તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે Narendra Modi ના કાર્યક્રમને લઈ બંધ કરાયું
નર્મદા ઘાટ, ભૂલભૂલૈયા ગાર્ડન, યુનિટી FM, ઇ-સિટી સહિતના પ્રોજેક્ટોનું લોકાર્પણ, 5000 રૂમની બજેટ હોટલ અને રોયલ મ્યુઝિયમનું PM મોદી કરશે ભૂમિપૂજન
આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે
પ્રધાનમંત્રી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત
WatchGujarat. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરે કેવડીયા SOU ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિય ક્ક્ષાની PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ STATUE OF UNITY તા. 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાયું છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા SOU ખાતે પ્રતિવર્ષની જેમ 31 મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની PM મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. વડાપ્રધાન Narendra Modi સરદાર સાહેબની પ્રતિમાને અંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
PM નરેન્દ્ર મોદી કેવડિયા SOU ખાતે 30 ઓક્ટોબરે આવી પોહચશે. જેઓના હસ્તે ₹14 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નર્મદા ઘાટનું લોકાર્પણ કરી નર્મદા મૈયાની ગંગા મૈયાની જેમ મહાઆરતીનો આરંભ કરાવાશે.
સાથે જ ટ્રાયલ બેઝ પર ચાલતા યુનિટી રેડિયો અને ભૂલ ભૂલૈયા પાર્ક, દેશની પેહલી ઇ-સિટીનું પણ લોકાર્પણ માટેની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે. જ્યારે 5000 રૂમની બજેટ હોટલ અને રોયલ મ્યુઝિયમનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનારું છે. 31 ઓક્ટોબરે એકતા પરેડમાં ભાગ લઈ સરદાર પટેલને જન્મજયંતિએ વડાપ્રધાન અંજલિ આપશે.
વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્ર અને રાજ્યના અન્ય મંત્રીઓ પણ જોડાઈ શકે છે. જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે SOU બંધ કરાયું છે.
તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે Narendra Modi ના કાર્યક્રમને લઈ બંધ કરાયું
આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીયકક્ષાનો સમારોહ કેવડિયા ખાતે યોજાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે
પ્રધાનમંત્રી સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ રહેશે ઉપસ્થિત
WatchGujarat. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરે કેવડીયા SOU ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રિય ક્ક્ષાની PM નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ STATUE OF UNITY તા. 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ કરાયું છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા SOU ખાતે પ્રતિવર્ષની જેમ 31 મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની PM મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી થનારી છે. વડાપ્રધાન Narendra Modi સરદાર સાહેબની પ્રતિમાને અંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
PM નરેન્દ્ર મોદી કેવડિયા SOU ખાતે 30 ઓક્ટોબરે આવી પોહચશે. જેઓના હસ્તે ₹14 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા નર્મદા ઘાટનું લોકાર્પણ કરી નર્મદા મૈયાની ગંગા મૈયાની જેમ મહાઆરતીનો આરંભ કરાવાશે.
સાથે જ ટ્રાયલ બેઝ પર ચાલતા યુનિટી રેડિયો અને ભૂલ ભૂલૈયા પાર્ક, દેશની પેહલી ઇ-સિટીનું પણ લોકાર્પણ માટેની તૈયારીઓ હાથ ધરી દેવાઈ છે. જ્યારે 5000 રૂમની બજેટ હોટલ અને રોયલ મ્યુઝિયમનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન થનારું છે. 31 ઓક્ટોબરે એકતા પરેડમાં ભાગ લઈ સરદાર પટેલને જન્મજયંતિએ વડાપ્રધાન અંજલિ આપશે.
વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કેન્દ્ર અને રાજ્યના અન્ય મંત્રીઓ પણ જોડાઈ શકે છે. જેને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે SOU બંધ કરાયું છે.