કીર્તિમંદિર ખાતે ત્રિ દિવસીય ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું
શહેરના 11 ફોટો જર્નાલિસ્ટના 66 ફોટો આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે
શહેરીજનોને ફોટેગ્રાફીના નવીન આયામો જોવાનો મોકો મળે તે હેતુસર આ એક્ઝિબિશનનું આયોજન કરાયુ
ઉદ્દઘાટન સમારોહમાં શ્રીમંત મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં
WatchGujarat. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિમંદિર ખાતે ત્રિદિવસીય ક્લિક 8 ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક્ઝિબિશનમાં શહેરના 11 ફોટો જર્નાલિસ્ટના 66 ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફોટોગ્રાફર્સે પોતાના આગવા વિઝન સાથે નેચર, સ્પોર્ટ્સ, તહેવારોની ઉજવણી, સારા–નરસા પ્રસંગો સહિત અન્ય અદ્ભૂત રોમાંચક ક્ષણો કેમેરાની આંખે કેદ કર્યા છે. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે શહેરીજનોને ફોટોગ્રાફીના નવીન આયામો જોવાનો મોકો મળે તે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ એક્ઝિબિશનના ઉદ્દઘાટન સમારોહમાં શ્રીમંત મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ અને નર્મદા અર્બન હાઉસીંગના મિનિસ્ટર ઓફ સ્ટેટ યોગેશ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે 100 વધુ લોકો આ એક્ઝિબિશન જોવા માટે આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન પણ આ એક્ઝિબિશન જોવા આવ્યા હતા.
[caption id="attachment_1383094" align="aligncenter" width="640"] ફોટો જર્નાલિસ્ટ વલ્લભ શાહ[/caption]
આ પ્રસંગે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને સંદેશ ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ વલ્લભ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં તમામ ફોટોગ્રાફરની એક બીજા સાથે સ્પર્ધા હોય છે. પરંતુ આજનો દિવસ એવો હોય છે કે અમે બધા એક સાથે આવીએ છે, અમારી યુનિટી બને છે. આ એક્ઝિબિશન થકી દરેક ફોટોગ્રાફરનું વ્યક્તિત્વ, તેનું વિઝન જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે. વલ્લભ શાહે આ એક્ઝિબિશનમાં વિવિધ મુદ્દા પર આધારિત તસવીરો રજૂ કરી હતી. જેમાં સ્ટેસ્યુ ઓફ યુનિટિ, કોરોનાના સમયમાં લોકો કઈ રીતે ગુજરાન ચલાવે સાથે પરપ્રાંતિયોનું સ્થળાંતર દર્શાવતી તસવીરો પ્રદર્શીત કરી હતી. તેમણે વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેક્નોલોજીનો ઘણો વિકાસ થયો છે. સ્માર્ટફોન આવતા હવે લોકો જાતે ફોટોગ્રાફી કરે છે. આવા સમયમાં એક ફોટો જર્નાલિસ્ટ તરીકે તમારે પોતાનું વિઝન કેળવવુ ખૂબજ જરૂરી બની જાય છે.
[caption id="attachment_1383095" align="aligncenter" width="640"] રણજીત સુર્વે- ગુજરાત મિત્ર[/caption]
ફોટો જર્નાલિસ્ટ રણજીત સુર્વે ગુજરાત મિત્ર ન્યુઝપેપરમાં કાર્ય કરે છે. તેઓ આ ક્ષેત્ર સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છે. આ એક્ઝિબિશનમાં તેમણે કોરોનાના સમયમાં લીધેલી કેટલીક અદ્ભૂત તસવીરો પ્રદર્શન માટે મુકી હતી. જેમાં તેમણે કોરોના કાળની કેટલીક ભયાનક ક્ષણો પોતાના કેમેરામાં કેદ કરી છે. એક ફોટો જર્નાલિસ્ટ તરીકેનો પોતાનો અનુભવ જણાવતાં રણજીત સુર્વે જણાવે છે કે, ફોટોગ્રાફર માટે દરેક દિવસ નવો હોય છે. તેની પાસે તક હોય છે કે, પોતાની ક્રિએટીવિટી થકી લોકો સામે વાસ્તવિક્તા લાવી શકે. ફોટોગ્રાફરને પોતાની કળા બતાવવાનો મોકો મળવો જોઈએ. આ મોકો અમને આ એક્ઝિબિશનમાં મળ્યો છે. આ દીવસે અમને ઉજવણી કરવા મળે છે. સાથે અમે અમારી ક્રિએટીવીટી બતાવી શકીએ છે.
