વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યુવા મેયરને રખડતા ઢોરના પ્રશ્ને જાહેરમાં ટકોર કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો
અગાઉ મેયરે મીટીંગ બોલાવીને માત્ર 15 દિવસમાં શહેરનો ઢોર મુક્ત કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો હતો
અગાઉ શહેરના ગૌ પાલકો સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે મીટિંગ કરીને શહેરને ઢોર મુક્ત કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
તમામ રાજકીય દાવાઓનું સુરસુરીયું થઇ ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી: ગતરોજ ભાજપ વોર્ડના મહિલા મંત્રીને ગાયે ભેટી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા
WatchGujarat. વડોદરાને રખડતા મુક્ત કરાવવ માટેના રાજકીય દાવાઓ અનેક કરવામાં આવી ચુક્યા છે. જો કે, જમીની હકીકત કંઇક ઓર જ છે. ગતરોજ ભાજપના વોર્ડના મહિલા મંત્રીને ગાયે ભેટી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આજરોજ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યુવા મેયરને રખડતા ઢોરના પ્રશ્ને જાહેરમાં ટકોર કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યાર બાદ મેયરે મીટીંગ બોલાવીને માત્ર 15 દિવસમાં શહેરનો ઢોર મુક્ત કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો હતો. તો બીજી તરફ શહેરના ગૌ પાલકો સાથે ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે મીટિંગ કરીને શહેરને ઢોર મુક્ત કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જો કે, દાવાઓ કેટલા સાચા છે. તે તો શહેરવાસીઓ સારી રીતે જાણે જ છે. ગતરોજ તો વોર્ડના ભાજપના મહિલા મંત્રીને જ ગાયે ભેટી મારી હતી. અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
સમગ્ર મામલે આજરોજ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ અનુસાર, ગતરોજ જાગૃતિબેન પાઠક વોર્ડ બપોરે વોર્ડ નં 11 ની ઓફિસે પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવવા સંદર્ભે ગયા હતા. ઓફિસની બહાર નિકળતા ઘડિયાળ સર્કલ ચાર રસ્તા પાસે ઉભા હતા. દરમિયાન પાછળથી બ્રાઉન કલરની શિંગડા વાળી ગાયે તેઓને અડફેટે લીધા હતા. જેથી તેઓને માથાના ભાગે ઉજા થઇ હતી. ઇજાગ્રસ્ત જાગૃતિબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમનું ડ્રેસીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓને પરિજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મામલે બ્રાઉન કલરની ગાયના માલિક અજાણ્યા ઇસમ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. કહેવા માટે તો રખડતા ઢોરને પકડવા માટે પાલિકાની અનેક ટીમો હાલ કાર્યરત છે. પરંતુ અવાર નવાર રખડતા પશુઓ નજરે પડે છે. એટલું જ નહિ રખડતા પશુઓની અડફેટે અનેક લોકોને ઇજાઓ પણ પહોંચી છે. હવે રાજકીય દાવા પ્રમાણે શહેરને ઢોર મુક્ત બનાવવાની હકીકત ક્યારે સાકાર થાય છે તે જોવું રહ્યું.
તાજેતરમાં કેટલી ઘટનાઓ સામે આવી, જાણો
12 દિવસમાં પાંચમો બનાવ બન્યો હતો. જે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સત્તાપક્ષ ભાજપ અને પોલીસ તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવી જ રીતે લોકો રખડતા પશુઓનો ભોગ બનતા રહેશે.
23મીએ બાજવા ફર્ટિલાઇઝર માર્કેટિંગ ગેટની સામેના વિસ્તારમાં રહેતા અજિત વસાવાને ગાયે ભેટી મારતાં સયાજીમાં ખસેડાયા હતા.
23મી તારીખ અને 26મી તારીખે નવાયાર્ડના રાજીવનગરમાં 2 વર્ષના બાળક પર એક જ ગાયે 2 વાર હુમલો કરતાં ઇજા પહોંચી હતી.
24 નવેમ્બરના રોજ સમા વિસ્તારના કેનાલ પાસે પર વોર્ડ નં.7નો સફાઇ સેવક કુણાલ કિશોર સોલંકીને ગાયે ભેટી મારતા તેને ઇજા પહોંચી હતી.
27નવેમ્બરના શનિવારે ગોરવામાં સોલંકી ફળીયામાં 50 વર્ષમાં જયેશભાઈ મહેતાને ગાયે કમરથી શીંગળે ભેરવી હવામાં ઉછાળયા હતા. જેમાં તેમને માથામાં અને છાતીમાં ઇજાઓ પહોચી હતી.
વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યુવા મેયરને રખડતા ઢોરના પ્રશ્ને જાહેરમાં ટકોર કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો
અગાઉ મેયરે મીટીંગ બોલાવીને માત્ર 15 દિવસમાં શહેરનો ઢોર મુક્ત કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો હતો
અગાઉ શહેરના ગૌ પાલકો સાથે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે મીટિંગ કરીને શહેરને ઢોર મુક્ત કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
તમામ રાજકીય દાવાઓનું સુરસુરીયું થઇ ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી: ગતરોજ ભાજપ વોર્ડના મહિલા મંત્રીને ગાયે ભેટી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા
WatchGujarat. વડોદરાને રખડતા મુક્ત કરાવવ માટેના રાજકીય દાવાઓ અનેક કરવામાં આવી ચુક્યા છે. જો કે, જમીની હકીકત કંઇક ઓર જ છે. ગતરોજ ભાજપના વોર્ડના મહિલા મંત્રીને ગાયે ભેટી મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. આજરોજ સમગ્ર મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે યુવા મેયરને રખડતા ઢોરના પ્રશ્ને જાહેરમાં ટકોર કરતા રાજકીય ગરમાવો આવ્યો હતો. ત્યાર બાદ મેયરે મીટીંગ બોલાવીને માત્ર 15 દિવસમાં શહેરનો ઢોર મુક્ત કરી દેવામાં આવશે તેવો દાવો કર્યો હતો. તો બીજી તરફ શહેરના ગૌ પાલકો સાથે ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે મીટિંગ કરીને શહેરને ઢોર મુક્ત કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જો કે, દાવાઓ કેટલા સાચા છે. તે તો શહેરવાસીઓ સારી રીતે જાણે જ છે. ગતરોજ તો વોર્ડના ભાજપના મહિલા મંત્રીને જ ગાયે ભેટી મારી હતી. અને તેઓ ઇજાગ્રસ્ત થયા હતા.
સમગ્ર મામલે આજરોજ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ અનુસાર, ગતરોજ જાગૃતિબેન પાઠક વોર્ડ બપોરે વોર્ડ નં 11 ની ઓફિસે પોતાનું આયુષ્યમાન કાર્ડ કઢાવવા સંદર્ભે ગયા હતા. ઓફિસની બહાર નિકળતા ઘડિયાળ સર્કલ ચાર રસ્તા પાસે ઉભા હતા. દરમિયાન પાછળથી બ્રાઉન કલરની શિંગડા વાળી ગાયે તેઓને અડફેટે લીધા હતા. જેથી તેઓને માથાના ભાગે ઉજા થઇ હતી. ઇજાગ્રસ્ત જાગૃતિબેનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેમનું ડ્રેસીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓને પરિજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
મામલે બ્રાઉન કલરની ગાયના માલિક અજાણ્યા ઇસમ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. હવે આ મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. કહેવા માટે તો રખડતા ઢોરને પકડવા માટે પાલિકાની અનેક ટીમો હાલ કાર્યરત છે. પરંતુ અવાર નવાર રખડતા પશુઓ નજરે પડે છે. એટલું જ નહિ રખડતા પશુઓની અડફેટે અનેક લોકોને ઇજાઓ પણ પહોંચી છે. હવે રાજકીય દાવા પ્રમાણે શહેરને ઢોર મુક્ત બનાવવાની હકીકત ક્યારે સાકાર થાય છે તે જોવું રહ્યું.
તાજેતરમાં કેટલી ઘટનાઓ સામે આવી, જાણો
12 દિવસમાં પાંચમો બનાવ બન્યો હતો. જે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સત્તાપક્ષ ભાજપ અને પોલીસ તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો આવી જ રીતે લોકો રખડતા પશુઓનો ભોગ બનતા રહેશે.
23મીએ બાજવા ફર્ટિલાઇઝર માર્કેટિંગ ગેટની સામેના વિસ્તારમાં રહેતા અજિત વસાવાને ગાયે ભેટી મારતાં સયાજીમાં ખસેડાયા હતા.
23મી તારીખ અને 26મી તારીખે નવાયાર્ડના રાજીવનગરમાં 2 વર્ષના બાળક પર એક જ ગાયે 2 વાર હુમલો કરતાં ઇજા પહોંચી હતી.
24 નવેમ્બરના રોજ સમા વિસ્તારના કેનાલ પાસે પર વોર્ડ નં.7નો સફાઇ સેવક કુણાલ કિશોર સોલંકીને ગાયે ભેટી મારતા તેને ઇજા પહોંચી હતી.
27નવેમ્બરના શનિવારે ગોરવામાં સોલંકી ફળીયામાં 50 વર્ષમાં જયેશભાઈ મહેતાને ગાયે કમરથી શીંગળે ભેરવી હવામાં ઉછાળયા હતા. જેમાં તેમને માથામાં અને છાતીમાં ઇજાઓ પહોચી હતી.