થોડા દિવસ અગાઉ પણ નવલખી મેદાનના કૃતિમ તળાવમાં મગર જોવા મળ્યો હતો
ત્યારે આજે ફરી એક વાર આ તળાવમાં મગર જોવા મળ્યો હતો
જો કે સમયસૂચકતા ફાયર વિભાગ આવી જતા રેસ્કયુ ઓપરેશન શરુ થઇ ગયું હતું
WatchGujarat. ગણપતિ વિસર્જનને માન એક દિવસ બચ્યો છે. ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાનમા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં મગર દેખાતા ઘણા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને થતા બે બોટ સાથે ફાયરના જવાનોને કૃત્રિમ તળાવમાં ઉતારી રેસ્ક્યુ મિશન શરુ કર્યું હતું.
ભગવાન ગણપતિનો તહેવાર આવતાજ સરકાર દ્વારા તહેવાર અંગેની તમામ પ્રકારની અનુમતિ આપી દેવામાં આવી હતી. ગણપતિના વિસર્જન હેતુ વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ અલગ અલગ જગ્યાએ કૃતિમ તળાવનું નિર્માણ કરાયું હતું. નવલખી મેદાન ખાતે આવેલું કૃત્રિમ તળાવ શહેરના બીજા કૃત્રિમ તળાવો કરતા ઘણું મોટું છે.
વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિના તહેવાર અંગે કૃતિમ તળાવ બનાવવાની કામગીરી પુરી કરી દેતા નવલખી મેદાનના કૃતિમ તળાવમાં થોડા દિવસો પહેલા જ મગર જોવા મળ્યું હતો. જેને ઘણી જહેમદ બાદ રેસ્ક્યુ કરાયો હતો. અને આજે ફરી એક વાર અને ગણપતિ વિસર્જનના એક દિવસ પહેલા જ આ તળાવમાં મગર દેખાયો છે. વિસર્જનના એક દિવસ પહેલા જ મગર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે, નવલખી મેદાનના કૃત્રિમ તળાવ નજીકથી જ વડોદરાની મગરોના રહેઠાણ તરીકે જાણીતી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આમ તો ઘણી વાર નદીમાંથી મગર રસ્તા પર આવી જાય છે. પરંતુ આ દ્રશ્યો વરસાદની ઋતુ આવતા વધારે જોવા મળે છે. વરસાદની ઋતુ આવતાની સાથેજ ઘણા મગરો રસ્તે અને રહેઠાણના વિસ્તારમાં આવી જતા હોય છે. જેથી ઘણા લોકોમાં ભયનો માહોલ રહેતો હોય છે.
આજે જ્યારે નવલખી મેદાનના કૃતિમ તળાવમાં ફરી એક વાર મગર જોવા મળ્યો હતો. ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ મામલાની જાણ થતાની સાથેજ ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા. અને સમયસુચકતા વાપરી ફાયર વિભાગે બે બોટ પાણીમાં ઉતારી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધાર્યું હતું.
થોડા દિવસ અગાઉ પણ નવલખી મેદાનના કૃતિમ તળાવમાં મગર જોવા મળ્યો હતો
ત્યારે આજે ફરી એક વાર આ તળાવમાં મગર જોવા મળ્યો હતો
જો કે સમયસૂચકતા ફાયર વિભાગ આવી જતા રેસ્કયુ ઓપરેશન શરુ થઇ ગયું હતું
WatchGujarat. ગણપતિ વિસર્જનને માન એક દિવસ બચ્યો છે. ત્યારે વડોદરા શહેરના નવલખી મેદાનમા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં મગર દેખાતા ઘણા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને થતા બે બોટ સાથે ફાયરના જવાનોને કૃત્રિમ તળાવમાં ઉતારી રેસ્ક્યુ મિશન શરુ કર્યું હતું.
ભગવાન ગણપતિનો તહેવાર આવતાજ સરકાર દ્વારા તહેવાર અંગેની તમામ પ્રકારની અનુમતિ આપી દેવામાં આવી હતી. ગણપતિના વિસર્જન હેતુ વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાંચ અલગ અલગ જગ્યાએ કૃતિમ તળાવનું નિર્માણ કરાયું હતું. નવલખી મેદાન ખાતે આવેલું કૃત્રિમ તળાવ શહેરના બીજા કૃત્રિમ તળાવો કરતા ઘણું મોટું છે.
વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિના તહેવાર અંગે કૃતિમ તળાવ બનાવવાની કામગીરી પુરી કરી દેતા નવલખી મેદાનના કૃતિમ તળાવમાં થોડા દિવસો પહેલા જ મગર જોવા મળ્યું હતો. જેને ઘણી જહેમદ બાદ રેસ્ક્યુ કરાયો હતો. અને આજે ફરી એક વાર અને ગણપતિ વિસર્જનના એક દિવસ પહેલા જ આ તળાવમાં મગર દેખાયો છે. વિસર્જનના એક દિવસ પહેલા જ મગર દેખાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે, નવલખી મેદાનના કૃત્રિમ તળાવ નજીકથી જ વડોદરાની મગરોના રહેઠાણ તરીકે જાણીતી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આમ તો ઘણી વાર નદીમાંથી મગર રસ્તા પર આવી જાય છે. પરંતુ આ દ્રશ્યો વરસાદની ઋતુ આવતા વધારે જોવા મળે છે. વરસાદની ઋતુ આવતાની સાથેજ ઘણા મગરો રસ્તે અને રહેઠાણના વિસ્તારમાં આવી જતા હોય છે. જેથી ઘણા લોકોમાં ભયનો માહોલ રહેતો હોય છે.
આજે જ્યારે નવલખી મેદાનના કૃતિમ તળાવમાં ફરી એક વાર મગર જોવા મળ્યો હતો. ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ મામલાની જાણ થતાની સાથેજ ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા. અને સમયસુચકતા વાપરી ફાયર વિભાગે બે બોટ પાણીમાં ઉતારી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધાર્યું હતું.