ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ રિસર્ચ કરે છે
છેલ્લા થોડા દિવસોથી જળબિલાડીઓ એ ગવિયરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે.
7-10 જળબિલાડીનું ઝુંડ ગવિયર તળાવમાં અવારનવાર જોવા મળી રહ્યું છે
WatchGujarat. સુરત શહેરથી 7 કિમી દૂર આવેલું ગવિયર તળાવ એક વન્યજીવોનું આશ્રયસ્થાન છે. જ્યાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ હજારો કિલોમીટરની મુસાફરી કરી શિયાળાના સમયે ખાસ મેટિંગ માટે આવે છે. જો કે તાજેતરમાં જ આ લેકમાં ગુજરાતની લુપ્ત ગણાતી 7થી પણ વધુ જળ બિલાડી ફરી દ્શ્યમાન થઇ છે.
સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સરથાણા નેચર પાર્ક ઉપરાંત ગવિયર લેક ખાતે તે જોવા મળી હતી. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ રિસર્ચ કરે છે. હાલમાં જળબિલાડીની વસ્તી વધતી દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી જળબિલાડીઓ એ ગવિયરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે. હાલમાં અંદાજિત 7-10 જળબિલાડીનું ઝુંડ તળાવમાં અવારનવાર જોવા મળી રહ્યું છે.
પ્રોજેક્ટ સભાંળનાર કૃણાલ ત્રિવેદીઓ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે છેલ્લા 6 વર્ષથી ગવિયર તળાવમાં તે જોવા મળી રહી છે. સંસ્થા દ્વારા જળબિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કેમેરા ટ્રેપિંગ જાગૃતાનાં કાર્યક્રમ, માછીમારીની જાળનું વિતરણ વગેરે પ્રવૃત્તિ થઇ રહી છે. ખાસ કરીને મીઠાપાણીની માછલી કાચબા અને નાના પક્ષીઓ પણ ખોરોકમાં લે છે જેને લઇને કુદરતી રીતે જ તેમની સંખ્યા વધતી જોવા મળી રહી છે. અહીં 1200થી વધુ નેટિવ વૃક્ષો તળાવની વન્યજીવ સૃષ્ટિને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. તે 140 વધુ પક્ષીઓની પ્રજાતિઓ, 100થી વધુ બટરફ્લાય પ્રજાતિઓ, 25થી વધુ સરિસૃપ અને ઉભયજીવી પ્રજાતિઓ અને 10થી સસ્તન પ્રાણીઓનું ઘર છે.
ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ રિસર્ચ કરે છે
છેલ્લા થોડા દિવસોથી જળબિલાડીઓ એ ગવિયરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે.
7-10 જળબિલાડીનું ઝુંડ ગવિયર તળાવમાં અવારનવાર જોવા મળી રહ્યું છે
WatchGujarat. સુરત શહેરથી 7 કિમી દૂર આવેલું ગવિયર તળાવ એક વન્યજીવોનું આશ્રયસ્થાન છે. જ્યાં દેશ-વિદેશથી અનેક પક્ષીઓ હજારો કિલોમીટરની મુસાફરી કરી શિયાળાના સમયે ખાસ મેટિંગ માટે આવે છે. જો કે તાજેતરમાં જ આ લેકમાં ગુજરાતની લુપ્ત ગણાતી 7થી પણ વધુ જળ બિલાડી ફરી દ્શ્યમાન થઇ છે.
સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સરથાણા નેચર પાર્ક ઉપરાંત ગવિયર લેક ખાતે તે જોવા મળી હતી. ગુજરાતની લુપ્ત ગણાતી જળ બિલાડી પર વર્ષ 2015થી અહીં નેચર ક્લબ રિસર્ચ કરે છે. હાલમાં જળબિલાડીની વસ્તી વધતી દેખાઇ રહી છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી જળબિલાડીઓ એ ગવિયરને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું છે. હાલમાં અંદાજિત 7-10 જળબિલાડીનું ઝુંડ તળાવમાં અવારનવાર જોવા મળી રહ્યું છે.
પ્રોજેક્ટ સભાંળનાર કૃણાલ ત્રિવેદીઓ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે છેલ્લા 6 વર્ષથી ગવિયર તળાવમાં તે જોવા મળી રહી છે. સંસ્થા દ્વારા જળબિલાડીના સંરક્ષણ અને વસ્તી વધારા માટે છેલ્લા ઘણા વર્ષોથી કેમેરા ટ્રેપિંગ જાગૃતાનાં કાર્યક્રમ, માછીમારીની જાળનું વિતરણ વગેરે પ્રવૃત્તિ થઇ રહી છે. ખાસ કરીને મીઠાપાણીની માછલી કાચબા અને નાના પક્ષીઓ પણ ખોરોકમાં લે છે જેને લઇને કુદરતી રીતે જ તેમની સંખ્યા વધતી જોવા મળી રહી છે. અહીં 1200થી વધુ નેટિવ વૃક્ષો તળાવની વન્યજીવ સૃષ્ટિને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. તે 140 વધુ પક્ષીઓની પ્રજાતિઓ, 100થી વધુ બટરફ્લાય પ્રજાતિઓ, 25થી વધુ સરિસૃપ અને ઉભયજીવી પ્રજાતિઓ અને 10થી સસ્તન પ્રાણીઓનું ઘર છે.