ગત તા. 19 સપ્ટેમ્બરે પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર થઇ ગયા હતા.
રાજુ ભટ્ટને તો ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢથી ઝડપી પાડ્યો પરંતુ હજી સુધી અશોક જૈન સુધી પહોંચી શકી નથી
પોલીસે કોર્ટમાં સોગંદનામુ રજુ અને અશોક જૈનના વકીલે દુષ્કર્મના દિવસે તેની હાજરી વડોદરામાં નહીં હોવાના પુરાવા કોર્ટમાં રજુ કર્યા
નિસર્ગ ફ્લેટના સીસીટીવી ફુટેજ અને રિયલ ટાઇમ વચ્ચે 2 દિવસ અને 18 કલાકનો ફરક – એ.સી.પી ક્રાઇમ ડી.એસ ચૌહાણ
8 ઓક્ટોબરના રોજ અશોક જૈનની આગોતરા જામીન અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવશે
WatchGujarat. વડોદરાના ચકચારી અને હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યાં છે. રાજુ ભટ્ટની ધરપકડ બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે કે દુષ્કર્મનો કેસ નોંધાયાના 18માં દિવસે પણ પોલીસ હજી સુધી અશોક જૈનને શોધવામાં સફળ રહીં નથી. ત્યારે અશોક જૈન દ્વારા આગોતરા જામીન મેળવવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે તેના જામીન નામંજુર થાય તે માટે ગત તા. 4 ઓકટોબરના રોજ પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતુ. જેની સામે અશોક જૈનના વકીલ દ્વારા તેની ગેરહાજરીના પુરાવા કોર્ટમાં રજુ કરાયા હતા. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, દુષ્કર્મના દિવસે અશોક જૈન વડોદરામાં હાજર હતો કે નહીં ?
આ મામલે એસ.આઇ.ટીના સભ્ય અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી ડી.એસ ચૌહાણે watchgujarat.com સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું હતુ કે, નિસર્ગ એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીના ફુટેજ પુરાવા રૂપે એકત્ર કરવામાં આવ્યાં છે. જેમાં અશોક જૈનની હાજરી સ્પષ્ટ જણાઇ આવે છે. જે તારીખના સીસીટીવી ફુટેજ લેવામાં આવ્યાં છે અમે સોગંદનામામાં એજ તારીખ (2 અથવા 3 સપટેમ્બર) દર્શાવી છે. જોકે આ સીસીટીવી ફુટેજ રીકવર કરતા સમયે જાણવા મળ્યું કે, સીસીટીવી કેમેરાની ઘડીયળમાં 2 દિવસ અને 18 કલાકનો ફરક છે. જેથી તે સ્થળે પંચનામુ કરી જરૂરી ખાતરી કરવામાં આવી છે. તદઉપરાંત આ બાબતની કોર્ટમાં બંધ કવરમાં એક પુરચીસ પણ આપી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અશોક જૈનની હાજરી જ્યારે લખનઉ અને દિલ્હીમાં હતો, તે અમારી પાસે રેકોર્ડ ઉપર છે. તથા અશોક જૈનની હાજરી નિસર્ગ ફ્લેટમાં છે તેના પણ પુરાવા અમારી પાસે છે.
અહીં મહત્વની બાબત એ છે કે, અશોક જૈન ફરીયાદ નોંધાયાના 18માં દિવસે પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે તેના આગોતરા જામીન મંજુર ન થયા તે માટે પોલીસે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે. જેમાં દુષ્કર્મની તારીખ 2 અથવા 3 સપટેમ્બર દર્શાવવામાં આવી છે. જોકે આ સમયે અશોક જૈન લખનઉ અને દિલ્હીમાં હોવાના પુરાવા (એરટિકીટ, હોટલ બુકીંગની સ્લીપ) તેના વકીલ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવી છે. જ્યારે કે પોલીસનુ કહેવુ છે કે, તેમણે સોગંદનામાં દુષ્કર્મની જે તારીખ (2 અથવા 3 સપટેમ્બર) દરશાવી છે, એ તારીખ સીસીટીવી પ્રમાણેની છે. હવે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે તેના પર સૌ કોઇની નજર છે.
ગત તા. 19 સપ્ટેમ્બરે પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અશોક જૈન અને રાજુ ભટ્ટ ફરાર થઇ ગયા હતા.
