રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલ વેચાણ બંધ કરવામાં આવ્યું
જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે
WatchGujarat.ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી કોઇ વધારો ન થયો હોય પરંતુ જે ભાવ હાલમાં પેટ્રોલ અને ડીઝલનો છે તે પણ ઓછો નથી. લગભગ દેશના મોટાભાગના રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા લિટર મળી રહ્યું છે. વળી કહેવાય છે કે, આ વધારો ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવાના કારણે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના ભાવમાં વધારો યથાવત છે. ત્યારે પ્રજા તો પરેશાન છે જ પરંતુ કેટલીક ખાનગી પેટ્રોલ પંપ બંધ થઇ રહ્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે. રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલ વેચાણ બંધ કરવામાં આવ્યું છે.જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે ત્યારે રવિવારે અમદાવાદ શહેરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવવા ગયેલા લોકોને તેમના વાહનોમાં પેટ્રોલ ભરી આપવામાં આવતું નહોતું. અને જ્યા પુરી આપવામાં આવતું હતુ ત્યા ટૂ-વ્હીલરમાં એક લિટર તો ફોર વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું. રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે એ આ કંપનીઓને પણ પડી શકે છે. રાજ્યમાં એસઆરના આશરે 1500 અને સેલના આશરે 60 પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર વધારે અસર જોવા મળશે નહીં. આ પહેલા 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર જે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે, તે આવનારા સમયમાં અન્ય પેટ્રોલ પંપને પણ થઇ શકે તો નવાઇ નહી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. તો બીજી તરફ ઘણા લોકો એવા પણ છે કે જેમણે ઈલેક્ટ્રિક વાહનો તરફ જવું પસંદ કર્યું છે.
- રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલ વેચાણ બંધ કરવામાં આવ્યું
- જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે
WatchGujarat.ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી કોઇ વધારો ન થયો હોય પરંતુ જે ભાવ હાલમાં પેટ્રોલ અને ડીઝલનો છે તે પણ ઓછો નથી. લગભગ દેશના મોટાભાગના રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા લિટર મળી રહ્યું છે. વળી કહેવાય છે કે, આ વધારો ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો થવાના કારણે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના ભાવમાં વધારો યથાવત છે. ત્યારે પ્રજા તો પરેશાન છે જ પરંતુ કેટલીક ખાનગી પેટ્રોલ પંપ બંધ થઇ રહ્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. વધતા ભાવોની આડઅસર જોવા મળી રહી છે. રાજ્યમાં રિલાયન્સના 160 પંપ પર પેટ્રોલ વેચાણ બંધ કરવામાં આવ્યું છે.જેની પાછળનું કારણ ક્રૂડની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ છે ત્યારે રવિવારે અમદાવાદ શહેરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ભરાવવા ગયેલા લોકોને તેમના વાહનોમાં પેટ્રોલ ભરી આપવામાં આવતું નહોતું. અને જ્યા પુરી આપવામાં આવતું હતુ ત્યા ટૂ-વ્હીલરમાં એક લિટર તો ફોર વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપવામાં આવતું હતું. રિલાયન્સ ઉપરાંત ખાનગી ક્ષેત્રના એસઆર કંપની અને સેલ કંપનીના પણ પેટ્રોલ પંપ છે. જે મુશ્કેલી રિલાયન્સને પડી રહી છે એ આ કંપનીઓને પણ પડી શકે છે. રાજ્યમાં એસઆરના આશરે 1500 અને સેલના આશરે 60 પેટ્રોલ પંપ છે. રાજ્યમાં આશરે 4 હજાર સરકારી કંપનીના પેટ્રોલ પંપ છે. હાલ સરકારી પેટ્રોલ પંપ પર વધારે અસર જોવા મળશે નહીં. આ પહેલા 2008માં પણ રિલાયન્સ પેટ્રોલ પંપ બંધ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં રિલાયન્સના પેટ્રોલ પંપ પર જે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે, તે આવનારા સમયમાં અન્ય પેટ્રોલ પંપને પણ થઇ શકે તો નવાઇ નહી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. તો બીજી તરફ ઘણા લોકો એવા પણ છે કે જેમણે ઈલેક્ટ્રિક વાહનો તરફ જવું પસંદ કર્યું છે.