ફ્રન્ટલાઇન વર્કર કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ જે બૂસ્ટર ડોઝ લેવા ઇચ્છતા હોય તેઓ આઈડી કાર્ડ થકી તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે બૂથ પરથી લઇ શકશે
જેઓ પાત્ર થયાં છે એ તમામ લોકો ત્રીજો તકેદારી ડોઝ લઈ લે : વડોદરા જિલ્લા કલેકટર
Watchgujarat.ઓમિક્રોન વેરિયન્ટના વધતા સંક્રમણમને જોતાં રાજકોટ જિલ્લામાં હેલ્થ કેર તથા ફ્રન્ટલાઇન વર્કરની સાથે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને સાવચેતીના ભાગરૂપે પ્રિકોશનરી વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં બૂસ્ટર ડોઝ લેવા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા. આજે જે કોઈ ફ્રન્ટલાઇન વર્કર કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ આ બૂસ્ટર ડોઝ લેવા ઇચ્છતા હોય તેઓ આઈડી કાર્ડ થકી તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે બૂથ પરથી લઇ શકશે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુસ્ટર ડોઝ લીધો હતો અને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો તેમજ ફ્રન્ટલાઇન વોરયર્સની મહેનતને પણ બિરદાવી હતી.
જ્યારે વડોદરાની વાત કરીએ તો જિલ્લા કલેકટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લાયક લોકોને તૃતીય ડોઝનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ડોઝ હેઠળ ફ્રન્ટ લાઇન વર્કર,હેલ્થ વર્કર અને અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા 60 અને તેથી વધુ ઉંમરના અને નિર્ધારિત બીજો ડોઝ લીધાની તારીખથી 39 સપ્તાહ એટલે નવ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે તેવા લોકો આ તૃતીય તકેદારી ડોઝ લેવાને પાત્ર છે.
જે લોકો તૃતીય પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર થઈ ગયાં છે એ તમામ લોકો સત્વરે તકેદારી ડોઝ લઈ લે એવો અનુરોધ કરતાં કલેકટર એ જણાવ્યું કે કોરોના વધી રહ્યો છે ત્યારે માસ્ક પહેરવું,સેનેટાઈઝરનો ઉપયોગ,વારંવાર હાથ સાબુથી ધોવા અને ભીડભાડનો ભાગ ન બનવાની તકેદારી સૌ લે. તેમણે તરુણ રસીકરણ જિલ્લામાં સત્વરે 100 ટકા પૂરું થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવાની સાથે આ આયોજન માટે જિલ્લા આરોગ્ય તંત્રને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 398 કેસ નોંધાયા છે. આ કેસ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાલીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલુપર, બાપોદ અને વાઘોડિયામાં નોંધાયા હતા. જ્યારે વધુ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ફ્રન્ટલાઇન વર્કર કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ જે બૂસ્ટર ડોઝ લેવા ઇચ્છતા હોય તેઓ આઈડી કાર્ડ થકી તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે બૂથ પરથી લઇ શકશે
જેઓ પાત્ર થયાં છે એ તમામ લોકો ત્રીજો તકેદારી ડોઝ લઈ લે : વડોદરા જિલ્લા કલેકટર
Watchgujarat.ઓમિક્રોન વેરિયન્ટના વધતા સંક્રમણમને જોતાં રાજકોટ જિલ્લામાં હેલ્થ કેર તથા ફ્રન્ટલાઇન વર્કરની સાથે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટિઝનને સાવચેતીના ભાગરૂપે પ્રિકોશનરી વેક્સિન આપવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં બૂસ્ટર ડોઝ લેવા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા. આજે જે કોઈ ફ્રન્ટલાઇન વર્કર કે 60 વર્ષથી ઉપરના વ્યક્તિ આ બૂસ્ટર ડોઝ લેવા ઇચ્છતા હોય તેઓ આઈડી કાર્ડ થકી તેમના નજીકના આરોગ્ય કેન્દ્ર કે બૂથ પરથી લઇ શકશે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ બુસ્ટર ડોઝ લીધો હતો અને કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો હતો તેમજ ફ્રન્ટલાઇન વોરયર્સની મહેનતને પણ બિરદાવી હતી.
જ્યારે વડોદરાની વાત કરીએ તો જિલ્લા કલેકટર આર.બી.બારડે વડોદરા જિલ્લાના ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જાતે ત્રીજા પ્રિકોશન ડોઝની રસી મુકાવી જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લાયક લોકોને તૃતીય ડોઝનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ ડોઝ હેઠળ ફ્રન્ટ લાઇન વર્કર,હેલ્થ વર્કર અને અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા 60 અને તેથી વધુ ઉંમરના અને નિર્ધારિત બીજો ડોઝ લીધાની તારીખથી 39 સપ્તાહ એટલે નવ મહિનાનો સમય પૂરો થઈ ગયો છે તેવા લોકો આ તૃતીય તકેદારી ડોઝ લેવાને પાત્ર છે.
જે લોકો તૃતીય પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર થઈ ગયાં છે એ તમામ લોકો સત્વરે તકેદારી ડોઝ લઈ લે એવો અનુરોધ કરતાં કલેકટર એ જણાવ્યું કે કોરોના વધી રહ્યો છે ત્યારે માસ્ક પહેરવું,સેનેટાઈઝરનો ઉપયોગ,વારંવાર હાથ સાબુથી ધોવા અને ભીડભાડનો ભાગ ન બનવાની તકેદારી સૌ લે. તેમણે તરુણ રસીકરણ જિલ્લામાં સત્વરે 100 ટકા પૂરું થઈ જવાની અપેક્ષા વ્યક્ત કરવાની સાથે આ આયોજન માટે જિલ્લા આરોગ્ય તંત્રને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 398 કેસ નોંધાયા છે. આ કેસ શહેરના જેતલપુર, બાજવા, વારસીયા, દિવાલીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી, સુદામાપુરી, ફતેપુરા, રામદેવનગર, માંજલુપર, બાપોદ અને વાઘોડિયામાં નોંધાયા હતા. જ્યારે વધુ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.