સુરતના નાના વરાછામાં એક શ્રમજીવી યુવક પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહે છે
સગીરા દર રવિવારે કામરેજ ખાતે મંદિરે દર્શન કરવા જતી હતી
મહેશ અમરોલી ખાતે ભાડાના મકાનમાં સગીરાને લઈને રહેવા લાગ્યો, દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો
WatchGujarat. સુરતના નાના વરાછામાં રહેતા શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાને 6 સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી તેણીની પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી સીગરા ગર્ભવતી થતા તેને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 સંતાનના પિતાની ધરપકડ કરી છે
સુરતના નાના વરાછામાં એક શ્રમજીવી યુવક પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહે છે. દીકરીની માતાનું અવસાન થઇ ગયું છે. બે મહિના અગાઉ દીકરી અચાનક ગુમ થઇ હતી. જો કે પિતાએ ભારે શોધખોળ બાદ પણ તેણીનો કોઈ પતો લગાવ્યો ન હતો. આ દરમ્યાન ૫ દિવસ અગાઉ દીકરી સબંધી સાથે ઘરે પરત આવી હતી. સગીરાની પિતાએ પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે અગાઉ તે ડુંગરીની દુકાનમાં નોકરી કરતા પહેશ ઉર્ફે મનોજે લગ્નની લાલચ આપી તેણીને પ્રેમજાળમાં ફસાવી તેણીની સાથે શરીર સબંધ બાંધતો હતો. ત્યારબાદ મહેશે ડુંગરીની દુકાન બંધ કરી રીક્ષા ચલાવવાનું શરુ કર્યું હતું.
સગીરા દર રવિવારે કામરેજ ખાતે મંદિરે દર્શન કરવા જતી હતી. ત્યાંથી મહેશ તેણીને રીક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફરવા લઇ જઇ શરીર સબંધ બાંધતો હતો. એટલુ જ નહી અમરોલી ખાતે ભાડાના મકાનમાં સગીરાને લઈને રહેવા લાગ્યો હતો. જો કે આ દરમ્યાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી મહેશે તેણીને તરછોડી દીધી હતી. જેથી સગીરાએ સબંધીની મદદ લઇ પિતા પાસે પહોચી હતી. આ બનાવ અંગે સીગરાના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે મહેશ ઉર્ફે મનોજ ભરતભાઈ વણોદીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મહેશ 6 સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.
એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ મથકે આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અને તપાસ કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે પોસ્કોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતના નાના વરાછામાં એક શ્રમજીવી યુવક પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહે છે
સગીરા દર રવિવારે કામરેજ ખાતે મંદિરે દર્શન કરવા જતી હતી
મહેશ અમરોલી ખાતે ભાડાના મકાનમાં સગીરાને લઈને રહેવા લાગ્યો, દરમિયાન સગીરાને ગર્ભ રહી ગયો
WatchGujarat. સુરતના નાના વરાછામાં રહેતા શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાને 6 સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી તેણીની પર અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી સીગરા ગર્ભવતી થતા તેને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 6 સંતાનના પિતાની ધરપકડ કરી છે
સુરતના નાના વરાછામાં એક શ્રમજીવી યુવક પોતાના બે દીકરા અને એક દીકરી સાથે રહે છે. દીકરીની માતાનું અવસાન થઇ ગયું છે. બે મહિના અગાઉ દીકરી અચાનક ગુમ થઇ હતી. જો કે પિતાએ ભારે શોધખોળ બાદ પણ તેણીનો કોઈ પતો લગાવ્યો ન હતો. આ દરમ્યાન ૫ દિવસ અગાઉ દીકરી સબંધી સાથે ઘરે પરત આવી હતી. સગીરાની પિતાએ પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે અગાઉ તે ડુંગરીની દુકાનમાં નોકરી કરતા પહેશ ઉર્ફે મનોજે લગ્નની લાલચ આપી તેણીને પ્રેમજાળમાં ફસાવી તેણીની સાથે શરીર સબંધ બાંધતો હતો. ત્યારબાદ મહેશે ડુંગરીની દુકાન બંધ કરી રીક્ષા ચલાવવાનું શરુ કર્યું હતું.
સગીરા દર રવિવારે કામરેજ ખાતે મંદિરે દર્શન કરવા જતી હતી. ત્યાંથી મહેશ તેણીને રીક્ષામાં બેસાડી અલગ અલગ જગ્યાએ ફરવા લઇ જઇ શરીર સબંધ બાંધતો હતો. એટલુ જ નહી અમરોલી ખાતે ભાડાના મકાનમાં સગીરાને લઈને રહેવા લાગ્યો હતો. જો કે આ દરમ્યાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. જેથી મહેશે તેણીને તરછોડી દીધી હતી. જેથી સગીરાએ સબંધીની મદદ લઇ પિતા પાસે પહોચી હતી. આ બનાવ અંગે સીગરાના પિતાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે મહેશ ઉર્ફે મનોજ ભરતભાઈ વણોદીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં મહેશ 6 સંતાનોનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.
એસીપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે પરિવારે પોલીસ મથકે આવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. અને તપાસ કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે પોસ્કોની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.