ્યું છે. સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, રણશૂરવીરસિંહે અને તેમના પરિવારજનોનો એક અપીલનો કેસ છે. તે બાબતનું એકપણ વખતે હિયરિંગ મારા 19 મહિનાનાં કાર્યકાળ દરમિયાન થયું નથી. માત્ર બે મહિના પૂર્વે મને અરજી મળી હતી. અરજી મુજબ રણશૂરવીરસિંહ જાડેજા અને તેમના પરિવારજનોનો અપીલનો કેસ મારી કોર્ટમાંથી બદલીને ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલની કોર્ટમાં સાંભળવા વિનંતી કરાઈ છે. આજ દિવસ સુધી માંધાતાસિંહજી તેમજ તેમનો પરિવાર અને રણશૂરવીરસિંહ જાડેજા અને તેમનો પરિવાર ક્યારેય આ બાબતે મને મળ્યો નથી.
રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહજીનાં બહેન અંબાલિકા દેવીએ મિલકત મામલે માંધાતાસિંહજી સામે દાવો કર્યો હતો
કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી મિલકત વહેંચણીમાં તેનાં પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો
વર્ષ 2016માં મામલતદાર જાડેજા અને ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ રૂપિયા 10 કરોડની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો
[caption id="attachment_1391251" align="aligncenter" width="640"] Rajkot - Royal property dispute[/caption]
WatchGujarat. રાજવી પરિવારનાં મિલકત વિવાદ મામલે આજે માંધાતાસિંહજીનાં ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે માંધાતાસિંહજીની અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો તેમજ ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવી સહિતનાં અધિકારીઓ દ્વારા રૂપિયા 10 કરોડની માંગ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં આ મામલે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હોવાનું જણાવ્યું હતું. જવાબમાં ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી પોતે માંધાતાસિંહજી કે રણશૂરવીરસિંહને ક્યારેય નહીં મળ્યા હોવાનું કહી પોતાની ઉપર લાગેલા બધા આરોપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ મુદ્દે પોતે બદનક્ષીનો દાવો કરવા તૈયારી કરતા હોવાનું પણ કહ્યું હતું.
સમગ્ર મામલાની વાત કરીએ તો રાજકોટનાં ઠાકોર માંધાતાસિંહજીનાં બહેન અંબાલિકા દેવીએ મિલકત મામલે માંધાતાસિંહજી સામે દાવો કર્યો હતો. જેમાં પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કરાયું હોવાનું જણાવ્યું હતું. હાલ આ કાયદાકીય લડત સિવિલ કોર્ટમાં પહોંચી છે. આજે સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા. અને કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવાનો સમય માગ્યો હતો. આથી કોર્ટના જજ એલ. ડી. વાઘે 20 સપ્ટેમ્બરની મુદત આપી છે.
બીજીતરફ આ મુદ્દે કૌટુંબિક ભત્રીજા રણશૂરવીરસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી મિલકત વહેંચણીમાં તેનાં પરિવારને અન્યાય થયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે વર્ષ 2016માં મામલતદાર જાડેજા અને ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ રૂપિયા 10 કરોડની માંગ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરી હોવાનું પણ જણાવ્યું હતું.
રણશૂરવીરસિંહે કરેલા આક્ષેપોનાં જવાબમાં ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આક્ષેપોને બેબુનિયાદ ગણાવી ફગાવ્યા છે. તો સાથે જ પોતાના ઉપર આક્ષેપ લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ તેઓ બદનક્ષીનો દાવો કરવાનું પણ વિચારી રહ્યા હોવાનું કહ્યું હતું. અને આ બાબતે તેઓ કાનૂની સલાહ પણ લઇ રહ્યા હોવાનું કહ્યું છે. સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, રણશૂરવીરસિંહે અને તેમના પરિવારજનોનો એક અપીલનો કેસ છે. તે બાબતનું એકપણ વખતે હિયરિંગ મારા 19 મહિનાનાં કાર્યકાળ દરમિયાન થયું નથી. માત્ર બે મહિના પૂર્વે મને અરજી મળી હતી. અરજી મુજબ રણશૂરવીરસિંહ જાડેજા અને તેમના પરિવારજનોનો અપીલનો કેસ મારી કોર્ટમાંથી બદલીને ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલની કોર્ટમાં સાંભળવા વિનંતી કરાઈ છે. આજ દિવસ સુધી માંધાતાસિંહજી તેમજ તેમનો પરિવાર અને રણશૂરવીરસિંહ જાડેજા અને તેમનો પરિવાર ક્યારેય આ બાબતે મને મળ્યો નથી.