Watchgujarat. કોવીડ19નો નવો વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ખતરનાક છે ત્યારે તેની લોકમાનસ પર શું અસર થશે તે જાણવાના હેતુથી મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓમિક્રોન વેરિયન્ટ પર મનોવૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે કુલ 1170 લોકોએ પોતાના જવાબો આપ્યા હતા. જેમાં રોચક તથ્યો સામે આવ્યા હતા.
શુ તમે કોવિડ-19ના નવા વાઇરસ ઓમિક્રોનથી ભય અનુભવો છો?
આ પ્રશ્નના જવાબમાં ૬૦.૮૦ % લોકોએ હા કહી હતી. એટલે કે લગભગ 61% લોકો ભયભીત છે.
શુ તમને લાગે છે કે ઓમીક્રોન વાઇરસ ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ખતરનાક હશે ?
આ પ્રશ્નના જવાબમાં ૬૪.૭૦% લોકોએ હા કહી હતી. એટલે કે લગભગ 65% લોકોને આ વાયરસ ખતરનાક લાગી રહ્યો છે.
WHOએ ઓમીક્રોનને ચિંતાજનક શ્રેણીમાં રાખ્યો છે શું તમને લાગે છે કે આની અસરો બહુ ગંભીર થશે?
આ પ્રશ્નના જવાબમાં ૭૦.૬૦% લોકોએ હા કહી. એટલે કે 71% આજુબાજુ લોકો ઓમીક્રોનની ગંભીર અસરો પડશે એવું માની રહ્યા છે.
ઓમીક્રોન વેરીયન્ટની કેવી અસરો થશે?
આ પ્રશ્નના જવાબમાં ૩૩.૩૦% લોકોએ અતિગંભીર કહ્યું, ૩૧.૪૦% લોકોએ ગંભીર કહી, ૨૯.૪૦% લોકોએ સામાન્ય કહ્યું, ૫.૯૦% લોકોએ નહીવત કહ્યું.
WHO એ ઓમીક્રોનને ડેલ્ટા વેરીયન્ટ કરતા પણ વધુ ઝડપથી ફેલાશે એવું કહ્યું છે ત્યારે તમને લાગે છે કે તે ગુજરાતમાં પણ વધુ ફેલાશે?
આ પ્રશ્નના જવાબમાં ૫૧% લોકોએ હા કહી.
ઓમીક્રોનનો કેસ કર્ણાટકમાં અને ગુજરાતમાં નોંધાયો છે લોકોએ સાવચેત થવું જોઈએ?
પ્રશ્નમાં ૯૬.૧૦% લોકોએ હા કહી.
અન્ય મંતવ્ય : ઓમિક્રોન વિશે લોકોએ પોતાના મંતવ્યો આપતા જણાવ્યું હતું કે સાવચેતી રાખીને રહેવું કોવિડ ગાઇડ લાઇન ફોલો કરવામાં આવે તેનુ દરેક વ્યક્તિએ ઘ્યાન રાખવું જોઈએ. Covid-19થી વધારે સાવચેતી રાખવી કારણ કે,ખૂબ જ ખતરનાક સ્થીતી સર્જાઈ શકે છે. લોકો એ આ બાબત ને ગંભીરતાથી લઈ સાવચેતી જાળવવી જોઈએ. ધ્યાન રાખવાનું અને લોકોને વધુને વધુ જાગૃત કરવા જોઈએ. સાવચેતી રાખીને રહેવું કોવિડ ગાઇડ લાઇન ફોલો કરવામાં આવે તેનુ દરેક વ્યક્તિએ ઘ્યાન રાખવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બરે સૌપ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ નામનાં નવા સ્ટ્રેનનો કેસ નોધાયો છે. આલ્ફા, બીતા, ગામા, ડેલ્ટા બાદ ઓમિક્રોન વેરીએન્ટ ડેલ્ટા કરતા વધુ ચિંતાજનક હોય શકે છે. ડેલ્ટા વેરીએન્ટથી દિવસમાં 4 લાખથી વધુ લોકો એક દિવસમાં સંક્રમિત થતા હતા. ડેલ્ટા કરતા ઓમિક્રોન વેરીએન્ટના સ્પાઇક પ્રોટીનમાં 34 રેશીડ્યું પરિવર્ત્તન આવ્યું છે. મતલબ કે ડેલ્ટા કરતા 4% વધુ ઘાતક છે. જેને લઈને ઓમિક્રોન વેરીએન્ટ ઝડપથી ફેલાવાની શક્યતા વધુ છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
Watchgujarat. કોવીડ19નો નવો વાઈરસ ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધુ ખતરનાક છે ત્યારે તેની લોકમાનસ પર શું અસર થશે તે જાણવાના હેતુથી મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓમિક્રોન વેરિયન્ટ પર મનોવૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે કુલ 1170 લોકોએ પોતાના જવાબો આપ્યા હતા. જેમાં રોચક તથ્યો સામે આવ્યા હતા.
