માર્ગ અકસ્માતમાં ઈજા થતા વ્યક્તિઓનો મૃત્યુદર ઘટાડવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા વાહન અકસ્માત યોજના શરૂ કરાઈ છે
જેના અંતર્ગત અકસ્માત થયાના પ્રથમ 48 કલાક સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે
ખાનગી હોસ્પિટલોમાં આ યોજના લાગૂ કરાઈ હતી
હવે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ વાહન અકસ્માત યોજના શરૂ કરાઈ
WatchGujarat. ગુજરાત સહિત દેશભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો ખૂબ મોટો છે. કેટલાંક લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે, ત્યારે ઘણા ઈજાગ્રસ્ત લોકોને સારવાર ન મળતા મોત નિપજે છે. રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઈજા થતા વ્યક્તિઓના મોતનો દર ખૂબ જ વધારે છે. ત્યારે આ મૃત્યુદરને ઘટાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા એક ખાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે હવેથી સિવિલ હોસ્પિટલમાં લાગૂ થશે.
ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત અકસ્માત થયાના પ્રથમ 48 કલાક સુધીની સારવાર ઈજાગ્રસ્તને વિના મૂલ્યે આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના ખાનગી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી. જે બાદ હવે સિવિલ હોસ્પિટલમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે. સિવિલમાં એક્સ રે, સોનોગ્રાફી, સિટી સ્કેન આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
શું છે આ વાહન અકસ્માત યોજના
આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં અકસ્માતમાં ઇજા પામેલા દર્દીને પ્રથમ 48 કલાકમાં રૂ. 50 હજારની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. જે માટે હોસ્પિટલના અધિકારીનો બાંહેધરી પત્ર, ક્લેઈમ ફોર્મ, સંમતિ પત્રક, હોસ્પિટલે રજૂ કરવાનું પ્રમાણ પત્ર, એમ.એલ.સી ૨જીસ્ટ્રની ફોટો કોપી, ઇજાની વિગત અને પોલીસ જાણ સહિતની માહિતી આપવાની રહે છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દર્દીઓને તરત તથા યોગ્ય સારવાર મળે અને જિંદગી બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માત સહાય યોજના શરૂ કરાઇ છે.
વાહન અકસ્માત યોજના શરૂ કરવા પરિપત્ર જારી
મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલોમાં વાહન અકસ્માત યોજનાનું પાલન થઈ રહ્યું છે. પરંતુ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જ અકસ્માતગ્રસ્ત દર્દીઓ પાસે કેસપેપર કાઢવાથી લઈ એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતની તપાસ માટે પૈસા વસૂલાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત અજાણ્યા દર્દીના કિસ્સામાં બંને સરકારી હોસ્પિટલમાં કોઈ ચાર્જ લેવામાં આવતા નથી. તેમ છતાં અકસ્માતમાં ઇજા પામેલા દર્દીઓ પાસે સારવારના પૈસા વસુલવામાં આવતા હતા. જેથી હવે આ મામલે વાહન અકસ્માત યોજના શરૂ કરવા પરિપત્ર જારી કરાયો છે. આ અંગે સુરત સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, વાહન અકસ્માત યોજના અંગે સિવિલના વિવિધ વિભાગના ડોકટરો તથા સ્ટાફને પરિપત્ર જારી કરીને જાણ કરવામાં આવી છે. આ યોજના માટે ફાઇલ તૈયાર કરવા, ડેટા એન્ટ્રી, ફોટો સહિતની વ્યવસ્થા માટે અલગ સ્ટાફ મુકવામાં આવશે. નોંધનીય છે કે હવે થોડા દિવસથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વાહન અકસ્માત યોજનાનું અમલીકરણ શરૂ કરાયુ છે.