[caption id="attachment_1383096" align="aligncenter" width="640"] જીગ્નેશ જોશી- સંદેશ[/caption]
છેલ્લા 20 વર્ષથી ફિલ્ડમાં કાર્યરત અને સંદેશ ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ જીગ્નેશ જોશીએ પોતાની પ્રદર્શન માટે મુકેલી તસવીરો વિશે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલાં એક એક્ઝિબિશનની એક તસવીર છે, જેમાં શહેરના પ્રસિદ્ધ આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટ અને તેમના સ્વર્ગીય પત્ની જ્યોત્સના ભટ્ટ બાયો સ્કોપમાં ચલચિત્રો જોઈ રહ્યાં છે. જેના માધ્યમથી મેં છેલ્લા સો વર્ષોમાં ફોટોગ્રાફી ક્ષેત્રે આવેલું પરિવર્તન દર્શાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ફોટોગ્રાફર માટે દરેક દિવસ નવો હોય છે. તેના જીવનમાં સૌથી મોટી મુશ્કેલી હોય છે કે કોઈ પણ ક્ષણ ચૂકી ન જાય. જો ફોટોગ્રાફર કોઈ ક્ષણ અથવા ઘટના ચુકી જાય તો તેના કારણે તેને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેથી એક ફોટો જર્નાલિસ્ટે હંમેશા સતર્ક રહેવું જોઈએ.
[caption id="attachment_1383097" align="aligncenter" width="640"] પ્રણય શાહ- દિવ્યભાસ્કર[/caption]
આ એક્ઝિબિશનમાં દિવ્યભાસ્કર ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ પ્રણય શાહની તસવીરો પ્રદર્શન માટે મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તેમના આ ફોટોગ્રાફ્સ નેચર અને લાઈટ થીમ પર આધારિત હતા. આ વિશે જણાવતાં તેઓ કહે છે, કોરોનાકાળ દરમિયાન પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી હતી. આ સમયે લીધેલી કેટલીક તસવીર આ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં વિશ્વામિત્રી નદીની જ્યાંથી શરૂઆત થાય છે તેની સુંદરતા દર્શાવવામાં આવી છે. આ સાથે વડોદરા શહેરમાં થયેલા બ્યુટિફિકેશનની પણ તસવીરો અહિંયા છે.
પોતાની કારકિર્દી વિશે વાત કરતાં પ્રણય શાહે જણાવ્યું હતું કે, જ્યાં નિહાળો ત્યાં તમારી આસપાસ ન્યુઝ હોય છે. એક ફોટોગ્રાફર તરીકે તમે એ ક્ષણને કઈ રીતે રજૂ કરો છે એ મહત્વનું છે. દરેક ક્ષણના નેગેટિવ અને પોઝીટીવ પાસા હોય છે. એક ફોટો જર્નાલિસ્ટ તરીકે ચૂનૌતી વગરત કામ થાય નહીં. મહત્વનું છે કે તમે એ મુશ્કેલીને પાર કરીને પણ પોતાનું કામ સારી રીતે કરી શકો. આ કાર્યક્રમ થકી અમને અમારી ક્રિએટીવીટી મોટા પ્લેટફોર્મ પર દર્શાવવાનો મોકો મળે છે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ કારકિર્દી સાથે જોડાયેલા છે.
[caption id="attachment_1383098" align="aligncenter" width="640"] ભરત પારેખ- ગુજરાત મિત્ર[/caption]
છેલ્લા 32 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતાં ભરત પારેખ દ્વારા આ એક્ઝિબિશનમાં તહેવારની ઉજવણીના ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મુકવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પ્રદર્શનમાં તેમણી ઈકોફ્રેન્ડલી ગણપતિ વિસર્જન, યોગ દિવસની ઉજવણી, પતંગ ઉત્સવ, કોરોના સમયમાં પોલીસની કામગીરી જેવી તસવીરોને સમાવેશ થાય છે.
