હાનિકારક કેમિકલ ભરેલો ટેન્કર પકડાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો
અંકલેશ્વર ખાતેની કેમિકલ કંપની ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરતી હતી
પોલીસે કંપની વિરુદ્ધ પુરાવા ભેગા કરી જી.પી.સી.બી ને રજુ કાર્ય હતા
પુરાવાને ધ્યાનમાં રાખી કંપની બંધ કરવાની નોટિસ ફટકારાઇ
WatchGujarat. અંકલેશ્વર ખાતેની કેમિકલ કંપની ગેરકાયદેસર રીતે હાનિકારક વેસ્ટેઝ કેમીકલોનું નિકાલ કરતી હોવાની જાણ વડોદરા શહેરની પી.સી.બી શાખાને થઇ હતી. આ મામલે કંપનીનો એક ટેન્કર પકડાયા બાદ તે વિશે આગળ ઊંડાણ પૂર્વક તાપસ કરતા કેમિકલનું વહન ગેરકાયદેસર રીતે થતું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું.જે અંગે જી.પી.સી.બી (Gujarat Pollution Control Board) એ કંપનીને બંધ કરવાંની શો કોઝ નોટિસ ફટકારી હતી.
સમગ્ર મામલાની વિગતો એવી છે કે, ગત તા.23 જૂનના રોજ વડોદરા પી.સી.બી (Prevention of Crime Branch) ના કર્મીઓને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી થી એક ટેન્કર હાનિકારક કેમિકલ લઈને નીકળ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી પીસીબી એ વૉચ ગોઠવીને તે ટેન્કરને પકડી પડ્યો હતો . અને મકરપુરા પોલીસ સ્ટેશન અંતર્ગત આ મામલાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા કેમિકલ અને તેના ટ્રાન્પોર્ટેશન વિશે ઊંડાણ પૂર્વક તપાસ કરતા અંકલેશ્વરની સાયન ગ્રીનોકેમ. પ્રા.લી કંપનીનું નામ આ મામલે સપાટીવએ આવ્યું હતું. આ સાથેજ પોલીસે આગળની કાર્યવાહીનો દોર શરુ કરી દીધો હતો. જેમાં પોલીસને કંપની વિરુદ્ધ ઘણા પુરાવા હાથ લાગ્યા હતા. જો કે સામે કંપની પણ પુરાવા પોલીસ સમક્ષ રજુ કરી રહી હતી. પરંતુ કેમિકલ કંપની દ્વારા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ પુરાવા પોલીસના પુરાવાથી વિપરીત જ હતા.
દરમિયાન બિલ્ટીમાં દર્શાવેલ તારીખ બાદ ટોલનાકા પરથી ટેન્કર વારંવાર પસાર થયો હોય જે બાબતના પુરાવા અને બિલ્ટીના પુરાવા પોલીસે મેળવી કેમીકલકનું વહન ગેરકાયદેસર રીતે થતું હોવાનું સપાટીએ આવ્યું હતું. પોલીસે આ તમામ પુરાવા ભેગા કરી જી.પી.સી.બી બોર્ડને રજુ કાર્ય હતા. જે અંગે જી.પી.સી.બી, પર્યાવરણ ભવન, ગાંધીનગર ખાતેની સંસ્થાએ પુરાવાને ધ્યાનમાં રાખી અંકલેશ્વરની સાયન ગ્રીનોંકેમ, પ્રા.લી કેમિકલ કંપનીને બંધ કરવાં માટેની નોટિસ ફટકારી દીધી હતી.
હાનિકારક કેમિકલ ભરેલો ટેન્કર પકડાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો હતો
અંકલેશ્વર ખાતેની કેમિકલ કંપની ગેરકાયદેસર રીતે કેમિકલનો નિકાલ કરતી હતી
પોલીસે કંપની વિરુદ્ધ પુરાવા ભેગા કરી જી.પી.સી.બી ને રજુ કાર્ય હતા
પુરાવાને ધ્યાનમાં રાખી કંપની બંધ કરવાની નોટિસ ફટકારાઇ
WatchGujarat. અંકલેશ્વર ખાતેની કેમિકલ કંપની ગેરકાયદેસર રીતે હાનિકારક વેસ્ટેઝ કેમીકલોનું નિકાલ કરતી હોવાની જાણ વડોદરા શહેરની પી.સી.બી શાખાને થઇ હતી. આ મામલે કંપનીનો એક ટેન્કર પકડાયા બાદ તે વિશે આગળ ઊંડાણ પૂર્વક તાપસ કરતા કેમિકલનું વહન ગેરકાયદેસર રીતે થતું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું.જે અંગે જી.પી.સી.બી (Gujarat Pollution Control Board) એ કંપનીને બંધ કરવાંની શો કોઝ નોટિસ ફટકારી હતી.
સમગ્ર મામલાની વિગતો એવી છે કે, ગત તા.23 જૂનના રોજ વડોદરા પી.સી.બી (Prevention of Crime Branch) ના કર્મીઓને બાતમી મળી હતી કે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી થી એક ટેન્કર હાનિકારક કેમિકલ લઈને નીકળ્યો છે. આ વાતને ધ્યાનમાં રાખી પીસીબી એ વૉચ ગોઠવીને તે ટેન્કરને પકડી પડ્યો હતો . અને મકરપુરા પોલીસ સ્ટેશન અંતર્ગત આ મામલાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા કેમિકલ અને તેના ટ્રાન્પોર્ટેશન વિશે ઊંડાણ પૂર્વક તપાસ કરતા અંકલેશ્વરની સાયન ગ્રીનોકેમ. પ્રા.લી કંપનીનું નામ આ મામલે સપાટીવએ આવ્યું હતું. આ સાથેજ પોલીસે આગળની કાર્યવાહીનો દોર શરુ કરી દીધો હતો. જેમાં પોલીસને કંપની વિરુદ્ધ ઘણા પુરાવા હાથ લાગ્યા હતા. જો કે સામે કંપની પણ પુરાવા પોલીસ સમક્ષ રજુ કરી રહી હતી. પરંતુ કેમિકલ કંપની દ્વારા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ પુરાવા પોલીસના પુરાવાથી વિપરીત જ હતા.
દરમિયાન બિલ્ટીમાં દર્શાવેલ તારીખ બાદ ટોલનાકા પરથી ટેન્કર વારંવાર પસાર થયો હોય જે બાબતના પુરાવા અને બિલ્ટીના પુરાવા પોલીસે મેળવી કેમીકલકનું વહન ગેરકાયદેસર રીતે થતું હોવાનું સપાટીએ આવ્યું હતું. પોલીસે આ તમામ પુરાવા ભેગા કરી જી.પી.સી.બી બોર્ડને રજુ કાર્ય હતા. જે અંગે જી.પી.સી.બી, પર્યાવરણ ભવન, ગાંધીનગર ખાતેની સંસ્થાએ પુરાવાને ધ્યાનમાં રાખી અંકલેશ્વરની સાયન ગ્રીનોંકેમ, પ્રા.લી કેમિકલ કંપનીને બંધ કરવાં માટેની નોટિસ ફટકારી દીધી હતી.