- માર્ગ અકસ્માતમાં ઈજા થતા વ્યક્તિઓનો મૃત્યુદર ઘટાડવા હેતુસર રાજ્ય સરકાર દ્વારા વાહન અકસ્માત યોજના શરૂ કરાઈ છે
- જેના અંતર્ગત અકસ્માત થયાના પ્રથમ 48 કલાક સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે
- ખાનગી હોસ્પિટલોમાં આ યોજના લાગૂ કરાઈ હતી
- હવે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ વાહન અકસ્માત યોજના શરૂ કરાઈ
WatchGujarat. ગુજરાત સહિત દેશભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોનો આંકડો ખૂબ મોટો છે. કેટલાંક લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે, ત્યારે ઘણા ઈજાગ્રસ્ત લોકોને સારવાર ન મળતા મોત નિપજે છે. રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઈજા થતા વ્યક્તિઓના મોતનો દર ખૂબ જ વધારે છે. ત્યારે આ મૃત્યુદરને ઘટાડવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા એક ખાસ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે હવેથી સિવિલ હોસ્પિટલમાં લાગૂ થશે.
ગુજરાત સરકાર દ્વારા વાહન અકસ્માત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત અકસ્માત થયાના પ્રથમ 48 કલાક સુધીની સારવાર ઈજાગ્રસ્તને વિના મૂલ્યે આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના ખાનગી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી હતી. જે બાદ હવે સિવિલ હોસ્પિટલમાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે. સિવિલમાં એક્સ રે, સોનોગ્રાફી, સિટી સ્કેન આ યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
શું છે આ વાહન અકસ્માત યોજના
આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં અકસ્માતમાં ઇજા પામેલા દર્દીને પ્રથમ 48 કલાકમાં રૂ. 50 હજારની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. જે માટે હોસ્પિટલના અધિકારીનો બાંહેધરી પત્ર, ક્લેઈમ ફોર્મ, સંમતિ પત્રક, હોસ્પિટલે રજૂ કરવાનું પ્રમાણ પત્ર, એમ.એલ.સી ૨જીસ્ટ્રની ફોટો કોપી, ઇજાની વિગત અને પોલીસ જાણ સહિતની માહિતી આપવાની રહે છે. ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દર્દીઓને તરત તથા યોગ્ય સારવાર મળે અને જિંદગી બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માત સહાય યોજના શરૂ કરાઇ છે.
વાહન અકસ્માત યોજના શરૂ કરવા પરિપત્ર જારી
મહત્વનું છે કે ખાનગી હોસ્પિટલોમાં વાહન અકસ્માત યોજનાનું પાલન થઈ રહ્યું છે. પરંતુ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં જ અકસ્માતગ્રસ્ત દર્દીઓ પાસે કેસપેપર કાઢવાથી લઈ એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન સહિતની તપાસ માટે પૈસા વસૂલાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. તમને જણાવી દઈએ કે અકસ્માતમાં ઈજાગ્રસ્ત અજાણ્યા દર્દીના કિસ્સામાં બંને સરકારી હોસ્પિટલમાં કોઈ ચાર્જ લેવામાં આવતા નથી. તેમ છતાં અકસ્માતમાં ઇજા પામેલા દર્દીઓ પાસે સારવારના પૈસા વસુલવામાં આવતા હતા. જેથી હવે આ મામલે વાહન અકસ્માત યોજના શરૂ કરવા પરિપત્ર જારી કરાયો છે. આ અંગે સુરત સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, વાહન અકસ્માત યોજના અંગે સિવિલના વિવિધ વિભાગના ડોકટરો તથા સ્ટાફને પરિપત્ર જારી કરીને જાણ કરવામાં આવી છે. આ યોજના માટે ફાઇલ તૈયાર કરવા, ડેટા એન્ટ્રી, ફોટો સહિતની વ્યવસ્થા માટે અલગ સ્ટાફ મુકવામાં આવશે. નોંધનીય છે કે હવે થોડા દિવસથી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વાહન અકસ્માત યોજનાનું અમલીકરણ શરૂ કરાયુ છે.