સુરતમાં એક રત્નકલાકારે પત્ની સાથે છેલ્લી ચા પીધી અને બાદમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો
ઢળી પડ્યા બાદ પિતાએ મેં ઝેરી દવા પીધી છે તેમ કહ્યું હતું જેથી માતાએ બુમાબુમ કરી મુકી
રત્નકલાકારને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ડોકટરોએ મૃત જાહેર કર્યા
WatchGujarat. સુરતમાં રત્નકલાકાર પત્નીને તારી સાથે છેલ્લી ચા પી લઉં કહી ચા પિતા પિતા ઝેરી દવા ગટગટાવી છે તેમ કહી ઢળી પડ્યા હતો. જેથી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
સુરતમાં એક રત્નકલાકારે પત્ની સાથે છેલ્લી ચા પીધી હતી અને બાદમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. મૃતક ધીરુભાઈ બચુભાઇના પુત્ર અક્ષયે જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે. અને સુરતમાં રહીએ છીએ. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. જયારે બંને ભાઈઓ પૈકિ એક જરીમાં તો બીજો હીરામાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદ થતા હતા
આજે સવારમાં પિતાએ માતા ભાવના બેનને ચાલ હું તારી સાથે છેલ્લી ચા પીય લઉં કહ્યું હતું અને ત્યારબાદ ઢળી પડ્યા હતા. ઢળી પડ્યા બાદ પિતાએ મેં ઝેરી દવા પીધી છે તેમ કહ્યું હતું જેથી માતાએ બુમાબુમ કરી હતી. માતાનો અવાજ સાંભળી અમે બંને ભાઈઓ ઉઠી ગયા હતા અને ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં પિતાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં પિતાને ડોકટરોએ મૃત જાહેર કર્યા છે. પપ્પાએ આવું પગલું કેમ ભરી લીધું તે અંગે કશી જ કબર નથી.
નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરને બતાવ્યું પણ હતું. બસ શું થયું આજે સવારે મમ્મી સાથે ચા પીતા પીતા કહ્યું કે ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં એક રત્નકલાકારે પત્ની સાથે છેલ્લી ચા પીધી અને બાદમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો
ઢળી પડ્યા બાદ પિતાએ મેં ઝેરી દવા પીધી છે તેમ કહ્યું હતું જેથી માતાએ બુમાબુમ કરી મુકી
રત્નકલાકારને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ડોકટરોએ મૃત જાહેર કર્યા
WatchGujarat. સુરતમાં રત્નકલાકાર પત્નીને તારી સાથે છેલ્લી ચા પી લઉં કહી ચા પિતા પિતા ઝેરી દવા ગટગટાવી છે તેમ કહી ઢળી પડ્યા હતો. જેથી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
સુરતમાં એક રત્નકલાકારે પત્ની સાથે છેલ્લી ચા પીધી હતી અને બાદમાં ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. મૃતક ધીરુભાઈ બચુભાઇના પુત્ર અક્ષયે જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે. અને સુરતમાં રહીએ છીએ. પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. જયારે બંને ભાઈઓ પૈકિ એક જરીમાં તો બીજો હીરામાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદ થતા હતા
આજે સવારમાં પિતાએ માતા ભાવના બેનને ચાલ હું તારી સાથે છેલ્લી ચા પીય લઉં કહ્યું હતું અને ત્યારબાદ ઢળી પડ્યા હતા. ઢળી પડ્યા બાદ પિતાએ મેં ઝેરી દવા પીધી છે તેમ કહ્યું હતું જેથી માતાએ બુમાબુમ કરી હતી. માતાનો અવાજ સાંભળી અમે બંને ભાઈઓ ઉઠી ગયા હતા અને ત્યાં દોડી આવ્યા હતા. બાદમાં પિતાને સારવાર અર્થે હોસ્પિટલ લઇ આવ્યા હતા જ્યાં પિતાને ડોકટરોએ મૃત જાહેર કર્યા છે. પપ્પાએ આવું પગલું કેમ ભરી લીધું તે અંગે કશી જ કબર નથી.
નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરને બતાવ્યું પણ હતું. બસ શું થયું આજે સવારે મમ્મી સાથે ચા પીતા પીતા કહ્યું કે ઝેરી દવા પી લીધી હતી. બીજી તરફ આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.