શુ તમે કોવિડ-19ના નવા વાઇરસ ઓમિક્રોનથી ભય અનુભવો છો?
આ પ્રશ્નના જવાબમાં ૬૦.૮૦ % લોકોએ હા કહી હતી. એટલે કે લગભગ 61% લોકો ભયભીત છે.
શુ તમને લાગે છે કે ઓમીક્રોન વાઇરસ ડેલ્ટા વેરિયન્ટ કરતા વધુ ખતરનાક હશે ?
આ પ્રશ્નના જવાબમાં ૬૪.૭૦% લોકોએ હા કહી હતી. એટલે કે લગભગ 65% લોકોને આ વાયરસ ખતરનાક લાગી રહ્યો છે.
WHOએ ઓમીક્રોનને ચિંતાજનક શ્રેણીમાં રાખ્યો છે શું તમને લાગે છે કે આની અસરો બહુ ગંભીર થશે?
આ પ્રશ્નના જવાબમાં ૭૦.૬૦% લોકોએ હા કહી. એટલે કે 71% આજુબાજુ લોકો ઓમીક્રોનની ગંભીર અસરો પડશે એવું માની રહ્યા છે.
ઓમીક્રોન વેરીયન્ટની કેવી અસરો થશે?
આ પ્રશ્નના જવાબમાં ૩૩.૩૦% લોકોએ અતિગંભીર કહ્યું, ૩૧.૪૦% લોકોએ ગંભીર કહી, ૨૯.૪૦% લોકોએ સામાન્ય કહ્યું, ૫.૯૦% લોકોએ નહીવત કહ્યું.
WHO એ ઓમીક્રોનને ડેલ્ટા વેરીયન્ટ કરતા પણ વધુ ઝડપથી ફેલાશે એવું કહ્યું છે ત્યારે તમને લાગે છે કે તે ગુજરાતમાં પણ વધુ ફેલાશે?
આ પ્રશ્નના જવાબમાં ૫૧% લોકોએ હા કહી.
ઓમીક્રોનનો કેસ કર્ણાટકમાં અને ગુજરાતમાં નોંધાયો છે લોકોએ સાવચેત થવું જોઈએ?
પ્રશ્નમાં ૯૬.૧૦% લોકોએ હા કહી.
અન્ય મંતવ્ય : ઓમિક્રોન વિશે લોકોએ પોતાના મંતવ્યો આપતા જણાવ્યું હતું કે સાવચેતી રાખીને રહેવું કોવિડ ગાઇડ લાઇન ફોલો કરવામાં આવે તેનુ દરેક વ્યક્તિએ ઘ્યાન રાખવું જોઈએ. Covid-19થી વધારે સાવચેતી રાખવી કારણ કે,ખૂબ જ ખતરનાક સ્થીતી સર્જાઈ શકે છે. લોકો એ આ બાબત ને ગંભીરતાથી લઈ સાવચેતી જાળવવી જોઈએ. ધ્યાન રાખવાનું અને લોકોને વધુને વધુ જાગૃત કરવા જોઈએ. સાવચેતી રાખીને રહેવું કોવિડ ગાઇડ લાઇન ફોલો કરવામાં આવે તેનુ દરેક વ્યક્તિએ ઘ્યાન રાખવું જોઈએ તેવું લોકો માની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ૨૬ નવેમ્બરે સૌપ્રથમ ઓમિક્રોન વેરીએન્ટ નામનાં નવા સ્ટ્રેનનો કેસ નોધાયો છે. આલ્ફા, બીતા, ગામા, ડેલ્ટા બાદ ઓમિક્રોન વેરીએન્ટ ડેલ્ટા કરતા વધુ ચિંતાજનક હોય શકે છે. ડેલ્ટા વેરીએન્ટથી દિવસમાં 4 લાખથી વધુ લોકો એક દિવસમાં સંક્રમિત થતા હતા. ડેલ્ટા કરતા ઓમિક્રોન વેરીએન્ટના સ્પાઇક પ્રોટીનમાં 34 રેશીડ્યું પરિવર્ત્તન આવ્યું છે. મતલબ કે ડેલ્ટા કરતા 4% વધુ ઘાતક છે. જેને લઈને ઓમિક્રોન વેરીએન્ટ ઝડપથી ફેલાવાની શક્યતા વધુ છે. ત્યારે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.