અનુજ ચૌહાણને માર મારવાની ઘટના બાદ હરિધામ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો
બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો
મહિલા સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતો વીડિયો રવિવારે વાયરલ થયો
બે ગાદી નહી થાય... બાપ એક હોય અને એક જ રહેશે, કોઇ બૈરીના બે ધણી ના હોય – સત્સંગી મહિલા
WatchGujarat. સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ ચૌહાણને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. રવિવારે વાયરલ થયેલા એક વીડિયોમાં મહિલા સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે. જે પરથી અંદાજો લગાવી શકાય છે કે હરિધામ સોખડામાં હવે મામલો કઈ હદે વણસ્યો છે.
https://youtu.be/KCgfu_IagPA
મંદિરના વહિવટદારો સામે મહિલા સત્સંગીઓના ગંભીર આક્ષેપો
વીડિયોમાં નજરે પડે છે કે મંદિરના ટ્રસ્ટી જયંત દવે એક ખુરશી પર બેઠા છે અને તેમની સામે 20 થી 25 મહિલા સત્સંગીઓ ભારે આક્રોશ સાથે મંદિરના વહિવટદારો સામે ગંભીર આક્ષેપો કરી રહી છે. એક મહિલા સત્સંગી આક્ષેપો કરી રહી છે કે 'ત્યાગસ્વામીને એવુ કહો કે તમારી બુધ્ધિ તમારી પાસે રાખો, ખાવાના બહાને અમને અંદર પુર્યા અને હવે અમને બહાર કાઢો છો ? તેમને કહો અહી આવે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે. રહી વાત ગુણાતિત (પ્રબોધ સ્વામી)ની તો તેમને ગાદી પર બેસાડો અમને કોઇ ફરક નથી પડતો પણ અમને આજે જ રસ્તો જોઇએ. બ્રહ્મવિહારીને બોલાવો, અશોકભાઇને બોલાવો....ફુવાને બોલાવો...ગુણાતિત લખીને આપે, આ બધુ ખાલી કરે, અમારે ગુણાતિત જોઇતો જ નથી, અમારે હરિધામમાં ગુણાતિત ના જોઇએ... રહેવુ હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે, ગુણાતિતના બધા ફોટા કાઢી નાખો...તમે અમને સમજો છો શું'?
આ દરમિયાન અન્ય બે ત્રણ મહિલાઓનો સંવાદ પણ સંભળાય છે જેમાં એક મહિલા કહે છે કે 'તમારે એમને બેસાડવો હોય તો બેસાડી દો પણ કોઇ હરિભક્તને નુકસાન થવુ ના જોઇએ, સુરત કશુ બોલ્યા નહી એટલે આવુ થયુ, ત્યા બંટીને ઉઠાવવાના હતા પણ ફાવ્યા નહી પછી ગુંજનભાઇને માર્યા ... ' તો બીજી મહિલા કહે છે કે મારા પતિને ધમકી આપે છે, મારા ઘરે 15 -15 જણ આવ્યા પણ હું પહોંચીવળી.... આ બધુ થવાનુ કારણ શું'
આ બધુ થવાનું કારણ ગુણાતિત જ છે....મારી નાખીશ ગુણાતિતને તો હું – સત્સંગી મહિલા
આ સમયે વીડિયોની શરૂઆતમાં જે મહિલા આક્ષેપો કરતી હતે તે બોલે છે કે આ બધુ થવાનું કારણ ગુણાતિત જ છે....બે ગાદી નહી થાય... મારી નાખીશ ગુણાતિતને તો હું... બાપ એક હોય અને એક જ રહેશે, કોઇ બૈરીના બે ધણી ના હોય ... અહી થતુ હશે અમારે ના હોય. ગુરૃપ્રસાદ, સર્વમંગલસ્વામી અને બ્રહ્મવિહારી આ બધા પ્રદેશમાંથી જશે...? ચાલો તેને હમણા જ કાઢો અમે જતા રહીશું. અશોકભાઇને કાઢશો..? પ્રદેશ ખાલી કરાવશો...? ખરાબ કામ કરતા હોય તો રોકવા જોઇએ.. એ લોકો એવુ કહે છે કે એક વિકેટ ગઇ હવે બીજી પડશે એવુ કહે છે. આવી તેમની ભાષા છે...આ રીતે સંસ્થા ના ચાલે...
