12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું
થોડી સમય પહેલાં જ હેમીલ કાંતિ પટેલે લોન ઉપર ફ્લેટ લીધો હતો
હેમિલે તેના મિત્રો પાસેથી પણ 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા
આર્થિક સંકડામણને કારણે હેમિલ પટેલ હોમ લોનના હપ્તા ભરી શકતો ન હતો
Watchgujarat.હોમ લોનના હપ્તા અને મિત્રો પાસેથી ઉછીના લીધેવા રૂપિયા 3 લાખ ચૂકવવાના ટેન્શનમાં અમરોલીમાં રત્નકલાકાર યુવાને તેના એપાર્ટમેન્ટના 12માં માળના ટેરેસ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતુ.રત્નકાલાકાર યુવકના આત્મહત્યાના બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અમરોલી પોલીસની તપાસમાં રત્નકલાકાર યુવકે લોનના હપ્તા અને ઉછીના લીધેલા રૂપિયાના ટેન્શનમાં 12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ અમરોલી કોસાડ રોડ ગૃહમ એમ્પાયર નજીક આવેલા ભક્તિ હાઇટસમાં રહેતા 26 વર્ષીય હેમીલ કાંતિભાઇ પટેલ હીરાના કારખાનામાં કામ કરતો હતો. થોડી સમય પહેલાં જ હેમીલ કાંતિ પટેલે લોન ઉપર ફ્લેટ લીધો હતો. જેથી હોમ લોનનાં હપ્તા ચાલી રહ્યા હતા. તે ઉપરાંત હેમિલે તેના મિત્રો પાસેથી પણ 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આર્થિક સંકડામણને કારણે હેમિલ પટેલ હોમ લોનના હપ્તા ભરી શકતો ન હતો એટલું જ નહીં તેણે તેના મિત્રો પાસેથી ઉછીના જે 3 લાખ રૂપિયા લીધા હતા તે પણ પરત આપી શકવાની સ્થિતિમાં ન હતો. આમ તેના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો.
સોમવારે રાત્રે તેણે એપાર્ટમેન્ટના 12માં માળેથી પડતુ મૂકી જીવન ટૂંકાવી લીધુ હતુ. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને તપાસ શરૂ કરી હતી. જેમાં હેમીલ પટેલે લીધેલી હોમલોનના હપ્તાના ટેન્શનમાં તેમજ મિત્રો પાસેથી લીધેલા 3 લાખ રૂપિયા પરત કરવાના ટેન્શનમાં પગલું ભર્યુ હોવાનુ સામે આવ્યું છે. અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતા યુવતીએ ફાંસો ખાધો
બીજી એક ઘટનામાં પોલીસ ભરતી માટે વહેલી સવારે દોડવાની પિતાએ ના પાડતા કતારગામની યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામ પાર્વતી નગર વિભાગ-2માં રહેતી 25 વર્ષીય ક્રિષ્ના નરેશ તરસરીયાએ પોલીસમાં એલઆરડીની ભરતી માટે ફોર્મ ભર્યું હતુ. પ્રેક્ટિસ માટે ક્રિષ્ના રોજ વહેલી સવારે દોડવા જતી હતી. ક્રિષ્નાના પિતા નરેશભાઇ તેને વહેલી સવારે દોડવા જવાની ના પાડતા તેને માઠું લાગ્યુ હતુ અને રાત્રે ક્રિષ્નાએ બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ક્રિષ્નાના પિતા નરેશભાઇ હીરાના કારખાનામાં કામ કરે છે કતારગામ પોલીસની તપાસમાં ક્રિષ્નાને તેના પિતાએ વહેલી સવારે દોડવા જવાની ના પાડતા તે બાબતે માઠું લાગી આવતા પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પોલીસમાં ભરતી થવાનું સ્વપ્ન જોઇ રહેલી ક્રિષ્નાની એક મહિના પહેલા જ સગાઇ થઇ હતી. સગાઇ બાદ પણ તેણે પોલીસ ભરતી માટેની તૈયારીઓ ચાલુ રાખી હતી.
