હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતા તાપમાનના આંકડામાં તફાવત જોવા મળે છે
તાપમાન જાહેર કરાય 8-9 ડિગ્રી પણ ઠંડી અનુભવાય 5-6 ડિગ્રી જેવી
તેજ રફતારવાળો પવન, ઘરમાં સૂર્યપ્રકાશનો અભાવ તેમજ આસપાસની સપાટીઓની ઠંડક જવાબદાર
તાપમાનની નોંધણી 4થી 6 ફૂટ ઊંચાઈ એટલે કે હ્યુમન સેન્સિંગ હાઈટ પર થતી હોય છે
WatchGujarat. રાજ્યમાં તાપમાનને લઈને હવામાન વિભાગ દ્વારા આંકડા જાહેર કરાતાં હોય છે. જેમાં ઘણી વાર એવું બને છે કે હવામાન વિભાગ પ્રમાણે લઘુત્તમ ઉષ્ણતામાન 8 કે 9 ડિગ્રી સેલ્સિયસ જણાવતું હોય, પરંતુ તેનાથી વિરૃદ્ધ કડકડતી ઠંડી પડે છે, નાગરિકોને 5-6 ડિગ્રી તાપમાન હોય તેવી ઠંડી અનુભવાતી હોય છે. જાહેર કરાતા આંકડા સામે શંકા જાગે તેવી ઠંડીની અનુભૂતિ શિયાળા દરમિયાન અક્સર થતી હોય છે. લોકોનામાં પ્રશ્ન થતો હોય છે કે રાજ્યમાં ઠંડીનું જાહેર કરાતું તાપમાન અને હકીકતમાં આટલો તફાવત કેમ હશે. આ તફાવત પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.
ઘણાં લોકોને શંકા હોય છે કે હવામાન વિભાગના આંકડા ક્યાંક ખામીવાળા તો નથી ને. પરંતુ તેમાં ન તો હવામાન વિભાગની ભૂલ હોય છે અને ન તો આ પ્રશ્ન અસ્થાને હોય છે. તેની પાછળ કેટલાંક કારણ જવાબદાર હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાપમાનની નોંધણી ઈન્ટર નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે હ્યુમન સેન્સિંગ હાઈટ પર થતી હોય છે. જેની ઊંચાઈ જમીનથી 4 થી 6 ફૂટની નક્કી કરવામાં આવેલી છે. આ એક કારણ છે તાપમાનના આંકડામાં રહેલા તફાવત માટે.
નોંધનીય છે કે જમીનથી 4 થી 6 ફૂટ ઊંચાઈ પરનાં થર્મોસેટમાં નોંધાતું તાપમાન જમીન પરનાં તાપમાન કરતાં એક થી બે ડિગ્રી વધુ હોય છે. આ સાથે જે-તે દિવસે પવનની ઝડપ વધુ હોય તો તેનાં લીધે પણ ઠંડી વધુ તીવ્ર જણાય છે. એટલે આંકડા અને અનુભૂતિ વચ્ચે થોડો ફરક ત્યાં પડી જાય. તેજ પવનવાળા દિવસે ભેજનાં બાષ્પિભવનનાં પ્રમાણમાં પણ બદલાવ આવી જતો હોય અને શરીરની ગરમી ઘટી જતી હોય તે કારણ પણ ઉમેરારૂપ ગણવું રહે.
મહત્વનું છે કે શિયાળામાં રૂમમાં પ્રવેશતી હવા વધુ ઠંડી રહેતી હોવાથી એક જ સરખાં તાપમાન છતાં બહાર ફરતા લોકોને અને ઈમારતની અંદર બેઠેલી વ્યક્તિને જુદી-જુદી અનુભૂતિ થાય છે. મકાનની છતની તુરંત નીચેનાં સ્તર પર તાપમાન ભોયતળિયાં કરતાં સ્હેજ વધઉ હોય પણ એવી હૂંફ કોઈને ત્યારે જ લાગવાની જ્યારે તે થોડાં પગથિયાં ચઢીને ઊપર સુધી પહોંચે, જ્યારે નોંધાતું થર્મોસ્ટેટ છત અને ભોયતળિયાંની વચ્ચેનું હોય છે.
