વડોદરામાં છેલ્લાં કેટલાંક દિવસથી ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરની નજીક આવેલા સયાજીપુરા ગામમાં મુખ્ય માર્ગ અને આરોગ્ય કેન્દ્રમાં ગુંઠણસમા પાણી ભરાયા
આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે
ગામના મુખ્ય માર્ગમાં જ ગુંઠણસમા પાણી ભરાઈ જતા હોવાથી શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે
WatchGujarat. છેલ્લા કેટલાંક દિવસોથી વડોદરમાં સારો વરસાદ વરસ્યો છે. પરંતુ વરસાદની થોડી બેટીંગમાં જ સમગ્ર વડોદરા પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ત્યારે શહેરના નજીક આવેલા સયાજીપુરા ગામમાં પણ કંઈક આવા જ દર્શ્યો સર્જાયા છે. આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં છે. જેમાં ગામના મુખ્ય માર્ગથી લઈને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પણ ગુંઠણસમા પાણી ભરાયાં છે. આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાના કારણે તે બંધ હાલતમાં છે. ત્યારે ગ્રામજનો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યાં છે.
https://youtu.be/DeNaR17PFA4
ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે દર વર્ષે ચોમાસાના સમયમાં ગામના મુખ્ય માર્ગ અને આરોગ્ય કેન્દ્રની આસપાસ ગુંઠણસમા પાણી ભરાઈ જતાં હોય છે. જેના કારણે ગ્રામજનોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ પણ કરી શકાતો નથી. ત્યારે આ ઋતુમાં વધતી બિમારીઓના કારણે ગ્રામજનોએ ખાનગી હોસ્પિટલ જવાનો વારો આવ્યો છે. ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયુ હોવાથી લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોય છે છતાં પાણીના યોગ્ય નિકાલ માટે પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી પાણ ભરાઈ રહેવાથી રોગચાળો પણ ફાટી નિકળે છે. ઉપરાંત મચ્છરોનો ત્રાસ પણ વધી જતો હોય છે.
5 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં લોકોને કામ-ધંધે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્રમાંથી પાણીનો નિકાલ થતાં ઘણા દિવસો લાગી જતાં હોય છે. ત્યારે વરસાદની સિઝનમાં તે મોટા ભાગે બંધ હાલતમાં જ રહે છે. ચોમાસામાં વધતી જતી બિમારીઓમાં પાણી ભરાવાથી આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે. વધતી જતી પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે. વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન થવાના કારણે ગ્રામજનો આવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યાં છે.
શહેરની નજીક આવેલા સયાજીપુરા ગામમાં મુખ્ય માર્ગ અને આરોગ્ય કેન્દ્રમાં ગુંઠણસમા પાણી ભરાયા
આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાથી લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે
ગામના મુખ્ય માર્ગમાં જ ગુંઠણસમા પાણી ભરાઈ જતા હોવાથી શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે
WatchGujarat. છેલ્લા કેટલાંક દિવસોથી વડોદરમાં સારો વરસાદ વરસ્યો છે. પરંતુ વરસાદની થોડી બેટીંગમાં જ સમગ્ર વડોદરા પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાયાં છે. ત્યારે શહેરના નજીક આવેલા સયાજીપુરા ગામમાં પણ કંઈક આવા જ દર્શ્યો સર્જાયા છે. આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં છે. જેમાં ગામના મુખ્ય માર્ગથી લઈને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પણ ગુંઠણસમા પાણી ભરાયાં છે. આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાના કારણે તે બંધ હાલતમાં છે. ત્યારે ગ્રામજનો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યાં છે.
ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે દર વર્ષે ચોમાસાના સમયમાં ગામના મુખ્ય માર્ગ અને આરોગ્ય કેન્દ્રની આસપાસ ગુંઠણસમા પાણી ભરાઈ જતાં હોય છે. જેના કારણે ગ્રામજનોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ પણ કરી શકાતો નથી. ત્યારે આ ઋતુમાં વધતી બિમારીઓના કારણે ગ્રામજનોએ ખાનગી હોસ્પિટલ જવાનો વારો આવ્યો છે. ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયુ હોવાથી લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોય છે છતાં પાણીના યોગ્ય નિકાલ માટે પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી પાણ ભરાઈ રહેવાથી રોગચાળો પણ ફાટી નિકળે છે. ઉપરાંત મચ્છરોનો ત્રાસ પણ વધી જતો હોય છે.
5 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં લોકોને કામ-ધંધે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે આ આરોગ્ય કેન્દ્રમાંથી પાણીનો નિકાલ થતાં ઘણા દિવસો લાગી જતાં હોય છે. ત્યારે વરસાદની સિઝનમાં તે મોટા ભાગે બંધ હાલતમાં જ રહે છે. ચોમાસામાં વધતી જતી બિમારીઓમાં પાણી ભરાવાથી આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે. વધતી જતી પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે. વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન થવાના કારણે ગ્રામજનો આવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યાં છે.