ઉત્તરપ્રદેશ ધર્માંતરણ મામલાની તપાસ વડોદરા બાદ હવે કચ્છ પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચી
આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં વિદેશથી કરોડોનુ ફંડીંગ કરાવતું
મસ્જિદો બનાવવા માટે સલાઉદ્દીન આફમી ટ્રસ્ટ મારફતે રૂપિયા પુરા પાડતા
SIT ની તપાસમાં હવાલાકાંડમાં દુબઇ કનેકશન હોવાનુ બહાર આવ્યું હતુ
આ વાતને પોલીસના ઉચ્ચ અધિકારીએ સમર્થન આપ્ચું હતું
[caption id="attachment_1388107" align="aligncenter" width="640"] Salahuddin led AFMI charitable trust[/caption]
WatchGujarat. દેશભરમાં ચકચાર મચાવનાર ઉત્તરપ્રદેશ ધર્માંતરણ મામલામાં વડોદરાની પોલીસની SIT ટીમની તપાસ મોટો ઘટસ્ફોટ થયો છે. હવાલાકાંડની તપાસનો રેલો વડોદરા બાદ હવે ભારત-પાકિસ્તાન બાર્ડર નજીક પહોંચ્યો છે. જ્યાં કચ્છના પાકિસ્તાન બોર્ડર નજીકની 6 જેટલી મસ્જિદો બનાવવા સલાઉદ્દીન દ્વારા નાણા પુરા પાડવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે. SIT દ્વારા તમામ મસ્જિદોમાં જઇને તપાસનો દોર લંબાવાયો છે. અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશ અને દ્વારા વડોદરાના આફમી ટ્રસ્ટ ના સલાઉદ્દીન દ્વારા ધર્માંતરણ, દેશવિરોધી પ્રવૃત્તિઓમાં નાણાં પુરા પાડવા તથા મસ્જિદોના નિર્માણમાં વિદેશથી લાવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પગેરૂ દબાવીને ગુજરાત એટીએસ સાથે મળીને વડોદરાથી સલાઉદ્દીનની ધરપકડ કરી હતી. હાલ સલાઉદ્દીન અને તેનો સારગીત ઉમર ગૌતમ ઉત્તર પ્રદેશ એટીએસની કસ્ટડીમાં છે.
દરમિયાન વડોદરા પોલીસે બાતમીના આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરીને મામલાની તલસ્પર્શિ તપાસ શરૂ કરી હતી. તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા રચના કરવામાં આવેલી એસઆઈટી દ્વારા ભારત પાકિસ્તાનની સંવેદનશીલ બોર્ડર નજીક આવેલી 6 જેટલી મસ્જિદોને ફંડ કરવામાં આવ્યું હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટ દ્વારા દુબઇ સહિત અલગ અલગ દેશોમાંથી ફંડ લાવીને મસ્જિદ બનાવવા, દેશ વિરોધી પ્રવૃત્તિઓ પોષવા સહિતની કામગીરી કરવામાં આવતી હતી. કચ્છમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જે મસ્જિદોના નામ સામે આવ્યા છે તેમાં મોટા દીનારાની મોહમ્મદી મસ્જિદ, ખાવડામાં આવેલી મસ્જિદ-એ-સલીમ અક્લી, મસ્જિદ-એ-બિલાલ, મસ્જિદ-એ-અમીન, ઝક્કરિયા વાસમાં આવેલી મસ્જિદ-એ-આઈશા અને નખત્રાણા ગામમાં આવેલી મસ્જિદ-એ-આક્શાનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આફમી ટ્રસ્ટ સાથે સંકળાયેલી મુસ્લિમ મેડીકલ સેન્ટરના સુપરવાઇઝર દ્વારા વિદેશી ફંડનો દુરઉપયોગ કરવા મામલે પુરાવાનો નાશ કરવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જેલમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાનની બોર્ડર વિશ્વની સૌથી વધુ સંદેવનશીલ જગ્યાઓમાં સમાવેશ થાય છે. આગામી સમયમાં આ મામલે વધુ સનસનીખેજ ખુલાસા થઇ શકે તેમ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી માહિતીને આધારે મસમોટુ કૌભાંડ બહાર આવી ચુક્યું છે.
