WatchGujarat. આજરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે કડક ટકોર કરતા કહ્યું કે, “કેયુર તમે મીટિંગો બંધ કરો, મેયર બનાવ્યો ત્યારે લાગતુ હતુ કે, કેયુર યુવાન છે, એટલે ઝડપમાં (કામ) કરશે પણ આટલું ધીમુ તો નહીં ચાલે….. બીજી વાત અમે પ્રચારમાં અહીંયા આઠ દસ દિવસ હોવ તો વડોદરાવાળાના ફોન આવે કે, હવે ગાયો દેખાતી નથી…. એવુ વાતાવરણ બનાવજો… પરિણામ દેખાડજો”. આ વાતને શ્રોતાએઓ તાળીઓથી વધાવી લીધી હતી. આ મામલે મેયર કેયુર રોકડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યમાં સૌથી વધુ ગાયો પકડવાનું કામ વડોદરામાં થયું છે. અને આગામી સમયમાં પણ કામ ચાલું રહેશે.
https://youtu.be/rNRKKDzloBE
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કડક ટકોર કરતા કહ્યું હતું કે, “કેયુર તમે મીટિંગો બંધ કરો, મેયર બનાવ્યો ત્યારે લાગતુ હતુ કે, કેયુર યુવાન છે, એટલે ઝડપમાં (કામ) કરશે પણ આટલું ધીમુ તો નહીં ચાલે….. બીજી વાત અમે પ્રચારમાં અહીંયા આઠ દસ દિવસ હોવ તો વડોદરાવાળાના ફોન આવે કે, હવે ગાયો દેખાતી નથી…. એવુ વાતાવરણ બનાવજો… પરિણામ દેખાડજો”. આ વાત સાંભળીને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી હતી.
જો કે, આ મામલે કાર્યક્રમ બાદ મેયર કેયુર રોકડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ ગાયો પકડવાનું કામ વડોદરામાં થયું છે. 15 દિવસમાં 600 થી વધુ ગાયો પકડી છે. જેમાં 500 થી વધુ ગાયોને પાંજરાપોળમાં મોકલવામાં આવી છે. જ્યાં ગાયો દેખાશે ત્યાં કામગીરી આ જ તિવ્રતાથી ચાલુ રહેશે. ભિક્ષુકના મામલે પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે વાત ચાલું છે. આગામી સમયમાં રણનિતી ઘડીને કામ કરવામાં આવશે.
WatchGujarat. આજરોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન તેમણે કડક ટકોર કરતા કહ્યું કે, “કેયુર તમે મીટિંગો બંધ કરો, મેયર બનાવ્યો ત્યારે લાગતુ હતુ કે, કેયુર યુવાન છે, એટલે ઝડપમાં (કામ) કરશે પણ આટલું ધીમુ તો નહીં ચાલે….. બીજી વાત અમે પ્રચારમાં અહીંયા આઠ દસ દિવસ હોવ તો વડોદરાવાળાના ફોન આવે કે, હવે ગાયો દેખાતી નથી…. એવુ વાતાવરણ બનાવજો… પરિણામ દેખાડજો”. આ વાતને શ્રોતાએઓ તાળીઓથી વધાવી લીધી હતી. આ મામલે મેયર કેયુર રોકડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્યમાં સૌથી વધુ ગાયો પકડવાનું કામ વડોદરામાં થયું છે. અને આગામી સમયમાં પણ કામ ચાલું રહેશે.
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5 નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમમાં સી. આર. પાટીલે કડક ટકોર કરતા કહ્યું હતું કે, “કેયુર તમે મીટિંગો બંધ કરો, મેયર બનાવ્યો ત્યારે લાગતુ હતુ કે, કેયુર યુવાન છે, એટલે ઝડપમાં (કામ) કરશે પણ આટલું ધીમુ તો નહીં ચાલે….. બીજી વાત અમે પ્રચારમાં અહીંયા આઠ દસ દિવસ હોવ તો વડોદરાવાળાના ફોન આવે કે, હવે ગાયો દેખાતી નથી…. એવુ વાતાવરણ બનાવજો… પરિણામ દેખાડજો”. આ વાત સાંભળીને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધી હતી.
જો કે, આ મામલે કાર્યક્રમ બાદ મેયર કેયુર રોકડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં વડોદરામાં સૌથી વધુ ગાયો પકડવાનું કામ વડોદરામાં થયું છે. 15 દિવસમાં 600 થી વધુ ગાયો પકડી છે. જેમાં 500 થી વધુ ગાયોને પાંજરાપોળમાં મોકલવામાં આવી છે. જ્યાં ગાયો દેખાશે ત્યાં કામગીરી આ જ તિવ્રતાથી ચાલુ રહેશે. ભિક્ષુકના મામલે પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર સાથે વાત ચાલું છે. આગામી સમયમાં રણનિતી ઘડીને કામ કરવામાં આવશે.