ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થયો છે તે બાદ ભાગવતની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે
મોહન ભાગવતના સુરત રોકાણના દરમ્યાન સામાજિક અગ્રણીઓ સાથે વર્તમાન સમય તેમજ હિન્દુત્વ પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
સંઘના વડાની મુલાકાત બાદ ભાજપ સંગઠન પણ સક્રિય થઇ ગયું
WatchGujarat. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સુરત આવી પહોંચ્યા હતા. બે દિવસ તેઓ સુરતના અલગ અલગ સામાજિક અગ્રણીઓ અને ઉધોગકારોની મુલાકાત કરવાના છે.
મોહન ભાગવત સુરતમાં રોકાણ દરમ્યાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાના છે. સુરતના જાણીતા હીરા ઉધોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અગ્રણીઓ સાથે પણ તેઓ આર.એસ.એસ.કાર્યાલય ખાતે મિટિંગ કરવાના છે. સાથે જ સાયન્સ સેન્ટર ખાતે તેઓ એક ખાનગી કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે.
ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થયો છે તે બાદ ભાગવતની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે. ગુજરાત જયારે રાજકીય પ્રોયોગશાળા માનવામાં આવે છે. ત્યારે સંઘના વડાની મુલાકાત બાદ ભાજપ સંગઠન પણ સક્રિય થઇ ગયું છે.
ભાજપ સંગઠનના કેટલાક મહત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે પણ બેઠક કરવાના છે. સત્તાવાર રીતે મોહન ભાગવતને કોણ મળવાનું છે તેની માહિતી સામે આવી નથી. જોકે એવું મનાઈ રહ્યું છે કે કે નો રિપીટ થિયરી માટે ભાજપે ગુજરાતને પસંદ કર્યું છે. તેવામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામાં બાદ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેને લઈને પણ અટકળો ચાલી રહી છે. મોહન ભાગવતના સુરત રોકાણના દરમ્યાન સામાજિક અગ્રણીઓ સાથે વર્તમાન સમય તેમજ હિન્દુત્વ પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરવાના છે.
ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થયો છે તે બાદ ભાગવતની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે
મોહન ભાગવતના સુરત રોકાણના દરમ્યાન સામાજિક અગ્રણીઓ સાથે વર્તમાન સમય તેમજ હિન્દુત્વ પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
સંઘના વડાની મુલાકાત બાદ ભાજપ સંગઠન પણ સક્રિય થઇ ગયું
WatchGujarat. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત ગુજરાતના પ્રવાસે છે. આજે તેઓ સુરત આવી પહોંચ્યા હતા. બે દિવસ તેઓ સુરતના અલગ અલગ સામાજિક અગ્રણીઓ અને ઉધોગકારોની મુલાકાત કરવાના છે.
મોહન ભાગવત સુરતમાં રોકાણ દરમ્યાન કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાના છે. સુરતના જાણીતા હીરા ઉધોગકારો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અગ્રણીઓ સાથે પણ તેઓ આર.એસ.એસ.કાર્યાલય ખાતે મિટિંગ કરવાના છે. સાથે જ સાયન્સ સેન્ટર ખાતે તેઓ એક ખાનગી કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે.
ગુજરાતની રાજનીતિમાં જે ફેરફાર થયો છે તે બાદ ભાગવતની આ મુલાકાત અગત્યની માનવામાં આવી રહી છે. ગુજરાત જયારે રાજકીય પ્રોયોગશાળા માનવામાં આવે છે. ત્યારે સંઘના વડાની મુલાકાત બાદ ભાજપ સંગઠન પણ સક્રિય થઇ ગયું છે.
ભાજપ સંગઠનના કેટલાક મહત્વના હોદ્દેદારો પણ મોહન ભાગવત સાથે પણ બેઠક કરવાના છે. સત્તાવાર રીતે મોહન ભાગવતને કોણ મળવાનું છે તેની માહિતી સામે આવી નથી. જોકે એવું મનાઈ રહ્યું છે કે કે નો રિપીટ થિયરી માટે ભાજપે ગુજરાતને પસંદ કર્યું છે. તેવામાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામાં બાદ રાજકોટ સંઘ કાર્યાલયની મુલાકાત લીધી હતી. જેને લઈને પણ અટકળો ચાલી રહી છે. મોહન ભાગવતના સુરત રોકાણના દરમ્યાન સામાજિક અગ્રણીઓ સાથે વર્તમાન સમય તેમજ હિન્દુત્વ પર મહત્વના મુદ્દાઓ પર ચર્ચા પણ કરવાના છે.