આ મંદિર રાજકારણનો હબ થઈ ગયો છે... અમારી પાસે પાકુ પ્રુફ છે...
એક ટ્રસ્ટી પૈસા લઇને બેઠા છે તો એમને કશુ ના કહેવાય...બીજા એક સેવકે પૈસાનું ખોટુ કર્યુ તો ના કહેવાય...અને એવીડી (ઓડિયો વીડિયો ડિપાર્ટમેન્ટ) પર આખા 200 કરોડ રૃપિયા પેલા ટ્રેનવાળાને આપ્યા તો ના કહેવાય...એક સંતે છોકરો પેદા કર્યો તો ના કહેવાય, બીજો સંત જામનગરવાળીને લઇને ફરે છે તો ના કહેવાય...ત્રીજા સંતે 40 કરોડ રૃપિયા ભાવેશ નામના બિલ્ડરને આપ્યા તો ના કહેવાય... કોઇને ના કહેવાય પણ અમને કહેવાય.. આ કઇ જાતનો ન્યાય છે.. અમારી પાસે પાકુ પ્રુફ છે...(અન્ય મહિલાઓ બોલે છે કે અહી જેટલા ઉભા છે બધા પાસે પ્રુફ છે) અને મારો વર મરી જશે, આનો વર મરી જશે તેની જવાબદારી કોણ લેશે... આ મંદિર રાજકારણનો હબ થઇ ગયો છે... અમારા બાપ(હરિપ્રસાદ સ્વામી)નું ખોટુ થાય છે એટલે અમે તો બોલવાના.
2006માં હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામી ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા
મહિલા સત્સંગીઓનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં ગુણાતિતનું નામ વારંવાર આવે છે આ ગુણાતિત કોણ છે તે અંગે સોખડાના હરિભક્તો સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષ 2006 માં હરિપ્રસાદ સ્વામીએ પોતાને ભગવાન સ્વામિનારાયણના અવતાર તરીકે જાહેર કર્યા હતા અને પ્રબોધ સ્વામીને ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે.
અનુજ અને તેનો પરિવાર અજ્ઞાતવાસમાં ચાલ્યા જતાં પોલીસે ત્રીજી વખત તેમના ઘરમી બહાર નોટિસ લગાવી
સોખડા સ્થિત યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત સ્વામિનારાયણ મંદિર હરિધામમાં ચાર સંતો અને સોખડાના એક વ્યક્તિ મળીને પાંચ જણે માર મારીને ધમકી આપી હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અનુજ ચૌહાણ અને તેનો પરિવાર ભૂગર્ભમાં જતા રહ્યા છે. આ અગાઉ અનુજ અને તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમના જીવને જોખમ છે અને તેમના ઘરે જે લોકો સમાધાન માટે આવે છે એ લોકોને જોઇને હવે ઘરમાં રહેવુ સુરક્ષિત લાગતુ નથી એટલે અમે બીજા સ્થળે જઇ રહ્યા છીએ.
અનુજ ચૌહાણ નિવેદન નોંધાવા હાજર ન થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ
બીજી તરફ આ વિવાદ આગળ વધતા પોલીસ આ મામલે એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ અનુજ ચૌહાણ નિવેદન નોંધાવા માટે પોલીસ સ્ટેશને હાજર થતો નહી હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે. અગાઉ બે વખત અનુજના ઘર પર પોલીસ નેટિસ લગાવી ચુકી છે તેમ છતા અનુજ હાજર નહી થતાં પોલીસે આજે ત્રીજી નોટિસ અનુજના ઘરમાં લગાવી છે અને સૂચના આપી છે કે જો ૩ દિવસમાં અનુજ હાજર નહી થાય તો તેણે આપેલી અરજી બાબતે અનુજને કોઇ કાર્યવાહી કરવી નથી એમ સમજીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અનુજ ચૌહાણને માર મારવાની ઘટના બાદ હરિધામ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવ્યો
બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો
મહિલા સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતો વીડિયો રવિવારે વાયરલ થયો
બે ગાદી નહી થાય... બાપ એક હોય અને એક જ રહેશે, કોઇ બૈરીના બે ધણી ના હોય – સત્સંગી મહિલા
WatchGujarat. સોખડા હરિધામ મંદિરમાં હરિભક્ત અનુજ ચૌહાણને માર મારવાની ઘટના બાદ મંદિરના વહિવટમાં ચાલતો જૂથવાદ સામે આવી ગયો છે અને બે જૂથોએ સામ સામે મોરચો માંડી દેતા વિવાદ બીજી તરફ ફંટાયો છે. રવિવારે વાયરલ થયેલા એક વીડિયોમાં મહિલા સત્સંગી બહેનો મંદિરના ટ્રસ્ટી સામે આક્રોશ વ્યક્ત કરતી નજરે પડી રહી છે. જે પરથી અંદાજો લગાવી શકાય છે કે હરિધામ સોખડામાં હવે મામલો કઈ હદે વણસ્યો છે.
