નવા પ્લેનની જરૂરિયાત ઉભી થઈ, સેવા શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધીમાં માત્ર 2500 જેટલા જ પ્રવાસીઓએ લઈ શક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી-પ્લેન સુવિધા શરૂ કરી હતી
WatchGujarat. રાજ્યના પર્યટન સ્થળોમાં અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ પણ સામેલ છે. તેમજ કેવડિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી સી-પ્લેન સુવિધાને ગ્રહણ લાગી ગયું છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સી-પ્લેન સુવિધાને રિપેરીંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. આ સુવિધા માટે ઉપયોગમાં લેવાતું પ્લેન એટલી ખરાબ હાલતમાં છે કે તેને વાંરવાર મરામતની જરૂર પડે છે. એટલું છે નહીં 11 પહેલા શરૂ કરાયેલી આ સી-પ્લેન સુવિધા 7 મહિના તો બંધ રહી છે. એવામાં હવે નવા પ્લેનની જરૂરિયાત ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેમાં એકસાથે 19 લોકો બેસી શકે છે. જોકે 11 મહિનામાં માત્ર 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. આ સુવિધાને 11 મહિના થયાં છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે. આશ્ચર્યજનક બાબત છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે. જેનું કારણ છે કે આ સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા પ્લેનને વાંરવાર મરામતની જરૂર પડે છે. જે માટે તેને માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે વાંરવાર માલદિવ્સ મોકલવામાં આવતું હોવાથી સી-પ્લેન સેવા યથાવત ચાલુ રહેતી નથી.
નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી
ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ થાય તે માટે સી-પ્લેનનો કન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઇને આવ્યા હતા. ગુજરાત વિધાનસભા-2017ની ચૂંટણીમાં રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરીને નરેન્દ્ર મોદી અંબાજી માતાના દર્શને ગયા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ટુરિઝમમાં સી-પ્લેનનો કન્સેપ્ટ ઉમેરાશે. જે બાદ પ્રધાનમંત્રીએ ગયા વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની પ્રથમ હવાઇ મુસાફરી શરૂ કરાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સી-પ્લેન સુવિધામાં આ પ્લેને 284 વખત ઉડાન ભરી છે. હાલ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી.
જોકે રાજ્યની તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રને આ અંગે રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી. ગુજરાતમાં નવી સરકારની રચના થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરાશે.
સી-પ્લેન માટે ચાર એરોડ્રામ બનાવવાની જરૂર
સી-પ્લેન સુવિધા માટે નવા પ્લેનની જ નહીં પરંતુ ચાર નવા એરોડ્રામ બનાવવાની પણ જરૂર છે. મળતી વિગતો અનુસાર ગત વર્ષે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું હતું કે, ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદશિકા પ્રમાણે સી-પ્લેન માટે પાણીની સપાટી ઓછામાં ઓછી છ ફુટની હોવી જોઇએ. જેથી આ સી-પ્લેન ફરિ શરૂ કરવા માટે નવા પ્લેન અને એરોડ્રામ બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે રાજ્ય સરકાર આ અંગે ક્યારે પગલા લે છે તે જોવાનું રહ્યું.
નવા પ્લેનની જરૂરિયાત ઉભી થઈ, સેવા શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધીમાં માત્ર 2500 જેટલા જ પ્રવાસીઓએ લઈ શક્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી-પ્લેન સુવિધા શરૂ કરી હતી
WatchGujarat. રાજ્યના પર્યટન સ્થળોમાં અમદાવાદનું સાબરમતી રિવરફ્રન્ટ પણ સામેલ છે. તેમજ કેવડિયાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી સી-પ્લેન સુવિધાને ગ્રહણ લાગી ગયું છે. પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સી-પ્લેન સુવિધાને રિપેરીંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. આ સુવિધા માટે ઉપયોગમાં લેવાતું પ્લેન એટલી ખરાબ હાલતમાં છે કે તેને વાંરવાર મરામતની જરૂર પડે છે. એટલું છે નહીં 11 પહેલા શરૂ કરાયેલી આ સી-પ્લેન સુવિધા 7 મહિના તો બંધ રહી છે. એવામાં હવે નવા પ્લેનની જરૂરિયાત ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે 31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટથી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેમાં એકસાથે 19 લોકો બેસી શકે છે. જોકે 11 મહિનામાં માત્ર 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. આ સુવિધાને 11 મહિના થયાં છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે. આશ્ચર્યજનક બાબત છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે. જેનું કારણ છે કે આ સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા પ્લેનને વાંરવાર મરામતની જરૂર પડે છે. જે માટે તેને માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે વાંરવાર માલદિવ્સ મોકલવામાં આવતું હોવાથી સી-પ્લેન સેવા યથાવત ચાલુ રહેતી નથી.
નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી
ગુજરાતમાં ટુરિઝમનો વિકાસ થાય તે માટે સી-પ્લેનનો કન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઇને આવ્યા હતા. ગુજરાત વિધાનસભા-2017ની ચૂંટણીમાં રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરીને નરેન્દ્ર મોદી અંબાજી માતાના દર્શને ગયા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ટુરિઝમમાં સી-પ્લેનનો કન્સેપ્ટ ઉમેરાશે. જે બાદ પ્રધાનમંત્રીએ ગયા વર્ષે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનની પ્રથમ હવાઇ મુસાફરી શરૂ કરાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સી-પ્લેન સુવિધામાં આ પ્લેને 284 વખત ઉડાન ભરી છે. હાલ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી.
જોકે રાજ્યની તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રને આ અંગે રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી. ગુજરાતમાં નવી સરકારની રચના થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. આ અંગે મીડિયા સાથે વાત કરતાં રાજ્યના સિવિલ એવિયેશન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરાશે.
સી-પ્લેન માટે ચાર એરોડ્રામ બનાવવાની જરૂર
સી-પ્લેન સુવિધા માટે નવા પ્લેનની જ નહીં પરંતુ ચાર નવા એરોડ્રામ બનાવવાની પણ જરૂર છે. મળતી વિગતો અનુસાર ગત વર્ષે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નક્કી કર્યું હતું કે, ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સી-પ્લેન લેન્ડ થઇ શકે તે માટે પાણીમાં 800 થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદશિકા પ્રમાણે સી-પ્લેન માટે પાણીની સપાટી ઓછામાં ઓછી છ ફુટની હોવી જોઇએ. જેથી આ સી-પ્લેન ફરિ શરૂ કરવા માટે નવા પ્લેન અને એરોડ્રામ બનાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. ત્યારે રાજ્ય સરકાર આ અંગે ક્યારે પગલા લે છે તે જોવાનું રહ્યું.