- 12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું
- થોડી સમય પહેલાં જ હેમીલ કાંતિ પટેલે લોન ઉપર ફ્લેટ લીધો હતો
- હેમિલે તેના મિત્રો પાસેથી પણ 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા
- આર્થિક સંકડામણને કારણે હેમિલ પટેલ હોમ લોનના હપ્તા ભરી શકતો ન હતો
Watchgujarat.હોમ લોનના હપ્તા અને મિત્રો પાસેથી ઉછીના લીધેવા રૂપિયા 3 લાખ ચૂકવવાના ટેન્શનમાં અમરોલીમાં રત્નકલાકાર યુવાને તેના એપાર્ટમેન્ટના 12માં માળના ટેરેસ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતુ.રત્નકાલાકાર યુવકના આત્મહત્યાના બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અમરોલી પોલીસની તપાસમાં રત્નકલાકાર યુવકે લોનના હપ્તા અને ઉછીના લીધેલા રૂપિયાના ટેન્શનમાં 12માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે.
મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ મૂળ ખેડા જિલ્લાના વતની અને હાલ અમરોલી કોસાડ રોડ ગૃહમ એમ્પાયર નજીક આવેલા ભક્તિ હાઇટસમાં રહેતા 26 વર્ષીય હેમીલ કાંતિભાઇ પટેલ હીરાના કારખાનામાં કામ કરતો હતો. થોડી સમય પહેલાં જ હેમીલ કાંતિ પટેલે લોન ઉપર ફ્લેટ લીધો હતો. જેથી હોમ લોનનાં હપ્તા ચાલી રહ્યા હતા. તે ઉપરાંત હેમિલે તેના મિત્રો પાસેથી પણ 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આર્થિક સંકડામણને કારણે હેમિલ પટેલ હોમ લોનના હપ્તા ભરી શકતો ન હતો એટલું જ નહીં તેણે તેના મિત્રો પાસેથી ઉછીના જે 3 લાખ રૂપિયા લીધા હતા તે પણ પરત આપી શકવાની સ્થિતિમાં ન હતો. આમ તેના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો.
સોમવારે રાત્રે તેણે એપાર્ટમેન્ટના 12માં માળેથી પડતુ મૂકી જીવન ટૂંકાવી લીધુ હતુ. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને તપાસ શરૂ કરી હતી. જેમાં હેમીલ પટેલે લીધેલી હોમલોનના હપ્તાના ટેન્શનમાં તેમજ મિત્રો પાસેથી લીધેલા 3 લાખ રૂપિયા પરત કરવાના ટેન્શનમાં પગલું ભર્યુ હોવાનુ સામે આવ્યું છે. અમરોલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ભરતી માટે વહેલી સવારે પિતાએ દોડવાની ના પાડતા યુવતીએ ફાંસો ખાધો
બીજી એક ઘટનામાં પોલીસ ભરતી માટે વહેલી સવારે દોડવાની પિતાએ ના પાડતા કતારગામની યુવતીએ ફાંસો ખાધો હતો. કતારગામ પાર્વતી નગર વિભાગ-2માં રહેતી 25 વર્ષીય ક્રિષ્ના નરેશ તરસરીયાએ પોલીસમાં એલઆરડીની ભરતી માટે ફોર્મ ભર્યું હતુ. પ્રેક્ટિસ માટે ક્રિષ્ના રોજ વહેલી સવારે દોડવા જતી હતી. ક્રિષ્નાના પિતા નરેશભાઇ તેને વહેલી સવારે દોડવા જવાની ના પાડતા તેને માઠું લાગ્યુ હતુ અને રાત્રે ક્રિષ્નાએ બેડરૂમમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ક્રિષ્નાના પિતા નરેશભાઇ હીરાના કારખાનામાં કામ કરે છે કતારગામ પોલીસની તપાસમાં ક્રિષ્નાને તેના પિતાએ વહેલી સવારે દોડવા જવાની ના પાડતા તે બાબતે માઠું લાગી આવતા પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પોલીસમાં ભરતી થવાનું સ્વપ્ન જોઇ રહેલી ક્રિષ્નાની એક મહિના પહેલા જ સગાઇ થઇ હતી. સગાઇ બાદ પણ તેણે પોલીસ ભરતી માટેની તૈયારીઓ ચાલુ રાખી હતી.