પ્રેમસંબંધના મુદ્દે ઝગડો થયા બાદ મામા સસરાને કટર વડે ઘા ઝીંકી દીધા હોતા
બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો
પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરામાં પ્રેમસંબંધમાં ઝગડો થતા રોકવા જતા હિંસક હુમલાની ઘટના સામે આવી હતી. પિતાના પ્રેમસંબંધના આડે પુત્રએ યુવતીના મામા સસરાને ઉપર છાપરી કટરના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે પિતા અને પુત્રની ધરપકડ થઇ હતી અને બંને વિરુદ્ધ ગુના દાખલ થયા હતા.
વડોદરા નેશનલ હાઇવે નં.8 પાસે આવેલ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીના રહેવાસી 32 વર્ષીય રાજુભાઈ કાલિદાસ રાજપુતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના ભાણેજ જયેશ પટેલ સાથે રહે છે. જયેશ પરિણીત હતો. તેની પત્નીની મોટી બહેનનો રાકેશ કાંતિલાલ ખારવા (રહે-તાંબે વકીલનો ખાંચો વળી રંગમહેલ) સાથે પ્રેમસંબંધ હતો. જેમાં બંને વચ્ચે અંદરો-અંદર ઝગડો ચાલી રહ્યો હતો. આ ઝગડામાં રાકેશે જયેશની પત્નીને વારંવાર ફોન કરી છેલ્લા ત્રણ દિવસથી હેરાન પરેશાન કરતો હતો.
ગત રોજ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું. રાજુભાઈ વિસ્તાર માંથી પાણી કઢાવતા પહોંચ્યો હતો. દરમિયાન સવારના નવ વાગ્યાની આસપાસ રાકેશ અને તેનો દીકરો જયદીપ ખારવા અમારા ઘરે આવ્યા હતા. અને જયેશની પત્ની સાથે ઝગડો કરવાનું શરુ કર્યું હતું. આ વાતની જાણ થતા રાજુભાઈ ઘરે પહોંચી ગયા હતા. પરંતુ આ વચ્ચે પિતા અને પુત્રએ મળી જયેશની પત્ની સાથે ઝપાઝપી શરુ કરી દીધી હતી. જેથી નજીકના રહીશો પણ ભેગા થઇ ગયા હતા.
આ ઝપાઝપી દરમિયાન રાજુભાઈ જયેશની પત્નીને છોડવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા જયદીપે એની પાસે રહેલું કટર કાઢતા રાજુભાઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. દરમિયાન જયદીપે તેને પીઠના ભાગે કટરના ઉપર છાપરી ઘા મારી દીધા હતા. જેથી રાજુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે જયદીપ ખારવા અને તેના રાકેશ ખારવાની ધરપકડ કરી ગુના દાખલ કાર્ય હતા. અને સાથેજ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.
- પ્રેમસંબંધના મુદ્દે ઝગડો થયા બાદ મામા સસરાને કટર વડે ઘા ઝીંકી દીધા હોતા
- બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો
- પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરામાં પ્રેમસંબંધમાં ઝગડો થતા રોકવા જતા હિંસક હુમલાની ઘટના સામે આવી હતી. પિતાના પ્રેમસંબંધના આડે પુત્રએ યુવતીના મામા સસરાને ઉપર છાપરી કટરના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે પિતા અને પુત્રની ધરપકડ થઇ હતી અને બંને વિરુદ્ધ ગુના દાખલ થયા હતા.
વડોદરા નેશનલ હાઇવે નં.8 પાસે આવેલ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીના રહેવાસી 32 વર્ષીય રાજુભાઈ કાલિદાસ રાજપુતે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના ભાણેજ જયેશ પટેલ સાથે રહે છે. જયેશ પરિણીત હતો. તેની પત્નીની મોટી બહેનનો રાકેશ કાંતિલાલ ખારવા (રહે-તાંબે વકીલનો ખાંચો વળી રંગમહેલ) સાથે પ્રેમસંબંધ હતો. જેમાં બંને વચ્ચે અંદરો-અંદર ઝગડો ચાલી રહ્યો હતો. આ ઝગડામાં રાકેશે જયેશની પત્નીને વારંવાર ફોન કરી છેલ્લા ત્રણ દિવસથી હેરાન પરેશાન કરતો હતો.
ગત રોજ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ ગયું હતું. રાજુભાઈ વિસ્તાર માંથી પાણી કઢાવતા પહોંચ્યો હતો. દરમિયાન સવારના નવ વાગ્યાની આસપાસ રાકેશ અને તેનો દીકરો જયદીપ ખારવા અમારા ઘરે આવ્યા હતા. અને જયેશની પત્ની સાથે ઝગડો કરવાનું શરુ કર્યું હતું. આ વાતની જાણ થતા રાજુભાઈ ઘરે પહોંચી ગયા હતા. પરંતુ આ વચ્ચે પિતા અને પુત્રએ મળી જયેશની પત્ની સાથે ઝપાઝપી શરુ કરી દીધી હતી. જેથી નજીકના રહીશો પણ ભેગા થઇ ગયા હતા.
આ ઝપાઝપી દરમિયાન રાજુભાઈ જયેશની પત્નીને છોડવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ ઉશ્કેરાયેલા જયદીપે એની પાસે રહેલું કટર કાઢતા રાજુભાઈ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. દરમિયાન જયદીપે તેને પીઠના ભાગે કટરના ઉપર છાપરી ઘા મારી દીધા હતા. જેથી રાજુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાપોદ પોલીસ મથકે હત્યાના પ્રયાસ જેવી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે જયદીપ ખારવા અને તેના રાકેશ ખારવાની ધરપકડ કરી ગુના દાખલ કાર્ય હતા. અને સાથેજ આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી હતી.