રાજુ ભટ્ટને તો ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢથી ઝડપી પાડ્યો પરંતુ હજી સુધી અશોક જૈન સુધી પહોંચી શકી નથી
પોલીસે કોર્ટમાં સોગંદનામુ રજુ અને અશોક જૈનના વકીલે દુષ્કર્મના દિવસે તેની હાજરી વડોદરામાં નહીં હોવાના પુરાવા કોર્ટમાં રજુ કર્યા
નિસર્ગ ફ્લેટના સીસીટીવી ફુટેજ અને રિયલ ટાઇમ વચ્ચે 2 દિવસ અને 18 કલાકનો ફરક – એ.સી.પી ક્રાઇમ ડી.એસ ચૌહાણ
8 ઓક્ટોબરના રોજ અશોક જૈનની આગોતરા જામીન અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવશે
WatchGujarat. વડોદરાના ચકચારી અને હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં રોજે રોજ નવા વળાંકો આવી રહ્યાં છે. રાજુ ભટ્ટની ધરપકડ બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે કે દુષ્કર્મનો કેસ નોંધાયાના 18માં દિવસે પણ પોલીસ હજી સુધી અશોક જૈનને શોધવામાં સફળ રહીં નથી. ત્યારે અશોક જૈન દ્વારા આગોતરા જામીન મેળવવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે તેના જામીન નામંજુર થાય તે માટે ગત તા. 4 ઓકટોબરના રોજ પોલીસ દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજુ કરવામાં આવ્યું હતુ. જેની સામે અશોક જૈનના વકીલ દ્વારા તેની ગેરહાજરીના પુરાવા કોર્ટમાં રજુ કરાયા હતા. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, દુષ્કર્મના દિવસે અશોક જૈન વડોદરામાં હાજર હતો કે નહીં ?
આ મામલે એસ.આઇ.ટીના સભ્ય અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી ડી.એસ ચૌહાણે watchgujarat.com સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું હતુ કે, નિસર્ગ એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવીના ફુટેજ પુરાવા રૂપે એકત્ર કરવામાં આવ્યાં છે. જેમાં અશોક જૈનની હાજરી સ્પષ્ટ જણાઇ આવે છે. જે તારીખના સીસીટીવી ફુટેજ લેવામાં આવ્યાં છે અમે સોગંદનામામાં એજ તારીખ (2 અથવા 3 સપટેમ્બર) દર્શાવી છે. જોકે આ સીસીટીવી ફુટેજ રીકવર કરતા સમયે જાણવા મળ્યું કે, સીસીટીવી કેમેરાની ઘડીયળમાં 2 દિવસ અને 18 કલાકનો ફરક છે. જેથી તે સ્થળે પંચનામુ કરી જરૂરી ખાતરી કરવામાં આવી છે. તદઉપરાંત આ બાબતની કોર્ટમાં બંધ કવરમાં એક પુરચીસ પણ આપી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, અશોક જૈનની હાજરી જ્યારે લખનઉ અને દિલ્હીમાં હતો, તે અમારી પાસે રેકોર્ડ ઉપર છે. તથા અશોક જૈનની હાજરી નિસર્ગ ફ્લેટમાં છે તેના પણ પુરાવા અમારી પાસે છે.
અહીં મહત્વની બાબત એ છે કે, અશોક જૈન ફરીયાદ નોંધાયાના 18માં દિવસે પણ પોલીસ પકડથી દુર છે. ત્યારે તેના આગોતરા જામીન મંજુર ન થયા તે માટે પોલીસે કોર્ટમાં સોગંદનામુ કર્યું છે. જેમાં દુષ્કર્મની તારીખ 2 અથવા 3 સપટેમ્બર દર્શાવવામાં આવી છે. જોકે આ સમયે અશોક જૈન લખનઉ અને દિલ્હીમાં હોવાના પુરાવા (એરટિકીટ, હોટલ બુકીંગની સ્લીપ) તેના વકીલ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવી છે. જ્યારે કે પોલીસનુ કહેવુ છે કે, તેમણે સોગંદનામાં દુષ્કર્મની જે તારીખ (2 અથવા 3 સપટેમ્બર) દરશાવી છે, એ તારીખ સીસીટીવી પ્રમાણેની છે. હવે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે તેના પર સૌ કોઇની નજર છે.