WatchGujarat. બનાસકાંઠાના દેવાસ ગામે એક 19 વર્ષિય છોકરો, જીગર જાદવ 2011 માં તેની શાળામાંથી ગુમ થયો હતો. એક દાયકા પછી, જ્યારે સ્થાનિક પોલીસે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ (UIDAIને જીગર સંબંધિત કોઈપણ હાજર વિગતો માંગી તો તેમને આપવાની ના પાડી દીધી, UIDAI કહ્યું કે તે કોઈ માહિતી આપી શકશે નહીં, કારણ કે તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.
આ વર્ષે માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને જીગરને શોધી કાઢવા તપાસ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને UIDAI ને આદેશ આપ્યો હતો કે જો જીગરનું આધારકાર્ડ બનેલ હોય તો તેના માધ્યમથી યુવકને શોધી કાઢવા પોલીસને સહયોગ આપે.
પ્રાધિકરણએ કહ્યું કે પૂછ્યા વિના માહિતી આપી શકતા નથી
જીગરના ગુમ થવા અંગે આધારની વિગતો આપવા માટે અચકાતા યુઆઇડીએઆઇના અધિકારીઓએ ગુજરાત હાઇકોર્ટને જાણ કરી હતી કે તેઓ હાઇકોર્ટ ઓથોરિટી અને જેની માહિતી માંગવામાં આવી છે તેને સાંભળ્યા બાદ જ તેની માહિતી આપી શકે છે. વિડંબના એ છે કે, આ કિસ્સામાં, તે એક ગુમ થયેલ વ્યક્તિ છે!
હોસ્ટેલમાંથી ગુમ થયો હતો પુત્ર
આ મામલો નાગજીભાઇની હબીસ કોર્પસ પિટિશનને લગતો છે. ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર કોલેજની છાત્રાલયમાંથી નાગજીભાઇનો પુત્ર જીગર દસ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તેની ખૂબ શોધખોળ કરવામાં આવી હતી. જ્યારે તેના વિશે કંઇ મળ્યું ન હતું ત્યારે પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ડીસા પોલીસે UIDAI ની માંગી હતી મદદ
હાઈકોર્ટના આદેશ બાદ ડીસા પોલીસે UIDAI ને જાદવ વિશેની માહિતી માંગતા પત્ર લખ્યો હતો. જેના જવાબમાં પ્રાધિકરણ (ઓથોરિટી) એ કહ્યું હતું કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ અને નામના આધારે અને આધાર નંબર વગર ઓળખવું મુશ્કેલ બનશે.
ઓથોરિટીએ આ સોગંદનામું આપ્યું હતું
ઓથોરિટીએ બાદમાં હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે સરસરી માહિતીના આધારે તેને શોધી કાઢવું શક્ય નહીં બને. ઓથોરિટીએ આધારકાર્ડ ધારકની ગોપનીયતાના અધિકારને લગતા કોર્ટના આદેશોની વિવિધ જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઓથોરિટીએ આપ્યો 33 (1) નો હવાલો
આધાર ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે, UIDAI અને સંબંધિત વ્યક્તિની સુનાવણી કર્યા પછી જ આધારકાર્ડ ધારક વિશેની માહિતી રજૂ કરવા માટે કોર્ટ આદેશ આપી શકે છે. UIDAI એક્ટની કલમ 33 (1) ની જોગવાઈઓને સંદર્ભિત હવાલો આપ્યો. આ સુનાવણી દરમિયાન બનાસકાંઠા પોલીસે તપાસ અંગે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. હાઈકોર્ટે આ મામલાની સુનાવણી આગામી 26 મી જુલાઈએ કરી છે.
WatchGujarat. બનાસકાંઠાના દેવાસ ગામે એક 19 વર્ષિય છોકરો, જીગર જાદવ 2011 માં તેની શાળામાંથી ગુમ થયો હતો. એક દાયકા પછી, જ્યારે સ્થાનિક પોલીસે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધિકરણ (UIDAIને જીગર સંબંધિત કોઈપણ હાજર વિગતો માંગી તો તેમને આપવાની ના પાડી દીધી, UIDAI કહ્યું કે તે કોઈ માહિતી આપી શકશે નહીં, કારણ કે તે ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.
આ વર્ષે માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને જીગરને શોધી કાઢવા તપાસ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો અને UIDAI ને આદેશ આપ્યો હતો કે જો જીગરનું આધારકાર્ડ બનેલ હોય તો તેના માધ્યમથી યુવકને શોધી કાઢવા પોલીસને સહયોગ આપે.
પ્રાધિકરણએ કહ્યું કે પૂછ્યા વિના માહિતી આપી શકતા નથી
જીગરના ગુમ થવા અંગે આધારની વિગતો આપવા માટે અચકાતા યુઆઇડીએઆઇના અધિકારીઓએ ગુજરાત હાઇકોર્ટને જાણ કરી હતી કે તેઓ હાઇકોર્ટ ઓથોરિટી અને જેની માહિતી માંગવામાં આવી છે તેને સાંભળ્યા બાદ જ તેની માહિતી આપી શકે છે. વિડંબના એ છે કે, આ કિસ્સામાં, તે એક ગુમ થયેલ વ્યક્તિ છે!
હોસ્ટેલમાંથી ગુમ થયો હતો પુત્ર
આ મામલો નાગજીભાઇની હબીસ કોર્પસ પિટિશનને લગતો છે. ડો.બાબાસાહેબ આંબેડકર કુમાર કોલેજની છાત્રાલયમાંથી નાગજીભાઇનો પુત્ર જીગર દસ વર્ષ પહેલાં ગુમ થયો હતો. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ તેની ખૂબ શોધખોળ કરવામાં આવી હતી. જ્યારે તેના વિશે કંઇ મળ્યું ન હતું ત્યારે પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ડીસા પોલીસે UIDAI ની માંગી હતી મદદ
હાઈકોર્ટના આદેશ બાદ ડીસા પોલીસે UIDAI ને જાદવ વિશેની માહિતી માંગતા પત્ર લખ્યો હતો. જેના જવાબમાં પ્રાધિકરણ (ઓથોરિટી) એ કહ્યું હતું કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ અને નામના આધારે અને આધાર નંબર વગર ઓળખવું મુશ્કેલ બનશે.
ઓથોરિટીએ આ સોગંદનામું આપ્યું હતું
ઓથોરિટીએ બાદમાં હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે સરસરી માહિતીના આધારે તેને શોધી કાઢવું શક્ય નહીં બને. ઓથોરિટીએ આધારકાર્ડ ધારકની ગોપનીયતાના અધિકારને લગતા કોર્ટના આદેશોની વિવિધ જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઓથોરિટીએ આપ્યો 33 (1) નો હવાલો
આધાર ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે, UIDAI અને સંબંધિત વ્યક્તિની સુનાવણી કર્યા પછી જ આધારકાર્ડ ધારક વિશેની માહિતી રજૂ કરવા માટે કોર્ટ આદેશ આપી શકે છે. UIDAI એક્ટની કલમ 33 (1) ની જોગવાઈઓને સંદર્ભિત હવાલો આપ્યો. આ સુનાવણી દરમિયાન બનાસકાંઠા પોલીસે તપાસ અંગે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. હાઈકોર્ટે આ મામલાની સુનાવણી આગામી 26 મી જુલાઈએ કરી છે.