વડોદરા વિશ્વમાં આવેલી જુજ જગ્યાઓમાં સ્થાન ધરાવે છે, જેમાં માનવ વસ્તી અને મગરો ખુબ જ નજીક વસવાટ કરે છે
વડોદરામાં સ્વયંસેવકોની ફોજ અને વન વિભાગની સુંદર કામગીરીને પગલે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે
આજરોજ વડોદરાથી હાલોલ જતા વચ્ચે આવતી નર્મદાની મેઇન કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે ચાલતી ઘમાસાન પર અમારા વોલંટીયર્સની નજર પડી
નર્મદાની મેઇન કેનાલમાં મગરો મોટી સંખ્યામાં આવેલા છે. અને જો કોઇ માણસ અથવા જનાવર તેમાં પડી જાય તો તેની બચવાની શક્યતાઓ ઓછી હોય છે. – અરવિંદ પવાર
WatchGujarat. વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં મગર અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે. આજરોજ વહેલી સવારે વડોદરા નજીકથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં ફસાઇ ગયેલા જંગલી સુવ્વર અને મગર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં એક તબક્કે જંગલી સુવ્વરે મગરને ચકમો આપી દીધો હતો. પરંતુ મગરથી જંગલી સુવ્વર બચે તેવી શક્યતાઓ ખુબ ઓછી હોવાનું જાણકારો માની રહ્યા છે.
https://youtu.be/LyzqNOGSbAQ
વડોદરા વિશ્વમાં આવેલી જુજ જગ્યાઓમાં સ્થાન ધરાવે છે, જેમાં માનવ વસ્તી અને મગરો ખુબ જ નજીક વસવાટ કરે છે. ચોમાસાની રૂતુમાં મગરે અવાર નવાર રહેણાંક વિસ્તારો નજીક આવી જતા હોય છે. અને કેટલીક વખત માનવો અને મગર વચ્ચે ઘર્ષણ થવાની સંભાવનાઓ પણ જોવા મળે છે. પરંતુ વડોદરામાં સ્વયંસેવકોની ફોજ અને વન વિભાગની સુંદર કામગીરીને પગલે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે. આજરોજ વડોદરા નજીકથી પસાર થતકી નર્મદાની મેઇન કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે જંગ જામ્યો હતો.
સમગ્ર મામલે વાત કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું કે, આજરોજ વડોદરાથી હાલોલ જતા વચ્ચે આવતી નર્મદાની મેઇન કેનાલ પાસેથી અમારા વોલંટીયર્સ જઇ રહ્યા હતા. દરમિયાન તેમની નજર કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે ચાલતી ઘમાસાન પર પડી હતી. તેઓએ નજીક જઇને જોતે મગરથી બચવા માટે જંગલી સુવ્વર ધમપછાડા કરતો હતો. એક સમયે તો જંગલી સુવ્વરે મગરને ચકમો પણ આપી દીધો હતો. અને મગરથી દુર જવામાં સફળ રહ્યો હતો.
વધુમાં અરવિંદ પવારે ઉમેર્યું કે, નર્મદાની મેઇન કેનાલમાં મગરો મોટી સંખ્યામાં આવેલા છે. અને જો કોઇ માણસ અથવા જનાવર તેમાં પડી જાય તો તેની બચવાની શક્યતાઓ ઓછી હોય છે. જ્યાં સુધી વોલંટીયર્સ હાજર હતા ત્યાં સુધી તો જંગલી સુવ્વર જીવતું હતું. પરંતુ આગળ જતા જંગલી સુવ્વરનું ડુબી જવાથી અથવાતો મગર દ્વારા ફાડી ખાવાને કારણે મોત નિપજવાની શક્યતાઓ વધારે છે.
વડોદરા વિશ્વમાં આવેલી જુજ જગ્યાઓમાં સ્થાન ધરાવે છે, જેમાં માનવ વસ્તી અને મગરો ખુબ જ નજીક વસવાટ કરે છે
વડોદરામાં સ્વયંસેવકોની ફોજ અને વન વિભાગની સુંદર કામગીરીને પગલે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે
આજરોજ વડોદરાથી હાલોલ જતા વચ્ચે આવતી નર્મદાની મેઇન કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે ચાલતી ઘમાસાન પર અમારા વોલંટીયર્સની નજર પડી
નર્મદાની મેઇન કેનાલમાં મગરો મોટી સંખ્યામાં આવેલા છે. અને જો કોઇ માણસ અથવા જનાવર તેમાં પડી જાય તો તેની બચવાની શક્યતાઓ ઓછી હોય છે. – અરવિંદ પવાર
WatchGujarat. વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં મગર અને માનવ વસ્તી નજીક નજીક વસવાટ કરે છે. આજરોજ વહેલી સવારે વડોદરા નજીકથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં ફસાઇ ગયેલા જંગલી સુવ્વર અને મગર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં એક તબક્કે જંગલી સુવ્વરે મગરને ચકમો આપી દીધો હતો. પરંતુ મગરથી જંગલી સુવ્વર બચે તેવી શક્યતાઓ ખુબ ઓછી હોવાનું જાણકારો માની રહ્યા છે.
વડોદરા વિશ્વમાં આવેલી જુજ જગ્યાઓમાં સ્થાન ધરાવે છે, જેમાં માનવ વસ્તી અને મગરો ખુબ જ નજીક વસવાટ કરે છે. ચોમાસાની રૂતુમાં મગરે અવાર નવાર રહેણાંક વિસ્તારો નજીક આવી જતા હોય છે. અને કેટલીક વખત માનવો અને મગર વચ્ચે ઘર્ષણ થવાની સંભાવનાઓ પણ જોવા મળે છે. પરંતુ વડોદરામાં સ્વયંસેવકોની ફોજ અને વન વિભાગની સુંદર કામગીરીને પગલે માનવો અને મગર વચ્ચે ઘર્ષણની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે. આજરોજ વડોદરા નજીકથી પસાર થતકી નર્મદાની મેઇન કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે જંગ જામ્યો હતો.
સમગ્ર મામલે વાત કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંદ પવારે જણાવ્યું કે, આજરોજ વડોદરાથી હાલોલ જતા વચ્ચે આવતી નર્મદાની મેઇન કેનાલ પાસેથી અમારા વોલંટીયર્સ જઇ રહ્યા હતા. દરમિયાન તેમની નજર કેનાલમાં મગર અને જંગલી સુવ્વર વચ્ચે ચાલતી ઘમાસાન પર પડી હતી. તેઓએ નજીક જઇને જોતે મગરથી બચવા માટે જંગલી સુવ્વર ધમપછાડા કરતો હતો. એક સમયે તો જંગલી સુવ્વરે મગરને ચકમો પણ આપી દીધો હતો. અને મગરથી દુર જવામાં સફળ રહ્યો હતો.
વધુમાં અરવિંદ પવારે ઉમેર્યું કે, નર્મદાની મેઇન કેનાલમાં મગરો મોટી સંખ્યામાં આવેલા છે. અને જો કોઇ માણસ અથવા જનાવર તેમાં પડી જાય તો તેની બચવાની શક્યતાઓ ઓછી હોય છે. જ્યાં સુધી વોલંટીયર્સ હાજર હતા ત્યાં સુધી તો જંગલી સુવ્વર જીવતું હતું. પરંતુ આગળ જતા જંગલી સુવ્વરનું ડુબી જવાથી અથવાતો મગર દ્વારા ફાડી ખાવાને કારણે મોત નિપજવાની શક્યતાઓ વધારે છે.