કુમાર કાનાણી આ પહેલા પણ ટ્રાફિક જામ સહિતના અનેક પ્રશ્નને લઈને પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આવ્યા છે
પત્રમાં લખ્યું છે કે બિસમાર રસ્તાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે અધિકારીઓને માત્ર ગેરકાયદેસર બાંધકામમાં જ રસ છે.
જોવાનું એ રહેશે કે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યએ શાસકોની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ત્યારે કેટલી ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવે છે
WatchGujarat. સુરત ના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ ફરી એક લેટર બોંબ મૂકીને વિવાદ સર્જ્યો છે. અને આ વખતે તેઓએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવીને ખુદ ભાજપના જ કોર્પોરેટરો સામે પણ પ્રશ્ન ઉભો કરીને તેમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા છે.
પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખીને વરાછા વિસ્તારના રોડ રસ્તા બાબતે ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે બિસમાર રસ્તાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે અધિકારીઓને માત્ર ગેરકાયદેસર બાંધકામમાં જ રસ છે. સ્થાનિક કોર્પોરેટરોની પણ નિરસતા રહી છે જેના કારણે પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે.
મહત્વની વાત તો એ છે કે સુરત મનપાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી આ જ વિસ્તારનું પ્રતિનિધિતવ કરે છે તેવામાં પૂર્વ મંત્રી દ્વારા લખવામાં આવેલા આ પત્રએ તેમની પણ બોલતી બંધ કરી દીધી છે.
કુમાર કાનાણી આ પહેલા પણ ટ્રાફિક જામ સહિતના અનેક પ્રશ્નને લઈને પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આવ્યા છે. તેવામાં વધુ એક લેટર બોમ્બથી શાસકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.
જોવાનું એ રહેશે કે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યએ શાસકોની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ત્યારે કેટલી ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
કુમાર કાનાણી આ પહેલા પણ ટ્રાફિક જામ સહિતના અનેક પ્રશ્નને લઈને પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આવ્યા છે
પત્રમાં લખ્યું છે કે બિસમાર રસ્તાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે અધિકારીઓને માત્ર ગેરકાયદેસર બાંધકામમાં જ રસ છે.
જોવાનું એ રહેશે કે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યએ શાસકોની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ત્યારે કેટલી ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવે છે
WatchGujarat. સુરત ના વરાછા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ ફરી એક લેટર બોંબ મૂકીને વિવાદ સર્જ્યો છે. અને આ વખતે તેઓએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવીને ખુદ ભાજપના જ કોર્પોરેટરો સામે પણ પ્રશ્ન ઉભો કરીને તેમને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા છે.
પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખીને વરાછા વિસ્તારના રોડ રસ્તા બાબતે ફરિયાદ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે બિસમાર રસ્તાના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે અધિકારીઓને માત્ર ગેરકાયદેસર બાંધકામમાં જ રસ છે. સ્થાનિક કોર્પોરેટરોની પણ નિરસતા રહી છે જેના કારણે પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે.
મહત્વની વાત તો એ છે કે સુરત મનપાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી આ જ વિસ્તારનું પ્રતિનિધિતવ કરે છે તેવામાં પૂર્વ મંત્રી દ્વારા લખવામાં આવેલા આ પત્રએ તેમની પણ બોલતી બંધ કરી દીધી છે.
કુમાર કાનાણી આ પહેલા પણ ટ્રાફિક જામ સહિતના અનેક પ્રશ્નને લઈને પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આવ્યા છે. તેવામાં વધુ એક લેટર બોમ્બથી શાસકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે.
જોવાનું એ રહેશે કે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યએ શાસકોની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે ત્યારે કેટલી ઝડપથી તેનું નિરાકરણ લાવવામાં આવે છે.