ઉત્તરપ્રદેશ ધર્માંતરણ મામલાની તપાસ વડોદરા બાદ હવે કચ્છ પાકિસ્તાન બોર્ડર નજીક પહોંચી
મસ્જિદો બનાવવા માટે સલાઉદ્દીન આફમી ટ્રસ્ટ મારફતે રૂપિયા પુરા પાડતા
SIT ની તપાસમાં હવાલાકાંડમાં દુબઇ કનેકશન હોવાનુ બહાર આવ્યું હતુ
આ વાતને પોલીસના ઉચ્ચ અધિકારીએ સમર્થન આપ્ચું હતું
[caption id="attachment_1388107" align="aligncenter" width="640"] Salahuddin led AFMI charitable trust[/caption]
WatchGujarat. દેશભરમાં ચકચાર મચાવનાર ઉત્તરપ્રદેશ ધર્માંતરણ મામલામાં વડોદરાની પોલીસની SIT ટીમની તપાસ મોટો ઘટસ્ફોટ થયો છે. હવાલાકાંડની તપાસનો રેલો વડોદરા બાદ હવે ભારત-પાકિસ્તાન બાર્ડર નજીક પહોંચ્યો છે. જ્યાં કચ્છના પાકિસ્તાન બોર્ડર નજીકની 6 જેટલી મસ્જિદો બનાવવા સલાઉદ્દીન દ્વારા નાણા પુરા પાડવામાં આવ્યાં હોવાની વિગતો સામે આવી છે. SIT દ્વારા તમામ મસ્જિદોમાં જઇને તપાસનો દોર લંબાવાયો છે. અને તમામની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશ અને દ્વારા વડોદરાના આફમી ટ્રસ્ટ ના સલાઉદ્દીન દ્વારા ધર્માંતરણ, દેશવિરોધી પ્રવૃત્તિઓમાં નાણાં પુરા પાડવા તથા મસ્જિદોના નિર્માણમાં વિદેશથી લાવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પગેરૂ દબાવીને ગુજરાત એટીએસ સાથે મળીને વડોદરાથી સલાઉદ્દીનની ધરપકડ કરી હતી. હાલ સલાઉદ્દીન અને તેનો સારગીત ઉમર ગૌતમ ઉત્તર પ્રદેશ એટીએસની કસ્ટડીમાં છે.
દરમિયાન વડોદરા પોલીસે બાતમીના આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરીને મામલાની તલસ્પર્શિ તપાસ શરૂ કરી હતી. તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા રચના કરવામાં આવેલી એસઆઈટી દ્વારા ભારત પાકિસ્તાનની સંવેદનશીલ બોર્ડર નજીક આવેલી 6 જેટલી મસ્જિદોને ફંડ કરવામાં આવ્યું હોવાની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટ દ્વારા દુબઇ સહિત અલગ અલગ દેશોમાંથી ફંડ લાવીને મસ્જિદ બનાવવા, દેશ વિરોધી પ્રવૃત્તિઓ પોષવા સહિતની કામગીરી કરવામાં આવતી હતી. કચ્છમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જે મસ્જિદોના નામ સામે આવ્યા છે તેમાં મોટા દીનારાની મોહમ્મદી મસ્જિદ, ખાવડામાં આવેલી મસ્જિદ-એ-સલીમ અક્લી, મસ્જિદ-એ-બિલાલ, મસ્જિદ-એ-અમીન, ઝક્કરિયા વાસમાં આવેલી મસ્જિદ-એ-આઈશા અને નખત્રાણા ગામમાં આવેલી મસ્જિદ-એ-આક્શાનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, આફમી ટ્રસ્ટ સાથે સંકળાયેલી મુસ્લિમ મેડીકલ સેન્ટરના સુપરવાઇઝર દ્વારા વિદેશી ફંડનો દુરઉપયોગ કરવા મામલે પુરાવાનો નાશ કરવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે જેલમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પાકિસ્તાનની બોર્ડર વિશ્વની સૌથી વધુ સંદેવનશીલ જગ્યાઓમાં સમાવેશ થાય છે. આગામી સમયમાં આ મામલે વધુ સનસનીખેજ ખુલાસા થઇ શકે તેમ છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવેલી માહિતીને આધારે મસમોટુ કૌભાંડ બહાર આવી ચુક્યું છે.