સુરતમાં જજરિત બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી રહી છે
આજરોજ મજુરા વિસ્તારમાં આવેલા જર્જરિત ફાયર સ્ટેશનને ડિમોલીશ કરાયું
તાશના પતાની જેમ બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું
WatchGujarat. સુરતમાં મજુરાગેટ ખાતે આવેલા મજુરા ફાયર સ્ટેશનનું બિલ્ડીંગનું આજે ડીમોલીશન કરવામાં આવ્યું હતું. પતાની જેમ ધડાકાભેર બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ જર્જરિત થયું હોવાથી મનપા દ્વારા ઉતારી પાડવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો
https://youtu.be/ePX-Qio8PHk
સુરતમાં જજરિત બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી રહી છે. તેમજ જર્જરિત થઇ ગયેલા બિલ્ડીંગને ઉતારી પડવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના મજુરાગેટ ખાતે મજુરા ફાયર સ્ટેશન આવેલુ છે. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેથી આજે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડીમોલીશન પહેલા બંને બાજુના રસ્તાઓ બંધ કરી આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તાશના પતાની જેમ બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું.
મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. આ ડીમોલીશન લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગને ધડાકાભેર ઉતારી પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મજુરાગેટ ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત થયું હતું અને તેને ઉતારી પડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી. અને હવે આખરે આ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું.
સુરતમાં જજરિત બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી રહી છે
આજરોજ મજુરા વિસ્તારમાં આવેલા જર્જરિત ફાયર સ્ટેશનને ડિમોલીશ કરાયું
તાશના પતાની જેમ બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું
WatchGujarat. સુરતમાં મજુરાગેટ ખાતે આવેલા મજુરા ફાયર સ્ટેશનનું બિલ્ડીંગનું આજે ડીમોલીશન કરવામાં આવ્યું હતું. પતાની જેમ ધડાકાભેર બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ જર્જરિત થયું હોવાથી મનપા દ્વારા ઉતારી પાડવાનો નીર્ણય લેવામાં આવ્યો હતો
સુરતમાં જજરિત બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી રહી છે. તેમજ જર્જરિત થઇ ગયેલા બિલ્ડીંગને ઉતારી પડવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતના મજુરાગેટ ખાતે મજુરા ફાયર સ્ટેશન આવેલુ છે. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેથી આજે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડીમોલીશન પહેલા બંને બાજુના રસ્તાઓ બંધ કરી આ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તાશના પતાની જેમ બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું.
મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. આ ડીમોલીશન લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બિલ્ડીંગને ધડાકાભેર ઉતારી પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મજુરાગેટ ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ ઘણા સમયથી જર્જરિત થયું હતું અને તેને ઉતારી પડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાના કારણે કામગીરી અટકી પડી હતી. અને હવે આખરે આ બિલ્ડીંગને ઉતારી પાડવામાં આવ્યું હતું.