મંદિરના વહિવટદારો સામે મહિલા સત્સંગીઓના ગંભીર આક્ષેપો
વીડિયોમાં નજરે પડે છે કે મંદિરના ટ્રસ્ટી જયંત દવે એક ખુરશી પર બેઠા છે અને તેમની સામે 20 થી 25 મહિલા સત્સંગીઓ ભારે આક્રોશ સાથે મંદિરના વહિવટદારો સામે ગંભીર આક્ષેપો કરી રહી છે. એક મહિલા સત્સંગી આક્ષેપો કરી રહી છે કે 'ત્યાગસ્વામીને એવુ કહો કે તમારી બુધ્ધિ તમારી પાસે રાખો, ખાવાના બહાને અમને અંદર પુર્યા અને હવે અમને બહાર કાઢો છો ? તેમને કહો અહી આવે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે. રહી વાત ગુણાતિત (પ્રબોધ સ્વામી)ની તો તેમને ગાદી પર બેસાડો અમને કોઇ ફરક નથી પડતો પણ અમને આજે જ રસ્તો જોઇએ. બ્રહ્મવિહારીને બોલાવો, અશોકભાઇને બોલાવો....ફુવાને બોલાવો...ગુણાતિત લખીને આપે, આ બધુ ખાલી કરે, અમારે ગુણાતિત જોઇતો જ નથી, અમારે હરિધામમાં ગુણાતિત ના જોઇએ... રહેવુ હોય તો પ્રાદેશિક સંત તરીકે રહે, ગુણાતિતના બધા ફોટા કાઢી નાખો...તમે અમને સમજો છો શું'?
આ દરમિયાન અન્ય બે ત્રણ મહિલાઓનો સંવાદ પણ સંભળાય છે જેમાં એક મહિલા કહે છે કે 'તમારે એમને બેસાડવો હોય તો બેસાડી દો પણ કોઇ હરિભક્તને નુકસાન થવુ ના જોઇએ, સુરત કશુ બોલ્યા નહી એટલે આવુ થયુ, ત્યા બંટીને ઉઠાવવાના હતા પણ ફાવ્યા નહી પછી ગુંજનભાઇને માર્યા ... ' તો બીજી મહિલા કહે છે કે મારા પતિને ધમકી આપે છે, મારા ઘરે 15 -15 જણ આવ્યા પણ હું પહોંચીવળી.... આ બધુ થવાનુ કારણ શું'
આ બધુ થવાનું કારણ ગુણાતિત જ છે....મારી નાખીશ ગુણાતિતને તો હું – સત્સંગી મહિલા
આ સમયે વીડિયોની શરૂઆતમાં જે મહિલા આક્ષેપો કરતી હતે તે બોલે છે કે આ બધુ થવાનું કારણ ગુણાતિત જ છે....બે ગાદી નહી થાય... મારી નાખીશ ગુણાતિતને તો હું... બાપ એક હોય અને એક જ રહેશે, કોઇ બૈરીના બે ધણી ના હોય ... અહી થતુ હશે અમારે ના હોય. ગુરૃપ્રસાદ, સર્વમંગલસ્વામી અને બ્રહ્મવિહારી આ બધા પ્રદેશમાંથી જશે...? ચાલો તેને હમણા જ કાઢો અમે જતા રહીશું. અશોકભાઇને કાઢશો..? પ્રદેશ ખાલી કરાવશો...? ખરાબ કામ કરતા હોય તો રોકવા જોઇએ.. એ લોકો એવુ કહે છે કે એક વિકેટ ગઇ હવે બીજી પડશે એવુ કહે છે. આવી તેમની ભાષા છે...આ રીતે સંસ્થા ના ચાલે...