[caption id="attachment_1383099" align="aligncenter" width="640"] કમલેશ સુર્વે- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા[/caption]
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કામ કરતાં ફોટો જર્નાલિસ્ટ કમલેશ સુર્વે વર્લ્ડ ફોટોગ્રાફિ દિવસ વિશે વાત કરતાં જણાવે છે કે, આ દિવસની અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છે. આ અમારા માટે એક તહેવાર જેવું છે. જેની ઉજવણી અમે આ એક્ઝિબિશન દ્વારા કરીએ છે. તમને જણાવી દઈએ કે કમલેશ સુર્વે છેલ્લા 20 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે. આ પ્રદર્શનમાં તેમની ફોટોગ્રાફીની થીમ લોકડાઉન પર આધારીત છે. જેમાં લોકોની વિવસતા, બાળકની ખુશી, કોઈની જોવાતી રાહ, વગેરે જેવી તસવીરોનો સમાવેશ થાય છે.
[caption id="attachment_1383100" align="aligncenter" width="640"] કેયુર ભાટીયા - લોકસત્તા જનસત્તા[/caption]
આ ઉપરાંત કિર્તી પંડ્યા, અશ્વિન રાજપુત, ભૂપેન્દ્ર રાણા, કેયુર ભાટિયા, ચંદન ગિરિ જેવા સિનિયર ફોટો જર્નાલિસ્ટના ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શન માટે મુકવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે શહેરમાં ફોટો એક્શિબિશન ઉપરાંત રેલીનું પણ આયોદન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી માત્ર એક્શિબિશનનું જ આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સમગ્રવિશ્વમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનું કારણ છે કે વર્ષ 1839માં 9 જાન્યુઆરીના રોજ ફ્રાન્સના લ્યુઈસ ડોગરે અને જોસેફ નિસ્ફોરે નિસ્પી દ્વારા વિશ્વમાં પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રાન્સ સરકારે 19 ઓગસ્ટના દિવસે આ અદ્ભૂત શોધ સમગ્ર વિશ્વને ભેટ સ્વરૂપે આપી હતી. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
કીર્તિમંદિર ખાતે ત્રિ દિવસીય ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું
શહેરના 11 ફોટો જર્નાલિસ્ટના 66 ફોટો આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે
શહેરીજનોને ફોટેગ્રાફીના નવીન આયામો જોવાનો મોકો મળે તે હેતુસર આ એક્ઝિબિશનનું આયોજન કરાયુ
WatchGujarat. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા કીર્તિમંદિર ખાતે ત્રિદિવસીય ક્લિક 8 ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ એક્ઝિબિશનમાં શહેરના 11 ફોટો જર્નાલિસ્ટના 66 ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફોટોગ્રાફર્સે પોતાના આગવા વિઝન સાથે નેચર, સ્પોર્ટ્સ, તહેવારોની ઉજવણી, સારા–નરસા પ્રસંગો સહિત અન્ય અદ્ભૂત રોમાંચક ક્ષણો કેમેરાની આંખે કેદ કર્યા છે. આ એક્ઝિબિશનનો મુખ્ય હેતુ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે શહેરીજનોને ફોટોગ્રાફીના નવીન આયામો જોવાનો મોકો મળે તે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ એક્ઝિબિશનના ઉદ્દઘાટન સમારોહમાં શ્રીમંત મહારાજા સમરજીત સિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ સભ્ય રંજનબેન ભટ્ટ અને નર્મદા અર્બન હાઉસીંગના મિનિસ્ટર ઓફ સ્ટેટ યોગેશ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે 100 વધુ લોકો આ એક્ઝિબિશન જોવા માટે આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝન પણ આ એક્ઝિબિશન જોવા આવ્યા હતા.
