પાટીદારોના સંગઠન SPG માં બે ભાગલા પડ્યા, લાલજી પટેલથી નારાજ હોદ્દેદારોએ નવી સમિચિ રચી
નવી સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલ અને પ્રવક્તા તરીકે પૂર્વીન પટેલની વરણી
SPG ગ્રુપમાં હજી કોઈ નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી નથી
અગાઉ લાલજી પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે SPG ગ્રુપમાં ખરેખર કોઈ વિવાદ છે જ નહીં
WatchGujarat. ગુજરાતના પાટીદાર સમાજની સંસ્થા સરદાર પટેલ ગ્રુપ (SPG) માં ભાગલા પડ્યા છે. મીડિયા અહેવાલ મુજબ SPG ના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં નવી સમિતિ રચવામાં આવી છે. જેમાં નવી સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલ અને પ્રવક્તા તરીકે પૂર્વીન પટેલ રહેશે.
લાલજી પટેલે અટકાવેલી નિમણૂકો મુદ્દે વિવાદ થયો
SPGના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે અગાઉના હોદ્દેદારોની રદ કરેલી નિમણૂંકના નિર્ણય સામે બળવો થયો છે. SPG પૂર્વ હોદ્દેદારોએ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં એક નવી સમિતિ બનાવી દીધી છે. તેથી હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. તથા SPG ગ્રુપના નવા હોદ્દેદારો નિમવાના મામલો મોટો હોબાળો થયો છે. તેમાં SPG ના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે SPG ગ્રુપના કોઈ નવા અધ્યક્ષ કે હોદ્દેદારોની નિમણૂક કરાઈ નથી.
SPG ના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ગેર હાજરીમાં મિટિંગ બોલાવી SPG ના લેટરપેડ અને લોગોના ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં છે. તથા આ મિટિંગમાં મારી હાજરી ન હતી. તેમજ SPG ગ્રુપ બે ભાગમાં વેચાયું છે. તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ, મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પટેલની વરણી કરવામાં આવી છે.
અગાઉ તારીખ 27 જુલાઈ, 2021ના રોજ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. જેને લઇને SPG હોદ્દેદારોમાં નારાજગી હતી. ત્યારે SPGના પૂર્વ હોદ્દેદારોએ બળવો કરી દીધો. નારાજ હોદ્દેદારોએ ભેગા મળીને સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં લાલજી પટેલે દાવો કર્યો હતો કે, SPG ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. SPG માં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી.
પાટીદારોના સંગઠન SPG માં બે ભાગલા પડ્યા, લાલજી પટેલથી નારાજ હોદ્દેદારોએ નવી સમિચિ રચી
નવી સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલ અને પ્રવક્તા તરીકે પૂર્વીન પટેલની વરણી
SPG ગ્રુપમાં હજી કોઈ નવા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી નથી
અગાઉ લાલજી પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે SPG ગ્રુપમાં ખરેખર કોઈ વિવાદ છે જ નહીં
WatchGujarat. ગુજરાતના પાટીદાર સમાજની સંસ્થા સરદાર પટેલ ગ્રુપ (SPG) માં ભાગલા પડ્યા છે. મીડિયા અહેવાલ મુજબ SPG ના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં નવી સમિતિ રચવામાં આવી છે. જેમાં નવી સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલ અને પ્રવક્તા તરીકે પૂર્વીન પટેલ રહેશે.
લાલજી પટેલે અટકાવેલી નિમણૂકો મુદ્દે વિવાદ થયો
SPGના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે અગાઉના હોદ્દેદારોની રદ કરેલી નિમણૂંકના નિર્ણય સામે બળવો થયો છે. SPG પૂર્વ હોદ્દેદારોએ લાલજી પટેલના નિર્ણયના વિરોધમાં એક નવી સમિતિ બનાવી દીધી છે. તેથી હવે SPG ના અધ્યક્ષ બદલાવાયા છે. તથા SPG ગ્રુપના નવા હોદ્દેદારો નિમવાના મામલો મોટો હોબાળો થયો છે. તેમાં SPG ના નવા અધ્યક્ષ અશ્વિન પટેલ બનવા મુદ્દે લાલજી પટેલે નિવેદન આપ્યું છે કે SPG ગ્રુપના કોઈ નવા અધ્યક્ષ કે હોદ્દેદારોની નિમણૂક કરાઈ નથી.
SPG ના લેટરપેડ અને લોગાનો ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ગેર હાજરીમાં મિટિંગ બોલાવી SPG ના લેટરપેડ અને લોગોના ઉપયોગ કરી અધ્યક્ષ બની ગયાં છે. તથા આ મિટિંગમાં મારી હાજરી ન હતી. તેમજ SPG ગ્રુપ બે ભાગમાં વેચાયું છે. તેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અશ્વિન પટેલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરાંગ પટેલ, મહામંત્રી અને પ્રવક્તા પુર્વિન પટેલની વરણી કરવામાં આવી છે.
અગાઉ તારીખ 27 જુલાઈ, 2021ના રોજ SPG ના રાષ્ટીય અધ્યક્ષ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદા રદ કર્યા હતા. જેને લઇને SPG હોદ્દેદારોમાં નારાજગી હતી. ત્યારે SPGના પૂર્વ હોદ્દેદારોએ બળવો કરી દીધો. નારાજ હોદ્દેદારોએ ભેગા મળીને સોમવારે કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દીધી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં લાલજી પટેલે દાવો કર્યો હતો કે, SPG ગ્રુપમાં ખરેખર કોઇ વિવાદ છે જ નહીં. SPG માં કોઇ નવા હોદેદારોની નિમણુક કરવામાં આવી નથી.