આમોદના સરભાણમાં ખેડૂતોએ સરદાર જ્યંતીએ લોહપુરુષની પ્રતિમા પાસે આપ્યો નોખો વિરોધ, યાદૉ તમારી જીવન અમારુ, સરકારને આપો સદબુદ્ધિ
પાક પ્રદુષણ, પછોતરા વરસાદ નુકશાની, જમીન સંપાદન, સિંચાઈ, વીજળી અને પાઇપલાઈનના વણઉકેલ્યા પ્રશ્નોની સરદાર થકી સરકારમાં રજુઆત
WatchGujarat. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ સરદાર જ્યંતીએ આમોદ તાલુકાના સરભાણ ગામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પોતાની વેદના ઠાલવી સરકાર સમક્ષ નોખી રીતે વિરોધ સાથે રજુઆત કરી હતી. ભરૂચ જીલ્લાના ખેડૂતોએ સરદાર જયંતિ એકતા દિવસ નિમિત્તે જીલ્લાના ઐતિહાસિક ગામ સરભાણ મુકામે આવેલી સરદાર હૉસ્પિટલમા સરદારની પ્રતિમા સમક્ષ રુબરુ થઈ પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા આપી હતી.
મળતી વિગતો અનુસાર ખેડૂતોએ સરદાર વંદના કરી સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. આ સાથે ખેડૂતોના હામી બેલી મસિહા સ્વ. સરદાર સાહેબને પોતાના જીવનનો આધાર બનાવ્યો હતો. હવે અમારે તમારો જ આધાર છે અને તમારી મારફતે સરકારને સદબુદ્ધી આવે એવી રજુઆત કરી હતી. ઉપરાંત ત્યાં હાજર સૌ ખેડૂતોએ પુષ્પાંજલિ શ્રધ્ધાજલિ અર્પી અને પોતાની વેદના રજુ કરી હતી.
આ સમયે સરકાર સંવેદના સાથે કામ કરે એવી માંગણી ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે કરી હતી. અખંડ ભારતના શિલ્પી ભારતના ઘડવૈયા વિશ્વ વિભુતી સરદાર સાહેબના જન્મ જયંતિના કાર્યકર્મને ભરુચ જીલ્લાના ખેડૂતો વેદના સહ દુઃખી હદયે યાદો તમારી જીવન અમારુ અશ્રુભીની શ્રધ્ધાજલિ અર્પી પોતાની વેદના સરદાર શ્રી મારફતે સરકારને પહોંચાડી હતી.
ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જિલ્લાના ખેડૂતોને પાછોતરા વરસાદથી થયેલી નુકશાની, હવા પ્રદુષણથી પાક નુકશાની, જમીન સંપાદન, પાઇપલાઇન, ખેતી માટે વીજળી, 4 તાલુકાના 267 ગામની 1.66 લાખ હેકટરમાં સિંચાઇની સગવડ ઉભી કરવા રજુઆત કરી હતી. મહત્વનું છે કે આ સમસ્યા અંગે સરકાર દ્વારા વહેલી તકે પગલા લેવાય તેના માટે ખેડૂતો દ્વારા આ અનોખી રીત અપનાવવામાં આવી હતી.
- આમોદના સરભાણમાં ખેડૂતોએ સરદાર જ્યંતીએ લોહપુરુષની પ્રતિમા પાસે આપ્યો નોખો વિરોધ, યાદૉ તમારી જીવન અમારુ, સરકારને આપો સદબુદ્ધિ
- પાક પ્રદુષણ, પછોતરા વરસાદ નુકશાની, જમીન સંપાદન, સિંચાઈ, વીજળી અને પાઇપલાઈનના વણઉકેલ્યા પ્રશ્નોની સરદાર થકી સરકારમાં રજુઆત
WatchGujarat. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ સરદાર જ્યંતીએ આમોદ તાલુકાના સરભાણ ગામે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પોતાની વેદના ઠાલવી સરકાર સમક્ષ નોખી રીતે વિરોધ સાથે રજુઆત કરી હતી. ભરૂચ જીલ્લાના ખેડૂતોએ સરદાર જયંતિ એકતા દિવસ નિમિત્તે જીલ્લાના ઐતિહાસિક ગામ સરભાણ મુકામે આવેલી સરદાર હૉસ્પિટલમા સરદારની પ્રતિમા સમક્ષ રુબરુ થઈ પોતાના વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચા આપી હતી.
મળતી વિગતો અનુસાર ખેડૂતોએ સરદાર વંદના કરી સરદાર વલ્લભભાઈ પટેલ સમક્ષ પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. આ સાથે ખેડૂતોના હામી બેલી મસિહા સ્વ. સરદાર સાહેબને પોતાના જીવનનો આધાર બનાવ્યો હતો. હવે અમારે તમારો જ આધાર છે અને તમારી મારફતે સરકારને સદબુદ્ધી આવે એવી રજુઆત કરી હતી. ઉપરાંત ત્યાં હાજર સૌ ખેડૂતોએ પુષ્પાંજલિ શ્રધ્ધાજલિ અર્પી અને પોતાની વેદના રજુ કરી હતી.
આ સમયે સરકાર સંવેદના સાથે કામ કરે એવી માંગણી ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે કરી હતી. અખંડ ભારતના શિલ્પી ભારતના ઘડવૈયા વિશ્વ વિભુતી સરદાર સાહેબના જન્મ જયંતિના કાર્યકર્મને ભરુચ જીલ્લાના ખેડૂતો વેદના સહ દુઃખી હદયે યાદો તમારી જીવન અમારુ અશ્રુભીની શ્રધ્ધાજલિ અર્પી પોતાની વેદના સરદાર શ્રી મારફતે સરકારને પહોંચાડી હતી.
ભરૂચ જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ અંગે રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જિલ્લાના ખેડૂતોને પાછોતરા વરસાદથી થયેલી નુકશાની, હવા પ્રદુષણથી પાક નુકશાની, જમીન સંપાદન, પાઇપલાઇન, ખેતી માટે વીજળી, 4 તાલુકાના 267 ગામની 1.66 લાખ હેકટરમાં સિંચાઇની સગવડ ઉભી કરવા રજુઆત કરી હતી. મહત્વનું છે કે આ સમસ્યા અંગે સરકાર દ્વારા વહેલી તકે પગલા લેવાય તેના માટે ખેડૂતો દ્વારા આ અનોખી રીત અપનાવવામાં આવી હતી.