પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા બ્રીજપાલ સિંગ દેવેશ્વરસિંગ રાજપૂતનો પુત્ર મોનુની કરપીણ હત્યા કરવામાં આવી
મોનું તેના મિત્ર નીલેશ ઉર્ફે નીલીયો અને રાજ પાઠક સાથે બાઈક પર હરીઓમનગર સોસાયટીમાંથી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઈકને રોકાવી તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકાયા
ઈજાગ્રસ્ત મોનુંને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો
WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉતરાયણના દીવસે યુવાનની હત્યા થઈ હતી. અગાઉના ઝગડાની અદાવત રાખી યુવકને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેવાતા તેનુ મોત થયું હતું. આ બનાવને લઈને પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા બ્રીજપાલ સિંગ દેવેશ્વરસિંગ રાજપૂતનો પુત્ર મોનુની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મોનું તેના મિત્ર નીલેશ ઉર્ફે નીલીયો અને રાજ પાઠક સાથે બાઈક પર હરીઓમનગર સોસાયટીમાંથી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઈકને રોકાવી તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મોનુંને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૂર્ત જાહેર કર્યો હતો. જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીકી દેવતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે પાંડેસરા સંતોષી નગર ખાતે રહેતા ધવલ પટેલ, કર્તિક પટેલ અને નીખીલ રાઠોડ નામના ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
વધુમાં પાંચ છ મહિના પહેલા આરોપી ધવલ અને અનિકેતનો મોનુંના મિત્ર આકાશ સાથે ઝગડો થયો હતો. જેથી મોનુંએ તેના મિત્ર આકાશ, કૃષ્ણા સાથે મળી ધવલ અને અનિકેતને માર માર્યો હતો. જે વાતની અદાવત રાખી તેની હત્યા કરાઈ હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા બ્રીજપાલ સિંગ દેવેશ્વરસિંગ રાજપૂતનો પુત્ર મોનુની કરપીણ હત્યા કરવામાં આવી
મોનું તેના મિત્ર નીલેશ ઉર્ફે નીલીયો અને રાજ પાઠક સાથે બાઈક પર હરીઓમનગર સોસાયટીમાંથી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઈકને રોકાવી તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંકાયા
ઈજાગ્રસ્ત મોનુંને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો
WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉતરાયણના દીવસે યુવાનની હત્યા થઈ હતી. અગાઉના ઝગડાની અદાવત રાખી યુવકને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેવાતા તેનુ મોત થયું હતું. આ બનાવને લઈને પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા હતા.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતા બ્રીજપાલ સિંગ દેવેશ્વરસિંગ રાજપૂતનો પુત્ર મોનુની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મોનું તેના મિત્ર નીલેશ ઉર્ફે નીલીયો અને રાજ પાઠક સાથે બાઈક પર હરીઓમનગર સોસાયટીમાંથી રોડ પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે બાઈકને રોકાવી તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.
આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મોનુંને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૂર્ત જાહેર કર્યો હતો. જાહેરમાં યુવકને ચપ્પુના ઘા ઝીકી દેવતા ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં પાંડેસરા પોલીસે પાંડેસરા સંતોષી નગર ખાતે રહેતા ધવલ પટેલ, કર્તિક પટેલ અને નીખીલ રાઠોડ નામના ઈસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
વધુમાં પાંચ છ મહિના પહેલા આરોપી ધવલ અને અનિકેતનો મોનુંના મિત્ર આકાશ સાથે ઝગડો થયો હતો. જેથી મોનુંએ તેના મિત્ર આકાશ, કૃષ્ણા સાથે મળી ધવલ અને અનિકેતને માર માર્યો હતો. જે વાતની અદાવત રાખી તેની હત્યા કરાઈ હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.