ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકના મિત્રએ કટ મારી ઓવરટેક કરતા થયો ઝગડો
ગતરોજ અમિત રવાની અને તેનો મિત્ર આદિત્ય સિહ અખિલેશ રાજપૂત સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભંડારો હોવાથી જમવા ગયા હતા
જ્યાં ઓવરટેક કરવા મામલે ઝગડો થયો હતો. જે વકરતા આખરે હિંસક હુમલામાં પરિણમ્યો હતો
WatchGujarat. સુરતના ગોડાદરા વિસ્તારમાં બાઈકને કટ મારી ઓવરટેરક કરવા મુદ્દે થયેલા ઝગડામાં ગણેશ પંડાલના ભંડારમાં જમ્યા બાદ સમાધાન માટે બોલાવી યુવકની પત્થર અને છરાના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના ગોડાદરા આસ્તિકનગરની બાજુમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતા અમિત કુમાર ગોપાલકુમાર રવાની બે દિવસ અગાઉ કામ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો. દરમ્યાન તેનો મિત્ર અમિત ઉર્ફે પ્રદ્યુમ્ન યાદવ એ બાઈકને કટ મારી હતી. જેથી અમિત યાદવ અને અમિત રવાની વચ્ચે ઝગડો થયો હતો. બાદમાં તેઓ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ગતરોજ અમિત રવાની અને તેનો મિત્ર આદિત્ય સિહ અખિલેશ રાજપૂત સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભંડારો હોવાથી જમવા ગયા હતા. જ્યાં અમિત યાદવ અને તેના મિત્ર રોહિત ઉર્ફે વિક્કી યાદવ તથા રીતુરાજ પાસવાન પણ આવ્યા હતા. જ્યાં તેઓ વચ્ચે ફરીથી બાઈકને કટ મારવાના મુદ્દે ઝગડો થયો હતો. જો કે અન્ય લોકોએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. અને તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
ફરીથી સમાધાનના બહાને બોલાવ્યા હતા
પરંતુ રાતે 12 વાગ્યા બાદ અમિત યાદવે અમિત રવાનીને ફોન કરીને સમાધાન બહાને લક્ષ્મણનગર સોસાયટી નજીક બોલાવ્યો હતો. જ્યાં અમિત તેના મિત્ર આદિત્ય સિહ સાથે જતા તેઓ વચ્ચે ફરીથી ઝગડો થયો હતો. જેમાં રોહિતે આદિત્યના માથામાં પત્થર માર્યો હતો. અને રીતુરાજ અને અમિત યાદવે છરા વડે ત્રણથી ચાર ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઈજાના કારણે કાપડની દુકાનમાં નોકરી કરતા આદિત્યનું મોત નીપજ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી
બીજી તરફ હત્યાની આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. અને બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ગુનો નોંધી અમિત યાદવ, રોહિત અને રીતુરાજ પાસવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોડાદરા વિસ્તારમાં રહેતા યુવકના મિત્રએ કટ મારી ઓવરટેક કરતા થયો ઝગડો
ગતરોજ અમિત રવાની અને તેનો મિત્ર આદિત્ય સિહ અખિલેશ રાજપૂત સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભંડારો હોવાથી જમવા ગયા હતા
જ્યાં ઓવરટેક કરવા મામલે ઝગડો થયો હતો. જે વકરતા આખરે હિંસક હુમલામાં પરિણમ્યો હતો
WatchGujarat. સુરતના ગોડાદરા વિસ્તારમાં બાઈકને કટ મારી ઓવરટેરક કરવા મુદ્દે થયેલા ઝગડામાં ગણેશ પંડાલના ભંડારમાં જમ્યા બાદ સમાધાન માટે બોલાવી યુવકની પત્થર અને છરાના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના ગોડાદરા આસ્તિકનગરની બાજુમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં રહેતા અમિત કુમાર ગોપાલકુમાર રવાની બે દિવસ અગાઉ કામ અર્થે બાઈક લઈને નીકળ્યો હતો. દરમ્યાન તેનો મિત્ર અમિત ઉર્ફે પ્રદ્યુમ્ન યાદવ એ બાઈકને કટ મારી હતી. જેથી અમિત યાદવ અને અમિત રવાની વચ્ચે ઝગડો થયો હતો. બાદમાં તેઓ વચ્ચે સમાધાન પણ થઇ ગયું હતું. ગતરોજ અમિત રવાની અને તેનો મિત્ર આદિત્ય સિહ અખિલેશ રાજપૂત સોસાયટીમાં ગણેશ પંડાલમાં ભંડારો હોવાથી જમવા ગયા હતા. જ્યાં અમિત યાદવ અને તેના મિત્ર રોહિત ઉર્ફે વિક્કી યાદવ તથા રીતુરાજ પાસવાન પણ આવ્યા હતા. જ્યાં તેઓ વચ્ચે ફરીથી બાઈકને કટ મારવાના મુદ્દે ઝગડો થયો હતો. જો કે અન્ય લોકોએ દરમ્યાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો. અને તેઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.
ફરીથી સમાધાનના બહાને બોલાવ્યા હતા
પરંતુ રાતે 12 વાગ્યા બાદ અમિત યાદવે અમિત રવાનીને ફોન કરીને સમાધાન બહાને લક્ષ્મણનગર સોસાયટી નજીક બોલાવ્યો હતો. જ્યાં અમિત તેના મિત્ર આદિત્ય સિહ સાથે જતા તેઓ વચ્ચે ફરીથી ઝગડો થયો હતો. જેમાં રોહિતે આદિત્યના માથામાં પત્થર માર્યો હતો. અને રીતુરાજ અને અમિત યાદવે છરા વડે ત્રણથી ચાર ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઈજાના કારણે કાપડની દુકાનમાં નોકરી કરતા આદિત્યનું મોત નીપજ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી
બીજી તરફ હત્યાની આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે. અને બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ગુનો નોંધી અમિત યાદવ, રોહિત અને રીતુરાજ પાસવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.