પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના 81 વર્ષીય પિતા નંદલાલ રાજા બન્યા પ્રથમ ડોનર
નંદલાલ રાજાના સ્કિન ડોનેશનથી બેંકને 18 યુનિટ જેટલી સ્કિન મળી
સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે
WatchGujarat. રંગીલુ રાજકોટ આમ તો અનેક રીતે પ્રખ્યાત છે. ત્યારે વધુ એક વખત રાજકોટે એક સિદ્ધી હાંસલ કરી છે અને એ છે ગુજરાતની પ્રથમ સ્કિન બેંક જે રાજકોટમાં બનાવવામાં આવી છે તેને પહેલા સ્કીન ડોનર મળી ગયા છે. જી,હાં રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક બનાવવામાં આવી છે. આ બેંકમાં સ્કિન ડોનેટ કરી શકો છો. જે સ્કિન દાઝેલા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.આ ડોનર છે પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના પિતા.
પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના 81 વર્ષીય પિતા નંદલાલ રાજાનું અવસાન થતા તેમને સ્કિન બેંકને જાણ કરી હતી. અને રાજા પરિવાર પહેલા સ્કીન ડોનર બન્યા હતા. સ્કિન બેંક દ્વારા મૃત્યુના 6 કલાક વિત્યા પહેલા ખાસ ટ્રિટમેન્ટ કરીને સ્કિન લેવામાં આવી હતી. નંદલાલ રાજાના સ્કિન ડોનેશનથી બેંકને 18 યુનિટ જેટલી સ્કિન મળી છે. જે આગામી દિવસોમાં અનેક દાઝેલા દર્દીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થશે. મહત્વનું છે કે હાલ સ્કિન બેંક દ્વારા નંદલાલભાઇએ ડોનેટ કરેલી સ્કિનને ક્વોરન્ટાઇન રાખવામાં આવી છે. આ સ્કિનનો કલ્સટર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે જે રિપોર્ટ કર્યા બાદ તેને લોંગટાઇમ સ્ટોરેજ કરવામાં આવશે.
આ સુધી બ્લડ અથવા તો મૃત્યુ બાદ અનેક અંગનું દાન કરી શકાતા હતા. પરંતુ હવે રાજ્યમાં જ સ્કિન ડોનેટ કરી શકાશે, જે દાઝેલા દર્દીઓનું જીવન સુધારી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આ બેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. આ બેંક દાઝી ગયેલા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ બેંકમાં ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે. જેનાથી દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે.
- પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના 81 વર્ષીય પિતા નંદલાલ રાજા બન્યા પ્રથમ ડોનર
- નંદલાલ રાજાના સ્કિન ડોનેશનથી બેંકને 18 યુનિટ જેટલી સ્કિન મળી
- સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે
WatchGujarat. રંગીલુ રાજકોટ આમ તો અનેક રીતે પ્રખ્યાત છે. ત્યારે વધુ એક વખત રાજકોટે એક સિદ્ધી હાંસલ કરી છે અને એ છે ગુજરાતની પ્રથમ સ્કિન બેંક જે રાજકોટમાં બનાવવામાં આવી છે તેને પહેલા સ્કીન ડોનર મળી ગયા છે. જી,હાં રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કિન બેંક બનાવવામાં આવી છે. આ બેંકમાં સ્કિન ડોનેટ કરી શકો છો. જે સ્કિન દાઝેલા દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.આ ડોનર છે પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના પિતા.
પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના 81 વર્ષીય પિતા નંદલાલ રાજાનું અવસાન થતા તેમને સ્કિન બેંકને જાણ કરી હતી. અને રાજા પરિવાર પહેલા સ્કીન ડોનર બન્યા હતા. સ્કિન બેંક દ્વારા મૃત્યુના 6 કલાક વિત્યા પહેલા ખાસ ટ્રિટમેન્ટ કરીને સ્કિન લેવામાં આવી હતી. નંદલાલ રાજાના સ્કિન ડોનેશનથી બેંકને 18 યુનિટ જેટલી સ્કિન મળી છે. જે આગામી દિવસોમાં અનેક દાઝેલા દર્દીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થશે. મહત્વનું છે કે હાલ સ્કિન બેંક દ્વારા નંદલાલભાઇએ ડોનેટ કરેલી સ્કિનને ક્વોરન્ટાઇન રાખવામાં આવી છે. આ સ્કિનનો કલ્સટર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે જે રિપોર્ટ કર્યા બાદ તેને લોંગટાઇમ સ્ટોરેજ કરવામાં આવશે.
આ સુધી બ્લડ અથવા તો મૃત્યુ બાદ અનેક અંગનું દાન કરી શકાતા હતા. પરંતુ હવે રાજ્યમાં જ સ્કિન ડોનેટ કરી શકાશે, જે દાઝેલા દર્દીઓનું જીવન સુધારી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આ બેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. આ બેંક દાઝી ગયેલા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ બેંકમાં ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે. જેનાથી દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે.