વન વિભાગની ટીમે ગંભીર રીતે ઘાયલ અજગરની અઢી મહિના સુધી સારવાર કરીને જીવ બચાવ્યો
માછીમારની જાળમાં ફયાલા બાદ ભરતીય અજગરના શરીરમાં જીવાત થઈ હતી
વન વિભાગે યોગ્ય સારવાર આપીને જંગલમાં છોડ્યો
કોડીનારના છારા ગામેથી આ ભારતીય અજગરનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું
WatchGujarat. રાજ્યનો વન વિભાગ એક ગંભીર રીતે ઘાયલ ભારતીય રોક પાયથોન (અજગર)ની મદદે આવ્યો હતો. માછીમારની જાળમાં ફસાઈ જવાથી ઘાયલ અજગરના શરીરમાં જીવાત થઈ ગઈ હતી. વન વિભાગની ટીમ દ્વારા તેની અઢી મહિના સુધી સારવાર કરીને જીવ બચાવ્યો હતો. આ અજગર સ્વસ્થ થતા તેને જંગલમાં છોડી દેવાયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં અઢી મહિના પહેલાં જામવાળા રેન્જના છારા રાઉન્ડમાં દુર્લભ ગણાતો ભારતીય રોક પાયથન માછીમારની જાળમાં ફસાઈ જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ એક સ્થાનિક દ્વારા આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સ્થળ પર જઈને આ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભારતીય પાયથોનનું સ્ક્યૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અજગર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના શરીર પર નાની નાની જીવાતો થઈ ગઈ હતી. એના શરીર પર ભારે મેગોટ્સથી ચેપ લાગ્યો હતો. અને શરીરમાં સડો થવા લાગ્યો હતો. કેટલાય દિવસથી અજગર આ પીડા સાથે જ ફરતો હતો. આ અંગેની જાણ વન વિભાગની ટીમને થતાં વન વિભાગની ટીમે ડોક્ટરની મદદથી અજગરની સારવાર શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જામવાળામાં વેટરિનરી ડોક્ટર ઈદ્રીશ અને તેમની ટીમે આ અજગરની સારવાર શરૂ કરી હતી. સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 2.5 મહિના સુધી એની સારવાર ચાલુ રહી હતી. લાંબી સારવાર બાદ અજગરનો જીવ બચાવવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. જે બાદ પુનઃપ્રાપ્તિ પછી આ દુર્લભ ગણાતા અજગરને ગીરના જંગલમાં એના રહેઠાણમાં છોડી દેવામાં આવ્યો છે.
વન વિભાગની ટીમે ગંભીર રીતે ઘાયલ અજગરની અઢી મહિના સુધી સારવાર કરીને જીવ બચાવ્યો
માછીમારની જાળમાં ફયાલા બાદ ભરતીય અજગરના શરીરમાં જીવાત થઈ હતી
વન વિભાગે યોગ્ય સારવાર આપીને જંગલમાં છોડ્યો
કોડીનારના છારા ગામેથી આ ભારતીય અજગરનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું
WatchGujarat. રાજ્યનો વન વિભાગ એક ગંભીર રીતે ઘાયલ ભારતીય રોક પાયથોન (અજગર)ની મદદે આવ્યો હતો. માછીમારની જાળમાં ફસાઈ જવાથી ઘાયલ અજગરના શરીરમાં જીવાત થઈ ગઈ હતી. વન વિભાગની ટીમ દ્વારા તેની અઢી મહિના સુધી સારવાર કરીને જીવ બચાવ્યો હતો. આ અજગર સ્વસ્થ થતા તેને જંગલમાં છોડી દેવાયો છે.
આ અંગે મળતી વિગતો મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં અઢી મહિના પહેલાં જામવાળા રેન્જના છારા રાઉન્ડમાં દુર્લભ ગણાતો ભારતીય રોક પાયથન માછીમારની જાળમાં ફસાઈ જતાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ એક સ્થાનિક દ્વારા આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સ્થળ પર જઈને આ ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભારતીય પાયથોનનું સ્ક્યૂ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારીની જાળમાં ફસાઈ જવાથી અજગર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના શરીર પર નાની નાની જીવાતો થઈ ગઈ હતી. એના શરીર પર ભારે મેગોટ્સથી ચેપ લાગ્યો હતો. અને શરીરમાં સડો થવા લાગ્યો હતો. કેટલાય દિવસથી અજગર આ પીડા સાથે જ ફરતો હતો. આ અંગેની જાણ વન વિભાગની ટીમને થતાં વન વિભાગની ટીમે ડોક્ટરની મદદથી અજગરની સારવાર શરૂ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જામવાળામાં વેટરિનરી ડોક્ટર ઈદ્રીશ અને તેમની ટીમે આ અજગરની સારવાર શરૂ કરી હતી. સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 2.5 મહિના સુધી એની સારવાર ચાલુ રહી હતી. લાંબી સારવાર બાદ અજગરનો જીવ બચાવવામાં વન વિભાગની ટીમને સફળતા મળી હતી. જે બાદ પુનઃપ્રાપ્તિ પછી આ દુર્લભ ગણાતા અજગરને ગીરના જંગલમાં એના રહેઠાણમાં છોડી દેવામાં આવ્યો છે.