આ પ્રસંગે ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને સંદેશ ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ વલ્લભ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં તમામ ફોટોગ્રાફરની એક બીજા સાથે સ્પર્ધા હોય છે. પરંતુ આજનો દિવસ એવો હોય છે કે અમે બધા એક સાથે આવીએ છે, અમારી યુનિટી બને છે. આ એક્ઝિબિશન થકી દરેક ફોટોગ્રાફરનું વ્યક્તિત્વ, તેનું વિઝન જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 40 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે. વલ્લભ શાહે આ એક્ઝિબિશનમાં વિવિધ મુદ્દા પર આધારિત તસવીરો રજૂ કરી હતી. જેમાં સ્ટેસ્યુ ઓફ યુનિટિ, કોરોનાના સમયમાં લોકો કઈ રીતે ગુજરાન ચલાવે સાથે પરપ્રાંતિયોનું સ્થળાંતર દર્શાવતી તસવીરો પ્રદર્શીત કરી હતી. તેમણે વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં ટેક્નોલોજીનો ઘણો વિકાસ થયો છે. સ્માર્ટફોન આવતા હવે લોકો જાતે ફોટોગ્રાફી કરે છે. આવા સમયમાં એક ફોટો જર્નાલિસ્ટ તરીકે તમારે પોતાનું વિઝન કેળવવુ ખૂબજ જરૂરી બની જાય છે.
[caption id="attachment_1383095" align="aligncenter" width="640"] રણજીત સુર્વે- ગુજરાત મિત્ર[/caption]
ફોટો જર્નાલિસ્ટ રણજીત સુર્વે ગુજરાત મિત્ર ન્યુઝપેપરમાં કાર્ય કરે છે. તેઓ આ ક્ષેત્ર સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલા છે. આ એક્ઝિબિશનમાં તેમણે કોરોનાના સમયમાં લીધેલી કેટલીક અદ્ભૂત તસવીરો પ્રદર્શન માટે મુકી હતી. જેમાં તેમણે કોરોના કાળની કેટલીક ભયાનક ક્ષણો પોતાના કેમેરામાં કેદ કરી છે. એક ફોટો જર્નાલિસ્ટ તરીકેનો પોતાનો અનુભવ જણાવતાં રણજીત સુર્વે જણાવે છે કે, ફોટોગ્રાફર માટે દરેક દિવસ નવો હોય છે. તેની પાસે તક હોય છે કે, પોતાની ક્રિએટીવિટી થકી લોકો સામે વાસ્તવિક્તા લાવી શકે. ફોટોગ્રાફરને પોતાની કળા બતાવવાનો મોકો મળવો જોઈએ. આ મોકો અમને આ એક્ઝિબિશનમાં મળ્યો છે. આ દીવસે અમને ઉજવણી કરવા મળે છે. સાથે અમે અમારી ક્રિએટીવીટી બતાવી શકીએ છે.
છેલ્લા 20 વર્ષથી ફિલ્ડમાં કાર્યરત અને સંદેશ ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ જીગ્નેશ જોશીએ પોતાની પ્રદર્શન માટે મુકેલી તસવીરો વિશે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલાં એક એક્ઝિબિશનની એક તસવીર છે, જેમાં શહેરના પ્રસિદ્ધ આર્ટિસ્ટ જ્યોતિ ભટ્ટ અને તેમના સ્વર્ગીય પત્ની જ્યોત્સના ભટ્ટ બાયો સ્કોપમાં ચલચિત્રો જોઈ રહ્યાં છે. જેના માધ્યમથી મેં છેલ્લા સો વર્ષોમાં ફોટોગ્રાફી ક્ષેત્રે આવેલું પરિવર્તન દર્શાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ફોટોગ્રાફર માટે દરેક દિવસ નવો હોય છે. તેના જીવનમાં સૌથી મોટી મુશ્કેલી હોય છે કે કોઈ પણ ક્ષણ ચૂકી ન જાય. જો ફોટોગ્રાફર કોઈ ક્ષણ અથવા ઘટના ચુકી જાય તો તેના કારણે તેને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેથી એક ફોટો જર્નાલિસ્ટે હંમેશા સતર્ક રહેવું જોઈએ.
આ એક્ઝિબિશનમાં દિવ્યભાસ્કર ન્યુઝ પેપરના ફોટો જર્નાલિસ્ટ પ્રણય શાહની તસવીરો પ્રદર્શન માટે મુકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તેમના આ ફોટોગ્રાફ્સ નેચર અને લાઈટ થીમ પર આધારિત હતા. આ વિશે જણાવતાં તેઓ કહે છે, કોરોનાકાળ દરમિયાન પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી હતી. આ સમયે લીધેલી કેટલીક તસવીર આ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. જેમાં વિશ્વામિત્રી નદીની જ્યાંથી શરૂઆત થાય છે તેની સુંદરતા દર્શાવવામાં આવી છે. આ સાથે વડોદરા શહેરમાં થયેલા બ્યુટિફિકેશનની પણ તસવીરો અહિંયા છે.
