કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મુક્યુ હતુ
રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા
પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિલીપની મોટરસાઈકલ મળી આવી હતી
WatchGujarat.3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળી આવ્યા છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું.
યુવકની તાજેતરમાં જ સગાઇ થઇ હતી
વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પ્રવિણભાઇ રાઠવા (ઉ.35) ( રહે. કંજરી પાણીયા કોતર ફળીયુ તા.હાલોલ જિ.પંચમહાલ) એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરીવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ (ઉ.19) જે કુવારો હતો. તેના હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપનું મન અન્ય યુવતી માટે ધડકતુ હતું.
મોટાભાઇ લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા
ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમા કોઈને પણ જાણ કર્યાં વગર બાઇક પર પોતાની પ્રેમીકા ઊર્મિલા (ઉ.18)ને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મુક્યુ હતુ. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિલીપની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.
કેનાલમાંથી બંનેના મૃતદેહ મળ્યા
આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસીગભાઇએ જણાવ્યું હતું કે, રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા શોધખોળ કરી હતી અને હવે બંનેના મૃતદેહ મળ્યા છે.
કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મુક્યુ હતુ
રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા
પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિલીપની મોટરસાઈકલ મળી આવી હતી
WatchGujarat.3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળી આવ્યા છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું.
યુવકની તાજેતરમાં જ સગાઇ થઇ હતી
વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પ્રવિણભાઇ રાઠવા (ઉ.35) ( રહે. કંજરી પાણીયા કોતર ફળીયુ તા.હાલોલ જિ.પંચમહાલ) એ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમા ઝંપલાવ્યાની હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરીવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ (ઉ.19) જે કુવારો હતો. તેના હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપનું મન અન્ય યુવતી માટે ધડકતુ હતું.
મોટાભાઇ લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા હતા
ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતા. તો બીજી તરફ દિલીપે ઘરમા કોઈને પણ જાણ કર્યાં વગર બાઇક પર પોતાની પ્રેમીકા ઊર્મિલા (ઉ.18)ને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ મુક્યુ હતુ. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિલીપની મોટરસાઈકલ મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી છે.
કેનાલમાંથી બંનેના મૃતદેહ મળ્યા
આ અંગે જરોદ આઉટ પોસ્ટના હે.કો. રાયસીગભાઇએ જણાવ્યું હતું કે, રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પંચમહાલ જિલ્લાના કંજરી ગામના દિલીપ રાઠવાએ ઉર્મિલા નામની એક યુવતી સાથે ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા શોધખોળ કરી હતી અને હવે બંનેના મૃતદેહ મળ્યા છે.