પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું પાંચ મહિના પહેલા જ કોરોના નો પહેલો ડોઝ લીધા બાદ ચાર દિવસ પછી મૃત્યુ થયું
પાંચ મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા
પાલિકાના અધિકારીઓના ટેક્નિકલ એરર આવી રહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે
WatchGujarat. સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન કામગીરીમાં અગ્રેસર છે. સુરત મનપા દ્વારા અત્યારસુધી 98.28 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલા વેક્સિનેશનના મહા અભિયાનમાં પણ સુરત કોર્પોરેશનની કામગીરી સર્વ શ્રેષ્ઠ રહી હતી.
પણ એ નવી વાત નથી કે વેક્સીન લીધા વિના જ સર્ટિફિકેટ મળી જાય છે. અને આવી તો અસંખ્ય ફરિયાદો સુરત મનપાના આરોગ્ય વિભાગ પાસે પણ આવી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ ભલે તેને ટેક્નિકલ ફોલ્ટ કે એરર ગણાવી રહ્યા હોય પણ એ હકીકત છે કે આવી એક બે નહીં પણ અસંખ્ય ફરિયાદો સામે આવતા દાળમાં કંઈક તો કાળું છે એવી ગંધ આવી રહી છે.
સુરતના આવા એક બે કિસ્સા તો અત્યંત ચોંકાવનારા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું પાંચ મહિના પહેલા જ કોરોના નો પહેલો ડોઝ લીધા બાદ ચાર દિવસ પછી મૃત્યુ થયું હતું. જોકે પાંચ મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બીજા ડોઝ માટે કોર્પોરેશનના ફોન આવતા તેઓએ સાસુનું મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું પણ વારંવાર જણાવ્યું હતું. તેમ છતાં પાંચ મહિના પછી તેઓ ફુલ્લી વેક્સીનેટેડ થઇ ગયા હોવાનો મેસેજ આવતા તેઓ પણ ચોંકી ગયા છે.
સાંઈ વાની નું કહેવું છે કે કોર્પોરેશનની આટલી બેદરકારી કઈ રીતે હોય શકે જે તેમને મૃત વ્યક્તિ વિષે જણાવવા છતાં પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોવાનો મેસેજ કરી શકે. શું સરકાર પાસે પૈસા પડાવવાની આ કોઈ સ્કીમ છે કે પછી આંકડામાં આગળ બતાવવાની હરીફાઈ છે તે સમજાતું નથી.
જયારે બીજા એક કિસ્સામાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવક કે જેણે હજી વેક્સીન લેવાની બાકી છે તેના મોબાઈલ નંબર પર જમ્મુ કાશ્મીરની એક યુવતીએ વેક્સીન લઇ લીધો હોવાનો મેસેજ મળતા તે પણ આશ્ચર્યમાં મુકાયો છે. તેનું કહેવું છે કે તે ડિસેમ્બર મહિનામાં વેક્સીન લેવા માટે એલિજેબલ થાય છે. પણ હવે કોઈએ તેના મોબાઈલ નંબર વાપરીને વેક્સીન લઇ લીધી છે. જેથી હવે તેને વેક્સીન મળશે કે કેમ તે એક સવાલ છે. જોકે ઓટીપી વગર આ શક્ય કેવી રીતે બન્યું તે પણ એક સવાલ છે.
આ અંગે પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમાં ટેક્નિકલ એરર આવી રહી છે. જેને અમે દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. વોચ ગુજરાતે દર્શાવેલા બે કિસ્સા બાબતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરે તે ઇચ્છનીય છે.
પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું પાંચ મહિના પહેલા જ કોરોના નો પહેલો ડોઝ લીધા બાદ ચાર દિવસ પછી મૃત્યુ થયું
પાંચ મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા
પાલિકાના અધિકારીઓના ટેક્નિકલ એરર આવી રહી હોવાનું ગાણું ગાઇ રહ્યા છે
WatchGujarat. સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન કામગીરીમાં અગ્રેસર છે. સુરત મનપા દ્વારા અત્યારસુધી 98.28 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલા વેક્સિનેશનના મહા અભિયાનમાં પણ સુરત કોર્પોરેશનની કામગીરી સર્વ શ્રેષ્ઠ રહી હતી.
પણ એ નવી વાત નથી કે વેક્સીન લીધા વિના જ સર્ટિફિકેટ મળી જાય છે. અને આવી તો અસંખ્ય ફરિયાદો સુરત મનપાના આરોગ્ય વિભાગ પાસે પણ આવી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓ ભલે તેને ટેક્નિકલ ફોલ્ટ કે એરર ગણાવી રહ્યા હોય પણ એ હકીકત છે કે આવી એક બે નહીં પણ અસંખ્ય ફરિયાદો સામે આવતા દાળમાં કંઈક તો કાળું છે એવી ગંધ આવી રહી છે.
સુરતના આવા એક બે કિસ્સા તો અત્યંત ચોંકાવનારા છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા સાંઈ વાની નામની મહિલાના સાસુ કસ્તુરબા વાનીનું પાંચ મહિના પહેલા જ કોરોના નો પહેલો ડોઝ લીધા બાદ ચાર દિવસ પછી મૃત્યુ થયું હતું. જોકે પાંચ મહિના પછી મૃત સાસુને વેક્સિનનો બીજો ડોઝ મળવાનો મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બીજા ડોઝ માટે કોર્પોરેશનના ફોન આવતા તેઓએ સાસુનું મૃત્યુ થઇ ચૂક્યું હોવાનું પણ વારંવાર જણાવ્યું હતું. તેમ છતાં પાંચ મહિના પછી તેઓ ફુલ્લી વેક્સીનેટેડ થઇ ગયા હોવાનો મેસેજ આવતા તેઓ પણ ચોંકી ગયા છે.
સાંઈ વાની નું કહેવું છે કે કોર્પોરેશનની આટલી બેદરકારી કઈ રીતે હોય શકે જે તેમને મૃત વ્યક્તિ વિષે જણાવવા છતાં પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોવાનો મેસેજ કરી શકે. શું સરકાર પાસે પૈસા પડાવવાની આ કોઈ સ્કીમ છે કે પછી આંકડામાં આગળ બતાવવાની હરીફાઈ છે તે સમજાતું નથી.
જયારે બીજા એક કિસ્સામાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવક કે જેણે હજી વેક્સીન લેવાની બાકી છે તેના મોબાઈલ નંબર પર જમ્મુ કાશ્મીરની એક યુવતીએ વેક્સીન લઇ લીધો હોવાનો મેસેજ મળતા તે પણ આશ્ચર્યમાં મુકાયો છે. તેનું કહેવું છે કે તે ડિસેમ્બર મહિનામાં વેક્સીન લેવા માટે એલિજેબલ થાય છે. પણ હવે કોઈએ તેના મોબાઈલ નંબર વાપરીને વેક્સીન લઇ લીધી છે. જેથી હવે તેને વેક્સીન મળશે કે કેમ તે એક સવાલ છે. જોકે ઓટીપી વગર આ શક્ય કેવી રીતે બન્યું તે પણ એક સવાલ છે.
આ અંગે પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સાઓમાં ટેક્નિકલ એરર આવી રહી છે. જેને અમે દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. વોચ ગુજરાતે દર્શાવેલા બે કિસ્સા બાબતે પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરે તે ઇચ્છનીય છે.