પોતાની કારકિર્દી વિશે વાત કરતાં પ્રણય શાહે જણાવ્યું હતું કે, જ્યાં નિહાળો ત્યાં તમારી આસપાસ ન્યુઝ હોય છે. એક ફોટોગ્રાફર તરીકે તમે એ ક્ષણને કઈ રીતે રજૂ કરો છે એ મહત્વનું છે. દરેક ક્ષણના નેગેટિવ અને પોઝીટીવ પાસા હોય છે. એક ફોટો જર્નાલિસ્ટ તરીકે ચૂનૌતી વગરત કામ થાય નહીં. મહત્વનું છે કે તમે એ મુશ્કેલીને પાર કરીને પણ પોતાનું કામ સારી રીતે કરી શકો. આ કાર્યક્રમ થકી અમને અમારી ક્રિએટીવીટી મોટા પ્લેટફોર્મ પર દર્શાવવાનો મોકો મળે છે. ઉલ્લેખનીય છે કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ કારકિર્દી સાથે જોડાયેલા છે.
[caption id="attachment_1383098" align="aligncenter" width="640"] ભરત પારેખ- ગુજરાત મિત્ર[/caption]
છેલ્લા 32 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતાં ભરત પારેખ દ્વારા આ એક્ઝિબિશનમાં તહેવારની ઉજવણીના ફોટોગ્રાફ્સ પ્રદર્શન માટે મુકવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પ્રદર્શનમાં તેમણી ઈકોફ્રેન્ડલી ગણપતિ વિસર્જન, યોગ દિવસની ઉજવણી, પતંગ ઉત્સવ, કોરોના સમયમાં પોલીસની કામગીરી જેવી તસવીરોને સમાવેશ થાય છે.
[caption id="attachment_1383099" align="aligncenter" width="640"] કમલેશ સુર્વે- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા[/caption]
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં કામ કરતાં ફોટો જર્નાલિસ્ટ કમલેશ સુર્વે વર્લ્ડ ફોટોગ્રાફિ દિવસ વિશે વાત કરતાં જણાવે છે કે, આ દિવસની અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છે. આ અમારા માટે એક તહેવાર જેવું છે. જેની ઉજવણી અમે આ એક્ઝિબિશન દ્વારા કરીએ છે. તમને જણાવી દઈએ કે કમલેશ સુર્વે છેલ્લા 20 વર્ષથી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે. આ પ્રદર્શનમાં તેમની ફોટોગ્રાફીની થીમ લોકડાઉન પર આધારીત છે. જેમાં લોકોની વિવસતા, બાળકની ખુશી, કોઈની જોવાતી રાહ, વગેરે જેવી તસવીરોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત કિર્તી પંડ્યા, અશ્વિન રાજપુત, ભૂપેન્દ્ર રાણા, કેયુર ભાટિયા, ચંદન ગિરિ જેવા સિનિયર ફોટો જર્નાલિસ્ટના ફોટોગ્રાફ્સ પણ પ્રદર્શન માટે મુકવામાં આવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે શહેરમાં ફોટો એક્શિબિશન ઉપરાંત રેલીનું પણ આયોદન કરવામાં આવતું હોય છે. પરંતુ કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી માત્ર એક્શિબિશનનું જ આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સમગ્રવિશ્વમાં દર વર્ષે 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી કરવામાં આવે છે. જેનું કારણ છે કે વર્ષ 1839માં 9 જાન્યુઆરીના રોજ ફ્રાન્સના લ્યુઈસ ડોગરે અને જોસેફ નિસ્ફોરે નિસ્પી દ્વારા વિશ્વમાં પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફ્રાન્સ સરકારે 19 ઓગસ્ટના દિવસે આ અદ્ભૂત શોધ સમગ્ર વિશ્વને ભેટ સ્વરૂપે આપી હતી. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.