વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરિક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી
બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં વિદ્યાર્થીઓનાં માર્ક્સમાં છબરડો સામે આવ્યો
પેપર 50 માર્ક્સનું હતુ,જેમાં 10 વિદ્યાર્થીઓનાં માર્ક્સ 50થી વધુ આપવામાં આવ્યા
કુલપતિએ કહ્યું ટેકનિકલ ખામીનાં કારણે આ સમસ્યા ઊભી થઇ
WatchGujarat.કોરોનાને કારણે હાલમાં શિક્ષણ નિતીમાં ભારે ફેરફાર થયો છે. અભ્યાસ,પરિક્ષા અને પરિણામ પણ ઓનલાઇન આપવામાં આવી રહ્યા છે. ત્યારે તેના કારણે તેમના અભ્યાસને અને કારકિર્દીને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે.આટલું ઓછું હોય તેમ હાલમાં જ ગુજરાતનાં સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરિક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી છે.ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં વિદ્યાર્થીઓનાં માર્ક્સમાં છબરડો સામે આવ્યો છે.યુનિવર્સિટીએ 50 માર્ક્સની પરિક્ષામાં 75 અને 74 માર્ક્સ આપ્યા છે. આ મોટી બેદરકારીનાં કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી જવાબદાર વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવાની માંગણી પણ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓનલાઇન પરિક્ષામાં અનેક છબરડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3નાં હોમ સાયન્સ 5 હ્યુમન ડેવલમેન્ટ વિષયથી પરિક્ષા હતી.જેનું પરિણામ ચોથી તારીખે સાંજે જાહેર કરવામાં આવ્યું હતુ. પરંતુ કેટલાક વિદ્યાર્થીને 74 અને 75 જેવા માકર્સ મળતા તેઓ ચોંકી ગયા હતા.ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં પેપર 50 માર્ક્સનું હતુ.જેમાં 10 વિદ્યાર્થીઓનાં માર્ક્સ 50થી વધુ આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ આ છબરડા વિશે વાત કરતા યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ યાવડાએ જણાવ્યું હતુ કે ટેકનિકલ સમસ્યાને કારણે તે વિદ્યાર્થીઓના લોગ-ઇન બે વખત થયા હતા.પહેલા લોગ-ઇન થયા બાદ ટેકનિકલ સમસ્યા આવતા ફરીથી લોગ ઇન કર્યા હતા. જેને કારણે તેઓના માર્ક્સ ડબલ થયા હતા. ટેકનિકલ સમસ્યાની દૂર કરવામાં આવી હતી અને માર્ક્સમાં સુધારો કરીને વિદ્યાર્થીઓને ફરીથી માર્ક્સની જાણ કરવામાં આવશે.
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરિક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી
- બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં વિદ્યાર્થીઓનાં માર્ક્સમાં છબરડો સામે આવ્યો
- પેપર 50 માર્ક્સનું હતુ,જેમાં 10 વિદ્યાર્થીઓનાં માર્ક્સ 50થી વધુ આપવામાં આવ્યા
- કુલપતિએ કહ્યું ટેકનિકલ ખામીનાં કારણે આ સમસ્યા ઊભી થઇ
WatchGujarat.કોરોનાને કારણે હાલમાં શિક્ષણ નિતીમાં ભારે ફેરફાર થયો છે. અભ્યાસ,પરિક્ષા અને પરિણામ પણ ઓનલાઇન આપવામાં આવી રહ્યા છે. ત્યારે તેના કારણે તેમના અભ્યાસને અને કારકિર્દીને પણ મોટું નુકસાન થઇ રહ્યું છે.આટલું ઓછું હોય તેમ હાલમાં જ ગુજરાતનાં સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરિક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી છે.ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં વિદ્યાર્થીઓનાં માર્ક્સમાં છબરડો સામે આવ્યો છે.યુનિવર્સિટીએ 50 માર્ક્સની પરિક્ષામાં 75 અને 74 માર્ક્સ આપ્યા છે. આ મોટી બેદરકારીનાં કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ ABVP દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપી જવાબદાર વિરૂદ્ધ યોગ્ય પગલાં લેવાની માંગણી પણ કરી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં ઓનલાઇન પરિક્ષામાં અનેક છબરડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3નાં હોમ સાયન્સ 5 હ્યુમન ડેવલમેન્ટ વિષયથી પરિક્ષા હતી.જેનું પરિણામ ચોથી તારીખે સાંજે જાહેર કરવામાં આવ્યું હતુ. પરંતુ કેટલાક વિદ્યાર્થીને 74 અને 75 જેવા માકર્સ મળતા તેઓ ચોંકી ગયા હતા.ચોથી ડિસેમ્બરે બીએ સેમેસ્ટર-3ની પરિક્ષામાં પેપર 50 માર્ક્સનું હતુ.જેમાં 10 વિદ્યાર્થીઓનાં માર્ક્સ 50થી વધુ આપવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ આ છબરડા વિશે વાત કરતા યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ યાવડાએ જણાવ્યું હતુ કે ટેકનિકલ સમસ્યાને કારણે તે વિદ્યાર્થીઓના લોગ-ઇન બે વખત થયા હતા.પહેલા લોગ-ઇન થયા બાદ ટેકનિકલ સમસ્યા આવતા ફરીથી લોગ ઇન કર્યા હતા. જેને કારણે તેઓના માર્ક્સ ડબલ થયા હતા. ટેકનિકલ સમસ્યાની દૂર કરવામાં આવી હતી અને માર્ક્સમાં સુધારો કરીને વિદ્યાર્થીઓને ફરીથી માર્ક્સની જાણ કરવામાં આવશે.