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાતા તાપમાનના આંકડામાં તફાવત જોવા મળે છે
તાપમાન જાહેર કરાય 8-9 ડિગ્રી પણ ઠંડી અનુભવાય 5-6 ડિગ્રી જેવી
તાપમાનની નોંધણી 4થી 6 ફૂટ ઊંચાઈ એટલે કે હ્યુમન સેન્સિંગ હાઈટ પર થતી હોય છે
WatchGujarat. રાજ્યમાં તાપમાનને લઈને હવામાન વિભાગ દ્વારા આંકડા જાહેર કરાતાં હોય છે. જેમાં ઘણી વાર એવું બને છે કે હવામાન વિભાગ પ્રમાણે લઘુત્તમ ઉષ્ણતામાન 8 કે 9 ડિગ્રી સેલ્સિયસ જણાવતું હોય, પરંતુ તેનાથી વિરૃદ્ધ કડકડતી ઠંડી પડે છે, નાગરિકોને 5-6 ડિગ્રી તાપમાન હોય તેવી ઠંડી અનુભવાતી હોય છે. જાહેર કરાતા આંકડા સામે શંકા જાગે તેવી ઠંડીની અનુભૂતિ શિયાળા દરમિયાન અક્સર થતી હોય છે. લોકોનામાં પ્રશ્ન થતો હોય છે કે રાજ્યમાં ઠંડીનું જાહેર કરાતું તાપમાન અને હકીકતમાં આટલો તફાવત કેમ હશે. આ તફાવત પાછળ કેટલાંક કારણો જવાબદાર છે.
ઘણાં લોકોને શંકા હોય છે કે હવામાન વિભાગના આંકડા ક્યાંક ખામીવાળા તો નથી ને. પરંતુ તેમાં ન તો હવામાન વિભાગની ભૂલ હોય છે અને ન તો આ પ્રશ્ન અસ્થાને હોય છે. તેની પાછળ કેટલાંક કારણ જવાબદાર હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાપમાનની નોંધણી ઈન્ટર નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે હ્યુમન સેન્સિંગ હાઈટ પર થતી હોય છે. જેની ઊંચાઈ જમીનથી 4 થી 6 ફૂટની નક્કી કરવામાં આવેલી છે. આ એક કારણ છે તાપમાનના આંકડામાં રહેલા તફાવત માટે.
નોંધનીય છે કે જમીનથી 4 થી 6 ફૂટ ઊંચાઈ પરનાં થર્મોસેટમાં નોંધાતું તાપમાન જમીન પરનાં તાપમાન કરતાં એક થી બે ડિગ્રી વધુ હોય છે. આ સાથે જે-તે દિવસે પવનની ઝડપ વધુ હોય તો તેનાં લીધે પણ ઠંડી વધુ તીવ્ર જણાય છે. એટલે આંકડા અને અનુભૂતિ વચ્ચે થોડો ફરક ત્યાં પડી જાય. તેજ પવનવાળા દિવસે ભેજનાં બાષ્પિભવનનાં પ્રમાણમાં પણ બદલાવ આવી જતો હોય અને શરીરની ગરમી ઘટી જતી હોય તે કારણ પણ ઉમેરારૂપ ગણવું રહે.
મહત્વનું છે કે શિયાળામાં રૂમમાં પ્રવેશતી હવા વધુ ઠંડી રહેતી હોવાથી એક જ સરખાં તાપમાન છતાં બહાર ફરતા લોકોને અને ઈમારતની અંદર બેઠેલી વ્યક્તિને જુદી-જુદી અનુભૂતિ થાય છે. મકાનની છતની તુરંત નીચેનાં સ્તર પર તાપમાન ભોયતળિયાં કરતાં સ્હેજ વધઉ હોય પણ એવી હૂંફ કોઈને ત્યારે જ લાગવાની જ્યારે તે થોડાં પગથિયાં ચઢીને ઊપર સુધી પહોંચે, જ્યારે નોંધાતું થર્મોસ્ટેટ છત અને ભોયતળિયાંની વચ્ચેનું હોય છે.