આ મંદિર રાજકારણનો હબ થઈ ગયો છે... અમારી પાસે પાકુ પ્રુફ છે...
એક ટ્રસ્ટી પૈસા લઇને બેઠા છે તો એમને કશુ ના કહેવાય...બીજા એક સેવકે પૈસાનું ખોટુ કર્યુ તો ના કહેવાય...અને એવીડી (ઓડિયો વીડિયો ડિપાર્ટમેન્ટ) પર આખા 200 કરોડ રૃપિયા પેલા ટ્રેનવાળાને આપ્યા તો ના કહેવાય...એક સંતે છોકરો પેદા કર્યો તો ના કહેવાય, બીજો સંત જામનગરવાળીને લઇને ફરે છે તો ના કહેવાય...ત્રીજા સંતે 40 કરોડ રૃપિયા ભાવેશ નામના બિલ્ડરને આપ્યા તો ના કહેવાય... કોઇને ના કહેવાય પણ અમને કહેવાય.. આ કઇ જાતનો ન્યાય છે.. અમારી પાસે પાકુ પ્રુફ છે...(અન્ય મહિલાઓ બોલે છે કે અહી જેટલા ઉભા છે બધા પાસે પ્રુફ છે) અને મારો વર મરી જશે, આનો વર મરી જશે તેની જવાબદારી કોણ લેશે... આ મંદિર રાજકારણનો હબ થઇ ગયો છે... અમારા બાપ(હરિપ્રસાદ સ્વામી)નું ખોટુ થાય છે એટલે અમે તો બોલવાના.
2006માં હરિપ્રસાદ સ્વામીએ પ્રબોધ સ્વામી ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા
મહિલા સત્સંગીઓનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં ગુણાતિતનું નામ વારંવાર આવે છે આ ગુણાતિત કોણ છે તે અંગે સોખડાના હરિભક્તો સાથે વાત કરતા જાણવા મળ્યું કે વર્ષ 2006 માં હરિપ્રસાદ સ્વામીએ પોતાને ભગવાન સ્વામિનારાયણના અવતાર તરીકે જાહેર કર્યા હતા અને પ્રબોધ સ્વામીને ગુણાતિત તરીકે જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ મંદિરની ગાદી માટે પ્રેમસ્વરૃપ સ્વામી અને પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ઉભો થયો છે.
અનુજ અને તેનો પરિવાર અજ્ઞાતવાસમાં ચાલ્યા જતાં પોલીસે ત્રીજી વખત તેમના ઘરમી બહાર નોટિસ લગાવી
સોખડા સ્થિત યોગી ડિવાઇન સોસાયટી સંચાલિત સ્વામિનારાયણ મંદિર હરિધામમાં ચાર સંતો અને સોખડાના એક વ્યક્તિ મળીને પાંચ જણે માર મારીને ધમકી આપી હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અનુજ ચૌહાણ અને તેનો પરિવાર ભૂગર્ભમાં જતા રહ્યા છે. આ અગાઉ અનુજ અને તેના પિતાએ આક્ષેપ કર્યો હતો કે તેમના જીવને જોખમ છે અને તેમના ઘરે જે લોકો સમાધાન માટે આવે છે એ લોકોને જોઇને હવે ઘરમાં રહેવુ સુરક્ષિત લાગતુ નથી એટલે અમે બીજા સ્થળે જઇ રહ્યા છીએ.
અનુજ ચૌહાણ નિવેદન નોંધાવા હાજર ન થતાં પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ
બીજી તરફ આ વિવાદ આગળ વધતા પોલીસ આ મામલે એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ અનુજ ચૌહાણ નિવેદન નોંધાવા માટે પોલીસ સ્ટેશને હાજર થતો નહી હોવાથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે. અગાઉ બે વખત અનુજના ઘર પર પોલીસ નેટિસ લગાવી ચુકી છે તેમ છતા અનુજ હાજર નહી થતાં પોલીસે આજે ત્રીજી નોટિસ અનુજના ઘરમાં લગાવી છે અને સૂચના આપી છે કે જો ૩ દિવસમાં અનુજ હાજર નહી થાય તો તેણે આપેલી અરજી બાબતે અનુજને કોઇ કાર્યવાહી કરવી નથી એમ સમજીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.