નિવૃત આર્મી જવાનના ઘરે થઈ ચોરી
નિવૃત આર્મી જવાન તેમના પરિવાર સાથે લગ્નમાં ઉત્તરપ્રદેશ ગયા હતા
તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સાના-ચાંદી, રોકડ મળી રૂ.1.82 લાખ ચોરી ગયા
ફતેગંજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat. વડોદરા શહેરમાં રહેતા નિવૃત આર્મી જવાન પરિવાર સાથે ઉત્તરપ્રદેશ સંબધીના લગ્નમાં ગયા અને તસ્કરો તેમના ઘરમાં ઘુસી હાથફેરો કરી ગયા. આ મામલે ફતેગંજ પોલીસે સોના-ચાંદી તેમજ રોકડ મળી કુલ રૂ.1.82 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારના આનંદવિલા ટેનામેન્ટમાં રહેતા જયપ્રકાશ રામપ્રસાદ સચન (ઉ.62 વર્ષ) આર્મીમાંથી નિવૃત થઈ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. ગત તા.10 નવેમ્બરના રોજ તેઓ સંબધીના લગ્નમાં કાનપુર ઉત્તરપ્રદેશ ગયા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી તેમના પત્ની અને દિકરો દિપકકુમાર પણ લગ્નમાં ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. જો કે દિકરાની પત્ની કવિતાબેન અને તેની સાળી શિવાંનીબેન ઘરે જ રહ્યા હતા.
આ બાદ ગત તા. 28 નવેમ્બરના રોજ મારા દિકારાની પત્નીનો ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, હું મકાનના નીચલા માળે તાળુ મારી ઉપરના માળે સુવા ગઈ હતી. બીજા દિવસે નીચે નાસ્તો બનાવવા આવી હતી ત્યારે મકાનના દરવાજાના નકુચા તુટેલા હતા અને ચોરી થઈ હવાનું જાણવા મળ્યુ હતું. જેથી જયપ્રકાશભાઈ ગત તા.30 નવેમ્બરના રોજ પોતાના ઘરે વડોદરા પરત આવ્યા હતા. અને ઘરેમાં પ્રવેશતા જ બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર રાખેલ તીજોરી પણ ખુલ્લી જણાઈ હતી.
જેથી જયપ્રકાશભાઈએ તેમનો સર સામાન ચકાસતા તીજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ.1.50 લાખ મળી કુલ્લે રૂ.1.82 લાખ ચોરી થઈ ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી ઘરમાં હાથફેરો કરી જનાર ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નિવૃત આર્મી જવાનના ઘરે થઈ ચોરી
નિવૃત આર્મી જવાન તેમના પરિવાર સાથે લગ્નમાં ઉત્તરપ્રદેશ ગયા હતા
તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી સાના-ચાંદી, રોકડ મળી રૂ.1.82 લાખ ચોરી ગયા
WatchGujarat. વડોદરા શહેરમાં રહેતા નિવૃત આર્મી જવાન પરિવાર સાથે ઉત્તરપ્રદેશ સંબધીના લગ્નમાં ગયા અને તસ્કરો તેમના ઘરમાં ઘુસી હાથફેરો કરી ગયા. આ મામલે ફતેગંજ પોલીસે સોના-ચાંદી તેમજ રોકડ મળી કુલ રૂ.1.82 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારના આનંદવિલા ટેનામેન્ટમાં રહેતા જયપ્રકાશ રામપ્રસાદ સચન (ઉ.62 વર્ષ) આર્મીમાંથી નિવૃત થઈ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. ગત તા.10 નવેમ્બરના રોજ તેઓ સંબધીના લગ્નમાં કાનપુર ઉત્તરપ્રદેશ ગયા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી તેમના પત્ની અને દિકરો દિપકકુમાર પણ લગ્નમાં ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. જો કે દિકરાની પત્ની કવિતાબેન અને તેની સાળી શિવાંનીબેન ઘરે જ રહ્યા હતા.
આ બાદ ગત તા. 28 નવેમ્બરના રોજ મારા દિકારાની પત્નીનો ફોન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે, હું મકાનના નીચલા માળે તાળુ મારી ઉપરના માળે સુવા ગઈ હતી. બીજા દિવસે નીચે નાસ્તો બનાવવા આવી હતી ત્યારે મકાનના દરવાજાના નકુચા તુટેલા હતા અને ચોરી થઈ હવાનું જાણવા મળ્યુ હતું. જેથી જયપ્રકાશભાઈ ગત તા.30 નવેમ્બરના રોજ પોતાના ઘરે વડોદરા પરત આવ્યા હતા. અને ઘરેમાં પ્રવેશતા જ બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર રાખેલ તીજોરી પણ ખુલ્લી જણાઈ હતી.
જેથી જયપ્રકાશભાઈએ તેમનો સર સામાન ચકાસતા તીજોરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રૂ.1.50 લાખ મળી કુલ્લે રૂ.1.82 લાખ ચોરી થઈ ગયા હતા. આ મામલે ફતેગંજ પોલીસે ચોરીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી ઘરમાં હાથફેરો કરી જનાર ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.